ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 23 ડિસેમ્બર, 2022

એક અનોખો ભક્તિ યજ્ઞ કરતા લાખાભાઈ ગઢવી.

એક અનોખો ભક્તિ યજ્ઞ કરતા લાખાભાઈ ગઢવી.
 ─────────────────────
▪️જામ જોધપુરના લાખાભાઇ અવિરત ૨૦ વર્ષથી મઢડા જ્યોત લેવા પગપાળા જાય છે. 

 ▪️જ્યાં શ્રધ્ધા છે ત્યાં સર્વસ્વ અર્પણ છે. જયાં શ્રધ્ધા છે ત્યાં સુધી પહોંચવા તેમજ નિયમ જાળવવા જગતનો કોઇ વિઘ્ન વચ્ચે આવી શકતો નથી તેનો પુરાવો આપી રહ્યા છે, લાખાભાઇ ગઢવી.  જામ જોધપુરના લાખાભાઇ ગઢવી જે છકડો રીક્ષા ચલાવતા સામાન્ય માણસ છે પણ તેમનો શ્રધ્ધાનો દિવડો જોંતા તેઓ સામાન્ય નહીં પણ  વ્યકિત વિશેષ જણાય છે. 

▪️તેઓ દર વર્ષે સોનલ બીજ પર પોતાનો કામ ધંધો બંધ રાખી  જામજોધપુરથી સોનલધામ મઢડા ખાતે અંદાજે ૧૦૦ કિમી જેટલું ચાલીને જ્યોત જાય છે. આ વર્ષે પણ નિયમ અનુસાર તેઓ સોનલ ધામ મઢડા ખાતે  જ્યોત લેવા પગપાળા નીકળી ગયા છે. તેઓ સોનલધામથી સોનબાઇ માંની જ્યોત લઇને પરત  જામજોધપુર પહોંચતાં પહેલા આગલી રાત્રે નજીકમાં આવેલા નાગબાઇમાના મંદિર, પાટણ  રોકાસે અને બીજના દિવસે  વહેલા જામ જોધપુર પહોંચી  સોનબાઇ માનાં મંદિરમાં તેઓ  જ્યોત પધરાવશે. 

▪️જેના હ્રદયમા લાખાભાઇ જેવી શ્રધ્ધા હોય તેના પર માતાજીની કૃર્પા અને આશિષ ચોક્કસ ઉતરે છે. ધન્ય હો લાખાભાઇ, ધન્ય હો ચારણ...  જય આઇ સોનબાઇ માં..

─────────────────────

સોનલબીજ


" સોનલબીજ "
આપણે સૌ સોનલબીજ આવવાની રાહ જોતા હોઈએ છીએ. બે માસ અગાઉથી સોનલબીજ ની પોસ્ટ ફોરવર્ડ કરીએ છીએ અને વાચીએ છીએ અને સામ્ભળીએ છીએ અને મનોમન રાજી થઈએ છીએ. અને આખરે ચારણ સમાજનો એ ભવ્યાતિભવ્ય દિવસ આવી ગયો. 

સોનલબીજ એ ખરેખર ચારણ એક ધારણનો પ્રસંગ બની રહેતો હોય છે. નાના મોટા અબાલ વૃધ્ધ સૌ ચારણોના હૈયામા હરખ સમાતો નથી . આનુ કારણ એ મા સોનલની ચેતના છે. મા ને ચારણો ભેગા મળે , સમાજ માટે , શિક્ષણ માટે સારા કાર્યો કરે એ બહુ ગમતુ હતુ. તો દરેક ચારણની ફરજ થાય છે કે સોનલબીજ ઉત્સવ નિમિત્તે કઈક સેવા કરવી કે સમાજ માટે કઇક સેવા કરવી . સેવા ધન વડે , શ્રમ વડે, સમય આપીને,સારા વિચારો આપી કે સેવા કરનારને મદદ કરીને કોઈપણ રીતે કરી શકાય તો જ સોનલબીજ ઉજવી એ સાર્થક ગણાય. 
મા સોનલનુ સ્વપ્ન હતુ કે ચારણ સમાજ શિક્ષીત બને અને ઉચા હોદ્દા અને પદ વાળી નોકરી મેળવે આજે એ સાર્થક થતુ આપણે જોઈ રહ્યા છીએ . એ પણ મા ની દિવ્ય ચેતનાના આશિર્વાદનુ જ પરિણામ છે. એટલે જ મા સોનલ આપણને બહુ વાલા લાગે છે અને સોનલબીજ નો હરખ કયાય સમાતો નથી. 
મા ના બધા આદેશ ન પણ પાળી શકો પણ સોનલબીજે એક વ્રત લેવુ જોઈએ કે કયારેય મારા માનસપટ પર ઇર્ષા ને હાવી નહી થવા દઉ . મા સોનલના સંતાન તરીકે કાયમ મારૂ ચારણત્વ ટકી રહે એવુ જીવન જીવીશ .આવો સંકલ્પ એજ સોનલબીજ ની સાચી ઉજવણી છે. 
  ચારણ સમાજને સોનલબીજ નિમિત્તે મારા વંદન સહ જય સોનલ. 🙏
પ્રવિણભાઈ સોયા
ભાવનગર