ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

લેબલ चारण संतो સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ चारण संतो સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 28 ઑગસ્ટ, 2018

સ્વ. પ્રભાત સિંહજી બારહઠ

સ્વ. પ્રભાત સિંહજી બારહઠ

ચારણી સાહિત્ય,  ઈતિહાસનાં જાણકાર ખુબ સારા ચિત્રકાર, શિવાજી મહારાજનુ વર્લ્ઠ રેકોર્ડ (રંગ પુરણી અધુરી) ચિત્ર બનાવનાર,   લાગણીશીલ માણસ.

ચારણી સાહિત્યનાં અનેક સંશોધકો, સંપાદકોએ પ્રભાતસિંહજીનાં ચિત્રથી પોતાના પુસ્તકને શણગાર્યુ છે.

ગુજરાતનાં શ્રેષ્ઠ  ચિત્રકાર અવોર્ડ માટે મોદીજીએ જેમના નામની ભલામણ કરેલ.

તેમનો એક પ્રકલ્પ હતો કે ચારણ સર્જકો વિષયક પુસ્તક તૈયાર કરવુ જેમા ચિત્રો પ્રભાતસિંહજીનાં તથા જીવન અને કવન વિષયક સંશોધન તીથઁકર રોહડિયા તથા કિશોર બારહઠ(હજનાળી) કરવાના હતા.

ઈશરદાસજી મહારાજનુ પ્રથમ અને અસલ(બંધ બેસતુ) ચિત્ર આપણને પ્રભાતસિંહજી પાસેથી જ પ્રાપ્ત થાય છે. આ ચિત્ર સંદર્ભે તેઓશ્રીએ અનેક વાર સ્વીકાર્યુ છે કે આ ચિત્ર બનાવવાની પ્રેરણા મને રતુકાકા (રતુદાનજી રોહડિયા)એ આપી આમ આ ચિત્ર બન્યુ ને આજ ઘેર ઘેર આ ચિત્ર દ્વારા ઈશરદાદાની પુજા થાય છે.

પ્રભાતસિંહજી ભલે સ્થુળ દેહ સ્વરૂપે આપણી વચ્ચે ન રહ્યા  પણ તેઓ ઈશરદાસજી મહારાજનાં ચિત્રથી, અશ્ર્વોનાં ચિત્રોથી અને શિવાજી મહારાજનાં વર્લ્ડ રેકોર્ડ ચિત્રથી હમેંશા અમર રહેશે.

માતાજી તેમના આત્માને શાંતી અને મોક્ષ પ્રદાન કરે.

ૐ શાંતી શાંતી શાંતી
🙏🏻🙏🏻🙏🏻💐💐💐

મંગળવાર, 17 એપ્રિલ, 2018

हेमु गढवी नो जीवन प्रसंग

1961 ની વાત છે..શિહોર મા શ્રી 'હેમુ ભાઇ ગઢવી' નો જાહેર કાર્યક્રમ હતો..આજુબાજું ના પંદર ગામ ના લોકો ને હેમુભાઇ ગઢવી એ..મુળુભા બંકડા..નાછડીયા હથીયાર..શીવાજી નું હાલરડુ..રાંકનુ રતન..ચેલૈયા નું હાલરડું..આવા લોf કગીતો રાસડા.. અને લોકસાહિત્ય ની વાતો થી પ્રસન્ન કર્યા..
સવાર મા રાજકોટ જવા નિકળ્યા..હેમુભાઇ ની સાથે એના એક મિત્ર હતા..એમને હેમુભાઇએ કહ્યું.."ભાઇ..આ બાજું આવ્યા છીએ તો મારી એક બહેન આ બાજું રહે છે એને મળતા જઇએ.." મિત્ર અંગત હતા એને ખબર હતી કે હેમું ભાઇ ની કોઇ બહેન આ બાજું નથી..પણ છતા કોઇક કાકા-મામા ની દિકરી હશે..એવું વિચારી મિત્ર સાથે ચાલ્યા..બસ મા બેઠા...કાઠીયાવાડ ના ઢસા ગામ ની નજીક ના એક ગામ મા ઉતર્યા..મિત્ર એ કહ્યુ બેન નું ગામ આવી ગયું...?
હેમુંભાઇએ કહ્યું.."ના"
ત્યાર પછી પાંચેક કીલોમીટર જેટલો પગપાળા ધુળીયો રસ્તો કાપી ને આ બંને મિત્રો..સાવ અંતરીયાળ એવા એક નાનકડા ગામ મા પ્રવેશ્યા..ગામ ના પાદર મા જઇ બેઠેલા લોકો ને હેમુંભાઇએ પૂછ્યું..."ભાઇ આ ગામ મા એક ધની બેન રહે છે..?"
"હા ભાઇ તમે એના સગા છો..?"
"હા મારી બેન થાય..હું એનો ભાઇ છું"
"સારું...ભાઇ ધનીબેન એક વિધવા બાઇ છે પરગામ થી રે'વા આવી છે...છોકરા આહીં આવ તો...!!
"મેમાન ને ધનીબેન નુ ઘર બતાવી આવ્ય.."
છોકરો આગળ થયો...ગામ મા દાખલ થતા એક સાવ તુટલી ફુટલી ખડકી આવી..મકાન ના અર્ધા છાપરા મા દેશી નળીયા હતા અર્ધુ છાપરું ઉજ્જડ હતું..ગાર માટી ની દિવાલો ના ગાબડા મા ગરીબી સમાતી નહોતી..નાના બાળકો ફળીયા મા રમતા હતા..એને હેમું ભાઇ એ પુછ્યું.."બેટા..તારા બા ક્યા છે..?"
"ઈ..મારી બા..રોટલા ઘડે.."
"બા..મેમાન આવ્યા.."
અને જેની સાડી મા ભાતેભાતે થીંગડા ને સાક્ષાત ગરીબી એ સ્વરુપ ધારણ કર્યુ હોય એવી એક બાઇ બહાર આવી..
"કોણ..?"
"હું હેમુંગઢવી"
બાઇ આગળ આવી..દુખણા લીધા..
ચા બનાવી..પીધી..
અને હેમુ ભાઇ એ ખીસ્સા મા થી પાંચસો જેટલા રૂપીયા કાઢ્યા..અને પેલી બાઇ ને આપ્યા...
"લ્યો બેન અટાણે આટલા રૂપીયા મારી પાસે છે..પણ,વિશેષ સગવડ થશે તો પાછો આવીશ.."
આંખ મા આંસું સાથે પેલી ગરીબ બાઇએ રૂપીયા લીધા..અને બંને મિત્રો એ વિદાય લીધી...
પણ રસ્તે ચડ્યા પછી હેમુભાઇ ના મિત્રએ પુછ્યું..."તમારા આ બેન ને હું ઓળખતો નથો.."
મરક મરક હસતા રુડામોઢા વાળા..હેમુંભાઇ બોલ્યા..
"હું પણ નથી ઓળખતો...!!"
અચંબો પામી ને મિત્ર એ કહ્યું..."તો પછી આ રૂપિયા...?"
અને હેમું ભાઇ એ જે વાત કરી એ આજના તમામ કલાકારો ને પ્રેરણા આપે એવી હતી..
"ભાઇ..આકાશ વાણી ઉપર મારા પ્રોગ્રામ આવે એ આ બેન ના બાળકો સાંભળે અને પુછે.....બા..!!
આ કોણ ગાય..?
એ બેન કહે..બેટા તારા હેમું મામા ગાય છે..
અને એક દિવસ આ બેન ના મોટા દિકરા એ આકાશવાણી ના સરનામે..ત્રાંગા બાંગા અક્ષરો મા પત્ર લખ્યો..
મારા હેમુ મામા ને માલુમ થાય..કે મારા બાપું મરી ગયા છે મારી બા મજુરી કરે છે અમને થાય એટલુ ખાવા નું નથી મળતું..તો તમે પૈસા મોકલજો..
એ કાગળ મે વાંચ્યો..
અને ગામ નું સરનામું લીધું..
આજ પ્રોગ્રામ ને પૈસા મળ્યા..
એ બેન ને આપ્યા...
હું એ છોકરા નો મામો...
અને તું હવે મારો મામા થા..
ને,આપણી બે ની રાજકોટ ની ટીકીટ કપાવી લે..!!"

આને કહેવાય..એક સાચો કલાકાર..
'ચડશે ઘટા ઘનઘોર..
ગગને મેઘજળ વરસાવસે..
અને નીલવર્ણી ઓઢણી ધરા સર પર ધારશે..
ગહેકાટ થાતા મોરઘન..
અને પીયુંજન પોકારશે..
તે વખત આ ગુજરાત ને..
ઓલ્યો..યાદ 'હેમુ' આવશે..

શનિવાર, 23 ડિસેમ્બર, 2017

महात्मा ईशऱदास जी

। कविओं तो कइक थया, पण जेनी ब्रह्माण्डे पहोची वात;
एक ईशर थी उजणी ,आखा जगमा चारण जात ।।

ईशरधाम मंदिर गांव हजनाली संत ईशरदासजी का पिपलिया चाररस्ता के पास में मोरबी गुजरात
कच्छ नरेश रा खेंगारजी का कोई वंश नहीं था. ईशरदासजी के आशीर्वाद से उनके घर दो पुत्र जन्मे थे. जब रा खेंगारजी के बड़े पुत्र रा भारमल कच्छ की गद्दी पर बैठे की जो ईशरदासजी के ही दिए हुए थे तब उन्हों ने हजनाली गांव ईशरदासजी को भेट दिया था. आज ईशरदासजी के पुत्र जेसाजी का परिवार हजनाली में बसता हे. हजनाली गांव जामनगर से भादरेश राजस्थान जाने के रस्ते में ही पड़ता हे. ऐसा कहा जाता हे की ईशरदासजी भादरेश जाते समय यहाँ रुकते थे. आज पुराने हजनाली गांव की उसी जगह पे ईशरदासजी का मंदिर बना हुवा हे. साथमें माँ सोनल और द्वारिकाधीश भी बिराजमान हे.

।। सवंत 1515 में जन्मे ईशरचंद ;
चारण वरण चकोरमें उनदिन हुवो आनंद ।।

चारण संत महात्मा इशरदासजी सवंत 1515 में बाड़मेर राजस्थान के भादरेश गांव में जन्मे थे. पिता सुराजी रोहड़िया साखाके चारण थे. भगवान् श्री कृष्णके परम उपासक थे. अमरेलीके राजा वजाजी सरवैया उनके परम मित्र थे. वजाजीके एकलोते पुत्र करणकी शादीका आमंत्रण इशरदासजीको देते हे. इशरदासजी जब अमरेली पहोंचे तब करणको साँपने काट लिया था और उसका मृत्यु हो गया था. करणकी अंतिमयात्रा इशरदासजीको सामने मिलती हे. इशरदासजीको अंतिमयात्रा देखके बहोत दुःख होता हे. इशरदासजी ने वजाजीको बोला आज में चारण आपके घर पहलीबार आया और ऐसा हो गया. चारण के पैर कभी खराब नहीं होते इशरदासजीने लाशको निचे उतरनेका बोला. कुँवरके माथे पर इशरदासजीने हाथ रखा और स्तुतिकी कुँवर निंद्रामेंसे जागा हो वैसे बैठ गया. कुँवरकी शादी करवाई.  शादी के बाद एक महीने तक वजाजीने इशरदासजी को अमरेली रोका. शादीकी पहेरामनीमें अमरेली स्टेटमें ईश्वरीया और वरसड़ा दो गांवकी जागीर इशरदासजीको दी. परसोतम रूपालाने इशरदासजीकी अमरेलीमें मूर्ति बनवाई हे और हमारे प्रधानमंत्री नरेंद्रमोदी के हाथो उनका उदघाटन हुवाथा.

इशरदासजी जब अमरेली जा रहे थे तब नागड्चाडा गांवमें सांगजी राजपूतके घर रुके थे. सांगाजी कामडी यानी भेड़िया या शाल अच्छी बनाते थे. सांगाजीको कामडी इशरदासजीको भेटमें देनी थी लेकिन अधूरीथी. सांगाजी बोले आप हिंगलाजसे वापिस जरूर पधारियेगा में बनाके रखूँगा. लेकिन इशरदासजीके जानेके बाद वेणु नदिमें एक बछड़ेको बचानेके लिए जाते हे और पानीके तेज बहावमें बह जानेसे उनकी मृत्यु हो जाती हे. जब इशरदासजी वापिस नागड्चाडा आये तो सांगाजी की माँ रोने लगे उन्होंने सांगाजीकी मृत्युके समाचार दिए. इशरदासजी वेणु नदीके किनारे जाते हे. पूरा गांव इक्कठा होता हे. सब बोलते हे इशरदासजी पागल हो गए हे. मरनेके बाद कोई वापिस नहीं आता. इशरदासजीने वेणु नदीके किनारे से सांगाजीको तीन आवाज लगाई. पूरी दुनिया देखे वैसे सांगाजी बछड़े सहित वापिस आये.

हरिरस और देवीयान जैसे महान ग्रंथोकी रचनाकी और भगवान श्रीकृष्ण और माँ रुक्मणीको अपने हाथोसे अर्पण किये

आखरी जिंदगीमें जामनगरके सचाणा गांवमें पसारकी. एक दिन भगवान् श्री कृष्णको बोले मुझे अब हमेशाके लिए आपके पास आ जाना हे. भगवान श्री कृष्णने सवंत 1622 बुधवार और रामनवमीका महूर्त दिया. रामनवमीके दिन पूरी दुनिया देखे वैसे संचाणाके समुद्र पर इशरदासजीने घोडा चलायाथा और भगवान् श्री कृष्णमें शरीर सहित समा गए थे.
भादरेश और संचाणामें इशरदासजीके भव्य मंदिर हे. जन्मदिन भादरेशमें और निर्वाणदिनका संचाणामें भव्य आयोजन होता हे.
इशरदासजीको इशरा सो परमेश्वरा कहा जाता हे.
आज भी सच्चे रिदयसे याद करो तो भक्तोके  सब काम करते हे.
जामनगर से जयदेवदान चारण के जय माताजी सभी मित्रो को
मो- 09924518202
जय इशरदासजी की
जय हो माँ करणी की

संत ईशरदासजी चारण के गांव हजनाली में होनेवाले ईशरनवमी के उत्सव में हजनाली आने के लिए

मोरबी से हजनाली नजदीक हे. मोरबी आने के लिए अहमदाबाद से गवर्मेन्ट बस की भी सुविधा हे.मोरबीकी बस चालू ही रहती हे. ट्रेन से आने में वांकानेर जंक्शन से मोरबी की डेमू चलती हे.मोरबी रेलवे स्टेशन के सामने से हजनाली के लिए रिक्शा की सुविधा हे

हजनाली मालीया से जामनगर मैन हायवे पर हे कच्छ से उस रस्ते भी आप आ सकते हो. कच्छ से जामनगर की सब बसे वाया पिपलिया चार रस्ता  हजनाली होके गुजरती हे.

बाड़मेर से मोरबी आनेके लिए चोहटन चोराहे से गोरसिया ट्रेवल्स की डैली बस चलती हे.

जामनगर से हजनाली जाने के लिए कच्छ जानेवाली सभी गवर्मेन्ट बसे वाया आमरण हजनाली होके गुजरती हे. शिवशक्ति और पटेल ट्रेवल्सकी बसे भी हजनाली होके गुजरती हे

जयदेवदान चारण
मो 09924518202

શુક્રવાર, 22 ડિસેમ્બર, 2017

नारायण स्वामी बापु :- जीवन चरित्र

ભજન સમ્રાટ નારાયણ સ્વામી

જન્મ અષાઢ સુદ બીજ , વિક્રમ સંવત  ૧૯૯૪ તારીખ ૨૯ જુન ૧૯૩૮ ગામ આંકડીયા , અમરેલી

બ્રહ્મલીન ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૦ રવિવાર , ભાદરવા વદ બીજ વિક્રમ સંવત ૨૦૫૬ માંડવી , કચ્છ

બાળપણનુ નામ : શકિતીદાન મહિદાનજી લાંગાવદરા

પિતાજીનુ નામ: શ્રી મહિદાનજી લાંગાવદરા

માતાજીનુ નામ: શ્રી જીવુબાબેન લાંગાવદરા

અભ્યાસ: ૨ ઘોરણ સુધી

ગુરુ : પ;પૂ; શ્રી. સરધાર ના મહાન સંતશ્રી હરીહરાનંદજી બાપુ

કાઠીયાવાડ ના ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાં ની દેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રીમહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો શ્રી મહિદાનજી ને ભજન, છંદ, દુહા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા છે. દેરક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા, ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાં ને અનોખો ભક્તિ ભાવ હતો. આવા પવિત્રહૃદયી પુણ્યાત્માઓ ને ત્યાં વિક્રમ સંવત ૧૯૯૪ નાં અષાઢ સુદ-બીજ તા. ૨૯-૬-૧૯૩૮ નાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શક્તિદાન રાખવામાં આવ્યું. પૂર્વ જન્મમાં કરેલા સુક્ર્મનો વારસો અને આ જન્મના પુણ્યશાળી માં-બાપના આચરણથી બાળક શક્તિદાનની શક્તિને પ્રેરક બન્યા.

બાળક શક્તીદાનનું થોડું નાનપણ સૌરાષ્ટ્રના ચિતલ પાસે ભેલા ભીલડી ગામમાં પસાર થયું. શક્તિદાનજીએ બે ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારથી જ તેઓને સંત સમાગમ ખુબ જ ગમતો.

ઢસા પાસે ગુંદાળા ગામથી ૩-૪ માઈલ દુર આવેલ જંગલમાં રાસવદરમાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં તે વખતે દિગંબર સાધુ મહાત્મા બાલાનંદજી બ્રહ્મચારી હહેતા તેમનું તપ અજોડ હતું. બ્રહ્મચારીજી એક જ વખત દૂધ અને બટેટા ની ભાજી લેતા. તે વખતે વખતે બાળ શક્તિદાનની ઉમર ૮ વર્ષની હતી. તેઓ દરરોજ માં પાસેથી દૂધ લઇ મહાત્મા પાસે આશ્રમે જતા. બ્રહ્મચારીજી પાસે બાળક શક્તિદાન દરરોજ ભજન છંદ બોલતા તેથી તેમને આનંદ આવતો, શક્તિદાને ૪,૫ વર્ષ સુધી ત્યાં જવાનું ચાલુ રાખ્યું. આ સમય દરમ્યાન આઈ જાનબાઈમાંની દેરીમાં જ દેરડી ના નાથા ભગતે નર નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવા મહોત્સવ કર્યો. આ વખતે અનેક સંત સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરધારના મહાન સંત શ્રી હરીહરાનંદજી બાપુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઈ.સ. ૧૯૪૯ નાં જુન મહિનામાં શક્તિદાનજી ને સંત શ્રી હરિહરાનંદજી નાં દર્શન થયા. પહેલા જ દર્શનમાં જુની ઓળખાણ કે સબંધ હોય એવો અરસ પરસ ભાવ થયો. ગુરુજીના ચરણોમાં નમસ્કાર કર્યો. સંત શ્રી રામદાસબાપુએ શક્તિદાનજીનો પરિચય કરાવ્યો, અને કહ્યું. આ છોકરો ભજન બહુ સારા બોલે છે. તે વખતે સાધુ સંતો અને અન્યજનો વચ્ચે શક્તિદાનજી ચાર ભજન બોલ્યા , સરધાર ગામ મા હરિહરાનંદ આશ્રમ આવેલ છે. તેમાં ધારેશ્વર મહાદેવનું તેમજ કાશી વિશ્વનાથ મંદિર અને સન્યાસાશ્રમ છે. સંત શ્રી હરિહરાનંદજી ની તપસ્યા અને સાધના અપ્રતિમ હતી. દશ વર્ષ સુધી તેઓએ માત્ર લીંમડાનાં પાદડાનો રસ અને છાસ પી સાધના કરી. ત્યાર બાદ તેઓ હમેશા થોડી ખીચડી અને બટેટાની ભાજી લેતા. સંત શ્રી હરિહરાનંદજીના આમંત્રણથી શક્તિદાનજી સરધાર ગયા. ત્યાનું વાતાવરણ સંત સમાગમ શક્તિદાનજી ને બહુ ગમી ગયું. તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષની હતી. દરરોજ આશ્રમમાં સંતવાણી થાય. ત્યાં તેઓ ૧૫ દિવસ રોકાણા. એમને પાછા ઘરે જવાની ઈચ્છા નહોતી પણ માં અને બાપુજીના આગ્રહથી જવું પડ્યું.

શ્રી હરિહરાનંદજી બાપુનું જન્મ સ્થળ હલેન્ડા તે સરધારથી ૬ માઈલ દુર આવેલ છે. હલેન્ડા ના આહિરો હરિહરાનંદજી બાપુના મહાન સેવકો ખાસ તો મેણંદ ભાઈ જળુ તેમની સતત સેવામાં હતાં. સંત શ્રી હરિહરાનંદજી બાપુ મહાદેવ-બીજ થી મહાવદ અગીયાર સુધી જુનાગઢથી સનાતન ધર્મશાળામાં શિવપુરાણ બેસાડતાં. બાપુના આગ્રહથી શક્તિદાનજી શિવપુરાણ અને સંતવાણીમાં હાજર રહેતા. શક્તિદાનજી જ્યારે હરીહરાનંદજી બાપુના આશ્રમમાં હતાં. ત્યારે બાપુ તેમને કહેતા કે તારા બાપુની ઈચ્છા છે. માટે હવું તું લગ્ન કરી નાખ. બાપુના અતિ આગ્રહને વશ થઇ તેમણે સને ૧૯૬૨ માં સુયોગ્ય, ધર્માભિમુખ કેળવણી પામેલા નાથુબા બેન સાથે લગ્ન થયા. જોગમાયા સમા એમના માતાજી જીવુબાબેન અને પિતા મહીદાનજીને અતિ આનંદ થયો. સમય વીતતા શક્તિદાનજી ને ત્યાં ચંદનબાબેન નામે પુત્રી અને હરેશભાઈ તેમજ હિતેશભાઈ નામે બે પુત્રોનો જન્મ થયો.

શક્તીદાનજી ભજન તો બોલતા પણ હાર્મોનિયમ અને તબલા કોઈ બીજા વગાડતા ગુંદાળામાં જીવણ બીજલ રબારી રહેતા.એ ઘણાં સારા ભજન બોલતાં. તેઓ સુરદાસ પણ હતાં. તેમણે શક્તીદાનને “જાગો જલારામ વીરપુર નિવાસી” એ પેટી માથે શીખડાવ્યું. ત્યારબાદ સુરદાસજીનું હાર્મોનિયમ પોતાના ઘરે લઈ જતા અને આપ મેળે શીખતા.

એક વખત હરિહરાનંદજીએ શક્તિદાનજીને કહેલું “જા તારી શક્તિ ખુબ ખીલશે” ત્યારબાદ માં શારદાની કૃપાથી પ્રેરણા મળી ગઈ. અને પછી તો જાહેર ભજન માટે આમંત્રણ મળવા લાગ્યા.શ્રી હરિહરાનંદજી બાપુ પાસે કેટલાક એવી વાતો કરવા લાગ્યા કે શક્તિદાન ડાયરા કરે છે. ભજનના કાર્યક્રમ રાખે છે. ઘણું કમાય છે. આવી વાતો સાંભળતા શક્તિદાનજીને ઘણું દુ:ખ થાય અને કહેવું પડે એનાથી પહેલા જ શક્તિદાનજીએ બાપુને કહ્યુ “બાપુ હું હલેન્ડા છોડવા ઈચ્છું છું. મને રજા આપો એવી મારી વિનંતી છે. હરિહરાનંદજીએ સરધારાવાળા વીરચંદ સોનીને ભલામણ કરી સરધારમાં ઓરડી ભાડે અપાવી !

ત્યારબાદ તેઓ રાજકોટ આવી વસ્યા. ૧૯૬૨ માં સુનભાની ગાડીમાં ડ્રાઈવિંગ શીખી લાયસન્સ કઢાવ્યું. તેઓ પટેલ ફીલ્ડ માર્શલની ગાડી ચલાવતા. ત્યારે અમુક સમય સુધી શક્તિદાનજી હરિહરાનંદજી પાસે ગયા નહોતા. રાજકોટ નિવાસી સોઢા શેઠ ભજનના બહુ પ્રેમી તેમના પત્ની ધનલક્ષ્મીબેને સમાચાર આપ્યા કે “પુ. હરિહરાનંદજી બાપુ આજે દેવ થયા.”આ સાંભળતા જ શક્તિદાનજી ને ભયંકર આચકો લાગ્યો. તે તરત જ હલેન્ડા ગયા. બાપુના દર્શન કર્યા. તે વખતે વિચાર આવ્યો.“આવા પુરૂષોને પણ જવું પડે છે. આપણે શું હિસાબમાં” ? હરિહરાનંદજીનાં દેવ થયા પછી શક્તિદાનજીની તબીયત લથડવા લાગી હરિહરાનંદજી બાપુ શક્તિદાનજી ને કહેતા “નારાયણ સાધુ થઇ જા ભગવા પહેરી લે” ત્યારે શક્તિદાનજી કહેતા “મારામાં કમાવાની ત્રેવડ છે, ”અને ખરેખર ગુરુબાપુના દેવ થયા પછી શક્તિદાનજીને વૈરાગ્ય લાગ્યો. ગુરુ બાપુના દેવ થયા પછી શક્તિદાનજી ને મેલેરીયા તાવ આવ્યો, અને તેમાંથી ટાઈફોઈડ શરૂ થયો. આ બીમારી અઢી મહિના ચાલી. તાવ ઉતર્યા પછી શક્તિદાનજી એક મહિના સુધી રોયાજ કરતા. ભગવાનનાં ફોટા સામું જુએ અને રૂએ, ત્યારબાદ કુટુંબના સભ્યોને સમજાવે કે, હવે હું કૌટુંબીક જીવન જીવીશ તો જીવી શકીશ નહિ, માટે મને સાધુ થવાની રજા આપો, તમે સૌ જાણો છો, મારી બીમારી જીવણલેણ હતી. તે વખતે મેં નિર્ણય કર્યો હતો કે, આ બીમારીમાંથી બચી જાઉં તો સાંસારિક બધી વસ્તુઓ છોડી સાધુ થઇ જઈશ. આવી રીતે કુટુંબના સભ્યો પાસેથી રજા લીધી.

કુટુંબના સભ્યોની રજા લીધા બાદ તેઓ હરિહરાનંદજીનાં શિષ્ય રામેશ્વરાનંદજી પાસે ગયા અને કહ્યું “મને હરિહરાનંદજી બાપુના ગુરુપદ નીચે સમાધી પાસે દિક્ષા અપાવો”. પણ આ પ્રમાણે દિક્ષા લેવાદાવાની રામેશ્વરાનંદજીએ નાં પાડી. તેમનો વિચાર હતો કે, “શક્તિદાનજી મારી પાસે દિક્ષા લઈ મારા શિષ્ય થાય ”પણ આ શક્તિદાનજી ને જરા પણ ગમે તેમ ના હતું.

સન ૧૯૬૯ માં સંત શ્રી હરિહરાનંદજી બાપુની સમાધી પાસે મનોમન દિક્ષાગ્રહણ કરી “સ્વામી નારાયણ નંદ” એવું નામ ધારણ કર્યું. રાજકોટમાં મવડી રોડ પર ફુલીયા હનુમાનજી પાસે હરિહરાનંદજી નાં ગુરુભાઈ બટુક સ્વામી રહેતા. એ દેવ થયા ત્યાર પછી હરિહરાનંદજી બાપુના શિષ્ય મુક્તાનંદજી જગ્યા સંભાળતા, ત્યાંથી પૂ. નારાયણ બાપુ પરબવાળા હનુમાનજી ની જગ્યાએ આવ્યા. જ્યાં આશ્રમ સ્થાપ્યો. એક વર્ષ રહ્યા ત્યાં લીલાખાવાળા બાપુ પાસે આવતા. ત્યારબાદ એ આશ્રમ સીતારામ મહાત્માને સુપ્રત કર્યો. લીલાખાના ગ્રામજનો ના આગ્રહથી અને ગામના મુખ્ય આગેવાન શ્રી સામતભાઈએ નદી કિનારે સુંદર સ્થળ આશ્રમ માટે પસંદ કર્યું. આ સ્થળે બે વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો. લીલાખામાં ગ્રામજનોએ નારાયણબાપુના નામથી કેળવણી ટ્રસ્ટ સ્થાપ્યું હતું. આ લીલાખાનું આશ્રમ તેમણે હાઇસ્કુલ બનાવવા માટે નારાયણ કેળવણી મંડળ ટ્રસ્ટને ભેટ આપી દીધું. સને ૧૯૭૦ માં નારાયણ બાપુએ લીલાખામાં ઉગ્ર તપશ્વર્યા આરંભી તેઓ આખો દિવસ ઉભા રહેતા અને એક જ વખત બટેટાની ભાજી લેતા. અને રાતના સંતવાણી ગાતા.

શ્રી નારાયણબાપુ સામતભાઈનાં અતિ આગ્રહથી માતાજી સોનબાઈમાના દર્શને ગયા, સામતભાઈ એ માતાજી સોનબાઈમાને ખાનગીમાં નારાયણ બાપુના ઉપવાસ વિષે કહી દીધું હતું. જમવાના સમય પહેલા પુ. સોનબાઈમા એ નારાયણબાપુ ને કહ્યું “હિંદુ ધર્મ પ્રમાણે માનવે ચાર ઋણ અદા કરવાના હોય છે. તમે મને માં કહો છો ચાર ઋણોમાં માતૃ ઋણ પણ છે, તે અદા કરવા તૈયાર થાઓ તો કહું”.નારાયણ બાપુએ પુ. આઈ માં ને કહ્યું , હું ઋણ અદા કરવા તૈયાર છું. પૂ. આઈ માં એ ફરીથી વચન લીધા પછી કહ્યું , આજથી તમારી માની ઝુંપડીએ ઉપવાસના પારણા કરવાના છે“ પૂ. બાપુએ શ્રી સોનાલમાં નો આદેશ વચન બધ્ધ થઇ સ્વીકારવો પડ્યો. આ વખતે નારાયણબાપુએ લીલાખા આશ્રમમાં પધારવા વિનંતી કરી. જેનો પૂ. માં એ સ્વીકાર કર્યો.

ત્યારબાદ અમુક સમય પછી લીલાખા આશ્રમ છોડી પુ. નારાયણ બાપુને માંડવી ચપ્લેશ્વર મહાદેવનાં ટ્રસ્ટે મંદિર અને આજુબાજુ મંદિરની માલિકીની જમીન અર્પણ કરી નારાયણ બાપુએ અહીં આશ્રમની સ્થાપના કરી ત્યારબાદ સને.૧૯૭૬ માં નારાયણ બાપુએ બિદડામાં આશ્રમ સ્થાપ્યો. તેનો વિકાસ કરી એક વર્ષ પછી તે આશ્રમ ગામને સુપ્રત કર્યો !

હરિદ્વારમાં માયાપુર ગણેશધાટ પાસે શ્રી નિરંજન અખાડા છે. ત્યાના સ્વામીશ્રી ઈશ્વરભારતીજી એ નારાયણબાપુને સ્વામીશ્રી નારાયણનંદ સરસ્વતી નામાભીદાન આપી ભગવા ધારણ કરાવ્યા. આ દિક્ષા મહોત્સવ વખતે મુંબઈવાળા શેઠ ફુલચંદભાઈ કોઠારી, હરી ભગત અને પ્રેમજીભાઈ હરિદ્વાર આવ્યા હતાં. સને ૧૯૭૮ માં પૂ. નારાયણ સ્વામીએ જુનાગઢમાં આશ્રમ સ્થાપ્યો. ત્યાં શિવરાત્રી ના પંદર દિવસ સંતવાણી અને હરિહરનો કાર્યક્રમ રાખવામાં આવે છે. પૂ. નારાયણ સ્વામીજીએ સંતવાણી યોજાય જે ભેટ મળે તેમાંથી આશ્રમ ખર્ચ અને અન્ન્ક્ષેત્ર ચલાવતા તેમાંથી બચત કરી ચપ્લેશ્વર મહાદેવનું વિશાળ મંદિર બંધાવ્યું અને તા. ૬-૫-૧૯૮૪ નાં રોજ ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ત્યારબાદ ભારતમાં તેમજ દેશ-વિદેશમાં ભજન સંતવાણી નાં કાર્યક્રમો યોજી ખુબજ લોકચાહના મેળવી. અને ૧૯૮૬ નાં ડીસેમ્બર માસમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામકથાનું આયોજન કર્યું. ત્યારે પુ. બાપુ પાસે ફક્ત રૂ.૧૦,૦૦૦/- ની મૂડી હતી, અને આ ભવ્ય કથાના આયોજન માટે ફંડ એકત્રીત કરીને આ કથાનું આયોજન કર્યું આ કથામાં રોજના પચ્ચીસ હજાર લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી, અને પૂ. બાપુ રોજ રાત્રે ભજન કરતા હતાં ત્યારબાદ આ કથામાંથી જે કંઈ પણ બચત થઇ તેમાંથી આશ્રમનું નવનિર્માણ કર્યું અને અમુક સમય જતા પુ. બાપુની તબિયત અવારનવાર બગડતી હતી. ત્યારે બાપુએ વિચાર કર્યો કે, “હવે મારે આ આશ્રમ મારા શિષ્ય પ્રદીપાનંદ સરસ્વતીને સોંપી દેવો જોઈએ. એક દિવસ આ આશ્રમ આયોજન કરી પ્રદીપાનંદ સરસ્વતીને ગાદીપતિ બનાવ્યા. ત્યારબાદ ટૂંકાગાળામાં જ તો ૧૫-૯-૨૦૦૦ ની રાત્રે પૂ. નારાયણ બાપુ બ્રહ્મલીન થયા અને આ દુનિયાને છેલ્લા જય નારાયણ “કરી ગયા. સવારે ખબર પડતાની સાથે જ બધા લોકો આશ્રમે દોડી આવ્યા હતાં પ.પૂ. સંતશ્રી મોરારીબાપુ પણ નારાયણ બાપુને અંજલી આપવા ઉપસ્થિત રહ્યા હતાં.શ્રી પ્રદીપાનંદ સરસ્વતીજીએ પૂ. બાપુના બ્રહ્મલીન થયા પછી ખુબજ સારી રીતે આશ્રમનું સંચાલન કર્યું.

ત્યારબાદ ટૂંકાગાળા દરમ્યાન પ્રદીપાનંદ સરસ્વતીજી પણ બીમારીના કારણે બ્રહ્મલીન થયા. પ્રદીપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થયા પછી આશ્રમનું સંચાલન સંભાળી શકે તેવા કોઈ સાધુ ન હોવાથી આશ્રમ પૂ. સંતશ્રી બ્રહ્માનંદ ભારતી બાપુનોપરિચય થતાં ટ્રસ્ટીઓએ નિર્ણય કરી પૂ. શ્રી બ્રહ્માનંદ બાપુને આશ્રમ સંભાળવા વિનંતી કરી. આગ્રહ ને વશ થઈ ને પુ. શ્રી બ્રહ્માનંદ બાપુએ આશ્રમ નું સંચાલન સંભાળ્યું અને ટ્રસ્ટશ્રીઓએ તેમને ગાદીપતિ બનાવ્યા. પુ. શ્રી બ્રહ્માનંદ બાપુએ પોતાના સ્વ. ખર્ચે આશ્રમનું તેમજ ગૌશાળા નું નવનિર્માણ કરી પુ. નારાયણ બાપુની ઉપસ્થિતિનો સૌને અહેસાસ કરાવ્યો અને અત્યારે હાલ આશ્રમમાં ગૌશાળા તથા અન્નક્ષેત્રનું સંચાલન પુ. બ્રહ્માનંદ ભારતી ગુરૂ શ્રી પ્રેમભારતી બાપુ (ઘાટવડ) સંભાળી રહ્યા છે. આવી જ રીતે જુનાગઢ આશ્રમ બાપુના બ્રહ્મલીન થયા પછી પોતાના સ્વખર્ચે મકાનનું બાંધકામ ધૂણાનું કામકાજ અને જુનાગઢ આશ્રમ જંગલખાતા ની હેરાનગતિ અને મુશ્કેલી વેઠીને પણ એક ગુરુની ઈચ્છા પૂરી કરવા અને જુનાગઢ આશ્રમ ફરી જીવંત કરવામાં ચારણનું ખોળિયું ધરી માં નવલબા એ મહત્વનું યોગદાન આપ્યું છે. અને જુનાગઢ આશ્રમ સંભાળી રહ્યા છે.

શત શત નમન બાપુ ને જય નારાયણ જય માતાજી..........

સોમવાર, 16 જાન્યુઆરી, 2017

कवि उम्मेदराम जी पालावत

कवी उम्मेदराम जी पालावत

एक बार अलवर के राव बख्तावर सिंह जी अपने साथ प्रवीण शिकारी लेकर जंगल में शिकार करने गए ! वहा उन्होंने एक सूअर को गोली मारी ,मगर वह घायल होकर भाग गया ! शिकारियों ने सूअर की बहुत तलाश की मगर उसका कोई पता नहीं चला !
    अलवर के मालखाने दरवाजे के बाहर एक चमेली का बाग था , जहाँ रसूल - शाही फ़क़ीर का एक तकिया था और वह फ़क़ीर एक करामाती औलीया पुरुष था ! वह घायल सूअर उस फ़क़ीर के तकिये पर चला गया ! सूअर को घायल देखकर फ़क़ीर बहुत नाराज हुआ तथा उसने सूअर को घायल करने वाले राजा के पेट में असहनीय दर्द चालू कर दिया ! राजा को इतना भारी असहय दर्द हो रहा था की यदि उसका शीघ्रता से कोई उपचार नहीं किया गया तो राजा के प्राण निकल जायेंगे ! इसी दौरान गुप्तचरों ने राजा को बताया की सूअर तो रसूल शाही फ़क़ीर के तकिये पर गया हे ! और उसको घायल देखकर वह बहुत नाराज हुआ तथा आपके पेट में ये दर्द कर दिया हे !
     तभी राजा ने कहलवाया की इसमें मेरा कोई कसूर नहीं हे , सूअर तो तकिये से बाहर बहुत दूर था वहां गोली लगने के पश्चात तकिये पर गया हे हमने तकिये के अंदर उस पर कोई गोली नहीं चलाई हे इसके बाद भी उनको कोई नाराजगी हे तो में क्षमा चाहता हूँ !
   राव की यह बात सुनकर फ़क़ीर और अधिक नाराज हुआ , उसने राजा को कहलवाया की यदि वे अपने प्राण बचाना चाहते हे तो अपने दोनों हाथ बांधकर और उन पर रुमाल डालकर मेरे तकिये पर उपस्थित होवे और अपनी डाढी से तकिये पर झाड़ू लगावे ! यदि ऐसा नहीं किया तो उन्हें कुछ समय बाद अपने प्राण छोड़ने होंगे !
    यह सुनकर राव बड़े परेशान हुए ! उन्होंने अपने घनिष्ठ सरदारों से कहा की क्या हिन्दुओ में ऐसा कोई देवता हे जो मुझे स्वस्थ करे और मेरी इज्जत बचावे !
     स्तिथि बड़ी विकट थी हिन्दू धर्म की सत्ता व् शक्ति का भी प्रश्न था राव मरणासन्न की स्तिथि में पहुच गये , इस पर हणोतिया ग्राम के चारण उम्मेदराम जी पालावत ने कहा की हिन्दुओ में भी देवी देवताओ की कमी नहीं हे यदि आप कहे तो में शक्ति करणी को चडाऊ जिरजाओं व काव्य द्वारा आव्हान करके आपके पेट दर्द ठीक करने की प्रार्थना करू ! राव बख्तावर सिंह ने कहा की माँ शक्ति करणी को अविलम्ब बुलाओ वरना मेरा अंत हो जायेगा !
       उम्मेदराम पालावत ने दीपक की ज्योति जोड़कर चडाऊ चिरजाओं व काव्य से करुण पुकार की भावपूर्ण प्रार्थना करना आरम्भ किया  ! कुछ ही देर में महल के बुर्ज पर एक चील पक्षी के रूप में आकर , शक्ति विराजमान हुई ! कवी ने राव से कहा की बुर्ज पर चील के रूप में शक्ति करणी पधार गई हे ! आप दर्शन कर अपना पेट दर्द ठीक करे ! राजा ने खड़े होकर शक्ति करणी को अनेकों प्रकार से प्रार्थना कर के पेट ठीक करने को कहा ! कुछ क्षण में राजा का पेट दर्द बिलकुल ठीक हो गया ! वे बड़े प्रसन्न हुए ! राव बख्तावर सिंह ने अपने सिपाइयो को आदेस दिया की अधिक से अधिक रसूल शाही फकीरों के नाक - कान काट ली जावे ! सिपाइयो ने तत्परता से काम करते हुए लगभग 700 रसूल शाही फकीरों के नाकों को काट लिया !
      राव बख्तावर सिंह ने माँ करणी से पूर्ण आस्था रखते हुए पच्चीस हजार रुपये की पूजन सामग्री देशनोक भेजी ! जिसमे एक जडाऊ पादुका , एक जोडी सोने के किंवाड , एक जडाऊ छत्र , एक सोने की चौकी , एक सोने की छड़ी भी शामिल थे ! पादुका की जोड़ी अब भी मंदिर के खजाने में रखी हुई हे ! किंवाड की जोड़ी मंदिर द्वार पर चड़ी हुई हे ! राव जीवन पर्यन्त तक शक्ति करणी के अटूट भक्त रहे !
 
   शक्ति करणी के उस चडाऊ काव्य के दो कवित उम्मेद राम जी के कहे हुए इस प्रकार हे ------

    | छप्पय|
चंदू वेगी चाल ! चाल खेतल वड चारण !
तोरेे हाथ त्रिशूल ! धजाबंद लोवड धारण !!
वीसहथी इणवार ! देर मतकर डाढाली !
हरो रोग हिंगलाज ! करो ऊपर महाकाली !!
लगाज्यो वेर, पल हेक, मत ! आवडजी री आंण सूं !
आखता सिंह चढ़ आवज्यो ! माता मढ़ देसाण सूं !!१!!

गुंगी,गैली आव ! आव बहरी वरदाई !
हाल, आकुळी आव ! आव करनी मेहाई !!
देवल वेगी दौड़ ! देर मतकर अनदाता !
चालराय झट चाल ! मढ सूं आज्यो मात !!
बावड निभांण जूना बिडद ! आवड जी री आंण सूं !
आखता सिंह चढ़ आवजो ! देवी गढ देसांण सूं !!२!!

      गणपत सिंह मुण्डकोशिया 9950408090

चारण कविओ की थोडी जाणकारी.

⚔ *चारण* *कवियों* *की* *कडवी सच्चाई, स्पस्ट बयानी और* *निर्भीकता* *के* *कुछ* *उदहारण*⚔
      प्राचीन काल से ही चारणों की बात को सत्य समझा जाता था ,रामायण में लंका दहन के पश्चात  श्री हनुमान जी को सीताजी की चिंता हुई तब का उल्लेख हे की चारणो के वचन पर ही हनुमान जी को संतोष हुआ की सीताजी सुरक्षित हे ! मध्यकाल में जब राजपूताने में छोटे - छोटे राज्य परस्पर विस्तार हेतु लड़ते रहते थे ! राजा की सत्ता  सर्वोच्च थी उनके आदेश के विरुद्ध कंही भी सुरक्षा संभव नहीं थी ! तब भी चारणो ने अपनी निर्भीक होकर सत्य बोलने की परम्परा को निभाया हे तथा राजाओ व ठाकुरों को उनके कर्त्तव्य पथ से विचलित होने पर प्रताड़ना की हे ! इसके हजारों उदहारण हे -----
*1*  - अकबर की सेना का नेतृत्व कर जयपुर नरेश मान सिंह ने महाराणा पर चढाई कर दी जब उदैपुर में अपने घोड़ो पर सवार होकर मान सिंह पिछोला झील पर पहुचे तब गर्वोक्ति में घोड़ो से कहा की अब संतुष्ट होकर पानी पियो क्यों की यहाँ जोधपुर के मालिक के अलावा  और किसी ने घोड़ो को पानी नहीं पिलाया हे इस पर जयपुर के ही कविराजा जो उस समय वहीं पर थे ने मान सिंह को खरी खरी सुनाते हुए निम्न दोहा कहा -
 
*मान* *मन* *अंजसो* *मती,* *अकबर* *बल* *आयाँह* *|*
*वो* *जोधो* *राठोड* *तो,* *(निज)* *भुजा* *पांण* *पायाह* *||*
        मान सिंह कविराजा की बात पर अत्यन्त कुपित हुए और कविराजा को वंहा से हटा दिया साथ ही पिछोला झील से ही एक फरमान जारी कर तत्कालीन जयपुर रियासत की समस्त चारणों की जागीरें जब्त करली ,जो सात वर्ष तक जब्त रही ! उसके बाद पुन: धरना देकर बहाल करवाया !
*2*  - राव चूँडा का बचपन बहुत कठिनाइयों में बीता और उन्हें अपना बचपन कलाऊ गाँव में चारणों के यंहा बिताना पड़ा ! कालांतर में उनकी शादी मंडोर के राजा इन्दा जाती के राजपूत में हो गयी और उन्हें मण्डोर दहेज़ में मिला !
    राजा बनने के बाद राव चूंडा अपने बचपन के आश्रयदाता चारणों को भूल गया और अपने राज वैभव में मस्त हो गया तब एक दिन कवी ने उसे खरी खरी सुनाते हुए ये दोहा कहा --
*चूंण्डा* *आवे* *चीत,* *काचर* *कलाऊ* *तणा* |
*भड़* *बैठो* *भयभीत,* *मंडोवर* *रे* *मालियां* ||
    किसी भी शासक को इतनी नग्न एवं कटु सत्य बात सीधी कह देना बहुत बहादुरी का कार्य था !
*3*  - महाराणा भीम सिंह मेवाड़ की पुत्री की शादी पर जब बहुत बवाल हो गया और मेवाड़ को संकटों का सामना करने की समस्या पैदा हो गई तब उन्होंने तात्कालीक संकट को दूर करने के लिए अपनी पुत्री को मार डालना ही उचित समझा तब चारण कवी ने उन्हें इन शब्दों से फटकारा --
*भीमा* *तू* *भाटो* *मोटा* *मंगरा* *मातलो*
   क्यों की कोई पत्थर (भाटो) दिल ईन्सान ही ऐसा कृत्य कर सकता हे ! तो एक राजा को ऐसी फटकार कोई चारण कवी ही लगा सकता हे ! जिसे जिंदगी से भी ज्यादा सच्चाई पसंद हो ! जंहा कही भी राजा अपने कर्तव्यपथ से विचलित हुआ या जूठी शान दिखाई, तत्काल कविराज ने उसकी आलोचना या प्रताडना करने में कंही कसर नहीं रखी !
*4*  - जोधपुर के इतिहास प्रसिद्ध महाराजा अजीतसिंह की हत्या उनके ही पुत्र बखतसिंह द्वारा की गई , इनकी भर्त्सना तत्कालीन चारण कवियों ने खूब की हे इस अमानवीय कृत्य के लिए  बखतसिंह को जीवन में कई बार चारण कवि [दलपत बारठ] की फटकार सुननी व सहनी पड़ी ---
*बखता* *बखत* *बाहिरा,* *क्यूं* *मारयो* *अजमाल* |
*हिंदवाणी* *रो* *सेवरो,* *तुरकाणी* *रो* *शाल* |1|
*प्रथम* *तात* *मारियौ,* *मात* *जीवति* *जलाई* |
*असी* *चार* *आदमी,* *हत्या* *ज्यौ* *री* *पण* *पाई* |2|
*कर* *गाठो* *ईकलास,* *वेग* *जय* *सिंग* *बुलायो* |
*मेटी* *धरम* *मरजाद,* *भरम* *गांठ* *रो* *गमायौ* |3|
*कवि* *अणाहुंत* *कैवा* *करे,* *धरा* *उदक* *लेवणधरी* |
*बखतसी* *जलम* *पायो* *पछे,* *किसी* *बात* *आछी* *करी* |4|
*5*  - एक बार जब जोधपुर व जयपुर के महाराजा पुष्कर पर मिले सभी सभासदों के साथ सभा जुड़ी हुई थी ! तब मान सिंह जयपुर ने जोधपुर कविराजा करणी दान जी कवीया से कहा की कविराज सा हम दोनों में से श्रेस्ठ कोन हे तब निर्भीक व सत्यवादी कविराज ने कहा --
*ईत* *जेपुर* *उत*  *जोधपुर,* *दोनों* *ही* *थाप* *उथाप*|
*कुरम* *मारयो* *दीकरो*, *कमधज* *मारयो* *बाप* ||
   जयपुर कच्छवाहा को कुरम व राठोड़ों को कमधज कहा जाता हे
*6*  - जोधपुर के गौरवशाली इतिहास में सबसे ज्यादा चमकने वाला नक्षत्र हे तो वह हे दुर्गादास राठोड  जिन्होंने अपने जीवन में त्याग व स्वामी भक्ति को नई ऊचाईयाँ दी किन्तु जब महाराजा अजीतसिंह ने उन्हें राज्य से निर्वासित कर दिया तब चारण कवी इस अन्याय को सहन नहीं कर सके और उन्हें सीधी फटकार लगाते हुए जालोर जिले के केर निवासी भभूत दान जी ने अजीत सिंह को जबरदस्त फटकारा क्यों की अजीत सिंह ने अपनी राजकुंवरी इन्द्र्कुंवर का डौला दिल्ली भिजवाया ताकि दिल्ली के बादशाह खुश हो सके कवी ने इस पर न केवल शब्द प्रहार किये बल्कि मारवाड़ छोड़ सूंधा के पर्वतो में जाकर सन्यासी हो गए --
*रौवे रजपूती डब डब नयणा देखले | मन री* *मजबूती अख विसरियो तू अजा* |1|
*कालच री कुल में कमंद राची किम या रीत* | *दिल्ली डोलो भेजने अबखी करी अजीत* |2|
*मरुधर रो मुंडो कालो किम किधो कंवर* |
*असी घाव ऊंडो अबखो मन लागे अजा* |3|
*रण रा रंग राता खाता साहा रे सरण | नित जोडया* *नाता अवसल नाह रेसी अजा* |4|
*ईन्दर कवंरी ने हाय भेजी हूसैन संग* | *मेहणी मरूधर ने ईतीहासादीधी अजा* |5|
*7*  - महाराजा अजीत सिंह द्वारा दुर्गादास के निर्वासन का समाचार जब मृत्यु सैय्या पर पडे समरथदान ने सुना तो बीमार कवी ने कर्तव्य पथ का पालन करते हुए निम्न दोहे अजीतसिंह को कहे --
*रखवाली कर राजरी पाळी अणहद प्रीत*|
*दुरगा देसां काढने अबखी करी अजीत*|1|
*समौ तो पलटण सील हे राज बदल जुग रीत*|
*देसी मेहणी देसडा आगमतनै अजीत*|2|
*8*  - जोधपुर कविराज बांकिदास आशिया तो स्पस्ट व् कटु सत्य कहने में जरा भी हिचकते नहीं थे ! उन्होंने महाराजा मानसिंह को कई बार खरी खरी सुनाई और कई बार राजा का कोपभाजन भी हुए मगर सत्य से विचलित नहीं हुए बांकिदास का बचपन रायपुर में बिता था तथा रायपुर ठाकुर ने ही उन्हें जोधपुर तक पंहूचाया था बाद में मारवाड़ के कविराजा बने ! एक बार रायपुर ठाकुर जोधपुर किले में दरबार में पंहुचे तो बांकिदास जी खड़े होकर उनका स्वागत करने लगे ,यह बात महाराजा को नागवार गुजरी उन्होंने बांकिदास से कहा आप मारवाड़ के कविराजा हे ! यह एक साधारण ठाकुर हे इनके सामने खड़ा होना मेरे बेठे हुए यह राजगद्दी की तोहीन हे ! तब बांकिदास जी ने निर्भीकता से यह दोहा कहा --
*माणी ग्रीखम मांय पोख घणां द्रुम पाळियो* |
*जीण रो गुण किम जय , अज घण बुंठा ही अजा* ||
*9*  - एक बार जोधपुर नरेश बखत सिंह जी अपने घोड़े को पानी पिला रहे थे साथ ही थपकी देकर बाप बाप कहकर उसे सहला रहे थे तब कविराज बांकिदास जी ने कहा --
*बापों मत कह बगतसी, कांपत हे कैकाण* |
*एकर बापों फिर कहयो, तो तुरंग तजेला प्राण* ||
पितृहन्ता बखत सिंह के लिए इससे ज्यादा चोट करने वाले शब्द और क्या हो सकते हे !
*10*  - मेवाड़ के महाराणा को अंग्रेजो ने " सितारे हिन्द " की ऊपाधी से नवाजा था इसके सम्मान में दरबार सजाय गया तथा सभी अमीर उमराव तथा अंग्रेजो के ओफिसर मौजूद थे और सभी गुणगान कर रहे थे मगर कविराजा चुप थे ! इस पर महाराणा ने कविराजा से कहा ऐसे मोके पर आप चुप क्यों हे कुछ तो फरमाइये ,कविराज ने कहा --
*आगे आगे बाजता हिंदवां हद रा सूर* |
*अब देखो मेवाड़ पति तारा विया हजुर*||
*11*  -महाराणा फ़तेह सिंह जी का दिल्ली दरबार में जाने हेतु प्रस्थान तथा बारठ जी के " *चेतावनी रा चूंगट्या* " लिखकर भेजना तथा फ़तेह सिंह का रेवाड़ी से लौट आना आधुनिक काल की जग विख्यात घटना हे ! इस जाति की निर्भीकता राजाओ के सामने ही नहीं वरन किसी भी राजसत्ता को उन्होंने नही बख्सा, जब कुंवर प्रताप  सिंह बारठ आसानाडा रेलवे स्टेशन जोधपुर पर गिरफ्तार कर लिए गऐ और अंग्रेज अधिकारी चार्ल्स क्वीक लेंड उन्हें भय से व मार से नही डिगा सका तो प्रलोभनों से डीगाने की सोची ,प्रताप सिंह टस से मस नहीं हुए तो उन्हें भावनात्मक चोट करनी चाही और कहा तेरी माता तेरे लिए रो रही हे उसी वक्त उस चारण युवक के मुह से जो शब्द निकले वो इतिहास के पन्नो में स्वर्ण अक्षरों मे लिखे गए हे ! प्रताप सिंह ने निर्भीकता से कहा " *मेरी माँ रोती हे तो उसे रोने दो , मैं अपनी मां को हंसाने के लिए हजारो माताओ को नहीं रुला सकता* " और अंग्रेज ऑफिसर को कहा की बारठ से बात करने की तुजमे तमीज  नहीं हे तो यंहा से अपना मुह काला कर जाओ !
*12*  - राजा महाराजाओं के आपसी व्यवहार में जब किसी बात को सत्य की कसौटी पर कसना होता था तब कविराजा की साख उसमे डाली जाती थी ! मालदेव व भटियानी जी का प्रशंग इसका उदाहरण हे की महाराणी भटियानी ने स्पष्ट कह दिया था की में महाराजा का विश्वास नहीं करती कविराजा आप सही बात फरमावे , तब स्पष्टवादी कविराज आशानन्द जी चारण ने साफ कह दिया ---
*मान रखे तो पीव तज , पीव रखे तज मान* |
*दो दो गयंदन बंधसी , एक ही कमुठांण* ||
*13*  - जब राजस्थान मे अंग्रेज सत्ता के अधीन सभी राजा , महाराजा आ चुके थे तब उनके पास कोई अधिक कार्य करने को नहीं रहा तब ठाकुरों ने व सामन्तों ने अय्याशी करनी शुरू कर दी व प्रजा जनो को कष्ट देना शुरू किया तब साधारण चारण कवियों ने ऊन्हे फटकार लगाते हुए अनेक दोहे कहे जो आज जन सामान्य मे प्रचलित हें --
*रुळीयोडा रूळ रल रहया , मद चकिया माचंत* |
*धणियांणी  थारी  धरा  नुगरा  किम नाचंत* |1|
*ठाकर बाजो ठाकरां अवरां रा आधार* |
*कागमाळा रा कंवरडा मरीयोडा मत मार* |2|
*नित दारू नाडाह उपमा पायने उमगै* |
*जुलमी सै जाडाह गारत होसी गुमानियां* |3|
*लोई पीवो मत लाडलां ओ नह वाली वाट* |
*इक दिन पाणी उतरसी घर घर घाटो घाट* |4|
 भूल हेतू क्षमा और सुधार हेतु सुझाव आमन्त्रित 
*गणपत सिह चारण मुण्डकोशिया --9950408090*

ईसरा परमेसरा अवतरण

ईसरा परमेसरा अवतरण

    प्राचीन काल से गिरिनामा संन्यासी, नाथ योगी और अनेक श्रद्धालु हिंगलाजधाम की दुर्गम यात्रा करते आये हे ! इस पावन यात्रा को माई-स्पर्श करना कहते हे !
       एक बार गिरिनामा सन्यासियों की एक जमात माई-स्पर्श करने को मारवाड़ से सिंध प्रदेश की और बढ़ रही थी ! बाडमेर के निकट भाद्रेस ग्राम में जमात ने दोपहर का विश्राम लिया हारे-थके पदयात्री पेड़ो की छाया में सुस्ताने लगे ! गाव के प्रांगण में सामने ही सूरा चारण का घर था ! सूरा अपनी पोल में अनमना सा बेठा था ! जमात को देखते ही उसके मन में प्रसन्नता की लहर दोड़ गई सूरा ने जमात के महंत को भोजन प्रसादी के लिए आमंत्रित कर लिया ! तनिक अन्तराल के बाद वह जमात को बुलाने चला आया ! श्री महंत और साधुओ ने सूरा के घर भरपेट भोजन किया !
      महंत ज्वालागिरी को यह देख बडा आश्चर्य हुआ की एक ग्रामवासी ने पूरी जमात को इतने कम समय में मिष्टान बना कर केसे जिमा दिया ! भोजनोपरांत महंतजी ने सूरा से पूछा की भक्त तुमने भोजन प्रसादी इतने अल्प समय में केसे तयार कर ली ! सूरा चारण सरलवृति का एक सज्जन व्यक्ति था ! पहले तो वह बात को टालता रहा , किन्तु महंत जी का आग्रह देख उसने आप बीती सुना दी !
     शताब्दियों पूर्व गाव में सहकारिता की भावना से खेतो में सामूहिक श्रम कार्य चला करता था ! ग्रामवासी अवसर आने पर एकसाथ मिलकर काम करते ! जिसके खेत में श्रम कार्य चलता वह सबको मीठा भोजन बना कर खिलाता ! उस दिन सूरा ने अपने बीड का घास कटाने को ग्राम वासियों के लिए पकवान तेयार किया था , किन्तु उसका भतीजा ग्राम वासियों को अपने खेत में ले गया ! सूरा की पोल में कडाव भरा सीरा पड़ा ही रह गया ! सूरा के कोई संतान नहीं थी ! वह अपने भतीजे से कोई विवाद खड़ा करना नहीं चाहता था , अतः मन मसोज कर रह गया ! संयोगवश उसी समय गाव में जमात आ गयी और वह सीरा सूरा ने जमात को जीमा दिया !
         जब श्री महंत को इस घटना का पता लगा तो सूरा के भतीजे शिवराज को बुलाया ,सन्यासी के नाते उसे अपने पास बैठाकर स्नेह और सद्भाव का उपदेश दिया ! उपदेश सुनना तो दूर रहा , वह अविवेकी अकारण ही आपे से बाहर हो गया और क्रोधवस यह कह बेठा कि आप मोटे महात्मा हो , काकाजी को बेटा देदो !
    महंत मुस्कराए और बोले  " माई ने चाहा तो ऐसा ही होगा " भगवत्ती की अपार लीला हे ! एक वर्ष के अन्दर ही सूरा के घर ईसर आ गया ! घर में आनंद छा गया ! इस घटना को लेकर लोक प्रचलन में एक दोहा प्रसिद्ध हे !

    कापडियो हिंगलाज रो ,
                      हिंवाले गलियोह !
    सूरा   बारठ   रे    घरे,
                      ईसर अवतरीयोह !

         माई-स्पर्श कर महंत ज्वालागिरी ने एक शुभ संकल्प के साथ अपना शरीर त्याग दिया ! चारण समाज में शताब्दियों से यह मान्यता चली आ रही हे की ईसरदासजी पूर्व जन्म के महात्मा थे जो दया विचारकर सूरा बारठ के घर अवतरित हुए !
      नाभादास की भक्तमाल में चवदह चारण भक्तो का उल्लेख मिलता हे जिनमे भक्त कवी ईसरदास का नाम बड़े सम्मान के साथ लिया गया हे !   ------- जय ईसरा परमेसरा

        
  गणपत सिंह चारण(चांचडा), मुण्डकोशिया--9950408090

રવિવાર, 15 જાન્યુઆરી, 2017

ईसरा परमेसरा अवतरण

ईसरा परमेसरा अवतरण

    प्राचीन काल से गिरिनामा संन्यासी, नाथ योगी और अनेक श्रद्धालु हिंगलाजधाम की दुर्गम यात्रा करते आये हे ! इस पावन यात्रा को माई-स्पर्श करना कहते हे !
       एक बार गिरिनामा सन्यासियों की एक जमात माई-स्पर्श करने को मारवाड़ से सिंध प्रदेश की और बढ़ रही थी ! बाडमेर के निकट भाद्रेस ग्राम में जमात ने दोपहर का विश्राम लिया हारे-थके पदयात्री पेड़ो की छाया में सुस्ताने लगे ! गाव के प्रांगण में सामने ही सूरा चारण का घर था ! सूरा अपनी पोल में अनमना सा बेठा था ! जमात को देखते ही उसके मन में प्रसन्नता की लहर दोड़ गई सूरा ने जमात के महंत को भोजन प्रसादी के लिए आमंत्रित कर लिया ! तनिक अन्तराल के बाद वह जमात को बुलाने चला आया ! श्री महंत और साधुओ ने सूरा के घर भरपेट भोजन किया !
      महंत ज्वालागिरी को यह देख बडा आश्चर्य हुआ की एक ग्रामवासी ने पूरी जमात को इतने कम समय में मिष्टान बना कर केसे जिमा दिया ! भोजनोपरांत महंतजी ने सूरा से पूछा की भक्त तुमने भोजन प्रसादी इतने अल्प समय में केसे तयार कर ली ! सूरा चारण सरलवृति का एक सज्जन व्यक्ति था ! पहले तो वह बात को टालता रहा , किन्तु महंत जी का आग्रह देख उसने आप बीती सुना दी !
     शताब्दियों पूर्व गाव में सहकारिता की भावना से खेतो में सामूहिक श्रम कार्य चला करता था ! ग्रामवासी अवसर आने पर एकसाथ मिलकर काम करते ! जिसके खेत में श्रम कार्य चलता वह सबको मीठा भोजन बना कर खिलाता ! उस दिन सूरा ने अपने बीड का घास कटाने को ग्राम वासियों के लिए पकवान तेयार किया था , किन्तु उसका भतीजा ग्राम वासियों को अपने खेत में ले गया ! सूरा की पोल में कडाव भरा सीरा पड़ा ही रह गया ! सूरा के कोई संतान नहीं थी ! वह अपने भतीजे से कोई विवाद खड़ा करना नहीं चाहता था , अतः मन मसोज कर रह गया ! संयोगवश उसी समय गाव में जमात आ गयी और वह सीरा सूरा ने जमात को जीमा दिया !
         जब श्री महंत को इस घटना का पता लगा तो सूरा के भतीजे शिवराज को बुलाया ,सन्यासी के नाते उसे अपने पास बैठाकर स्नेह और सद्भाव का उपदेश दिया ! उपदेश सुनना तो दूर रहा , वह अविवेकी अकारण ही आपे से बाहर हो गया और क्रोधवस यह कह बेठा कि आप मोटे महात्मा हो , काकाजी को बेटा देदो !
    महंत मुस्कराए और बोले  " माई ने चाहा तो ऐसा ही होगा " भगवत्ती की अपार लीला हे ! एक वर्ष के अन्दर ही सूरा के घर ईसर आ गया ! घर में आनंद छा गया ! इस घटना को लेकर लोक प्रचलन में एक दोहा प्रसिद्ध हे !

    कापडियो हिंगलाज रो ,
                      हिंवाले गलियोह !
    सूरा   बारठ   रे    घरे,
                      ईसर अवतरीयोह !

         माई-स्पर्श कर महंत ज्वालागिरी ने एक शुभ संकल्प के साथ अपना शरीर त्याग दिया ! चारण समाज में शताब्दियों से यह मान्यता चली आ रही हे की ईसरदासजी पूर्व जन्म के महात्मा थे जो दया विचारकर सूरा बारठ के घर अवतरित हुए !
      नाभादास की भक्तमाल में चवदह चारण भक्तो का उल्लेख मिलता हे जिनमे भक्त कवी ईसरदास का नाम बड़े सम्मान के साथ लिया गया हे !   ------- जय ईसरा परमेसरा

        
  गणपत सिंह चारण(चांचडा), मुण्डकोशिया--9950408090

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...