ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2020

ચારણ સમાજનુ ગૌરવ ડો."માલાબેન"

મૂળ 'જામથડાની' મેડિકલ ક્ષેત્રે ''માલા'' અને ઈજનેરમાં 'ઇલા' કોરોના વોરીઅર્સ તરીકે વાપીમાં તબીબી ક્ષેત્રે કાર્યરત ગામ નાના-અંગીયાના ડો.માલાબેન આઇદાન ગઢવી..


  • ડો.માલાબેન ગઢવીનો શરૂઆતી સમય..
સ્વભાવે શાંત અને નાનપણથી અભ્યાસુવૃત્તિ ધરાવતી શાળા માં શિક્ષકો ના ફેવરિટ વિધાર્થીઓ માં ની અભ્યાસ માં અવ્વલ ગઢવીભાઈની બન્ને સુપુત્રીઓ માલા અને ઇલાનું શરૂઆતી શિક્ષણ અહીંની સરકારી પ્રાથમિક સ્કૂલમાં થયેલું.સરકારી સ્કૂલથી એ સર્જન બન્ની શકાય એનું જીવતું-જાગતું ઉદાહરણરૂપ..!!પિતાશ્રીને પેસેન્ટને તપાસતા જોઈને નાનપણથી સર્જન બનવાનું પેસન માલા ગઢવીના મનમાં સર્જાયું હતું..!!આ સેવેલું સપનાને સાકાર કરવા તરફની દોડ માં વિથોણ ખેતાબાપા સ્કૂલ,ત્યારબાદ ભુજ માતૃછાયામાં સ્કૂલમાં કરેલ સાયન્સ વિષયમાં ખૂબ મહેનતે ધાર્યું પરિણામ મેળવવામાં મદદરૂપ સાબિત થયું.ભુજની જાણીતી અદાણી મેડિકલ કોલેજમાં (M.B.B.Sની) ડિગ્રી પ્રાપ્ત કરીને ગામની સાથે ડો.ગઢવી સાહેબનું પણ ગૌરવ માલા એ વધાર્યું છે.પેશન અને પરિશ્રમ ગમે તેવી વિકટ પરિસ્થિતિ માંથી પણ ઈચ્છિત પરિણામ સુધી પોહચાડે તેવું ડો.માલા બેન ગઢવીનું માનવું છે..

કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે શરુ કરેલી દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી તરીકે પ્રજાસત્તાક દિને પ્રથમ વખત શાળા માં ધ્વજવંદન કરેલ. 
  • કેન્દ્ર સરકારની કોવિડ-19 વાપીમાં કાર્યરત..

હાલ કોવિડ-19 કોરોના વાઇરસ આખા વિશ્વ માટે એક માથાના દુખાવા સમાન છે.અને ભારતમાં જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે, અંદાઝે 20,000,00 વીસેક લાખ ઉપર પોહચી ગયો છે. જેમને સંક્રમિત થવાનો ખતરો રહેલો છે તેવા ગંભીર સમયે ગુજરાત રાજ્યના ''વાપી'' સ્થિત કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ ડેડીકેટેટ E.S.I.C હોસ્પિટલમાં PPE કિટમાં સજ્જ ડો.માલાબેન ગઢવી એક કોરોના વોરોઅર્સની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે સમગ્ર ગામ અંગીયા અને આજુબાજુનો વિસ્તાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે..

જીવનમાં જબરદસ્ત રહો,મેડિકલમાં મસ્ત અને વ્યસ્ત રહો તેવી માં મોગલના ચરણોમાં પ્રાર્થના સાથે અનેકઘણી ચારણત્વ બ્લોગ ની શુભેચ્છાઓ...


શ્રી જબ્બદાન નારણજી રત્નુ (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય નું શુભ ઉદ્ઘાટન


શ્રી જબ્બદાન નારણજી રત્નુ (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય નું શુભ ઉદ્ઘાટન

સહર્ષ જણાવવાનું કે આઇશ્રી સોનલ માં તથા કુળદેવીશ્રી ની અસીમ કૃપાથી આદિપુર મધ્યે *શ્રી જબ્બદાન નારણજી રત્નુ (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય* નું શુભ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે  

તા :-  ૨૧-૮-૨૦૨૦ શુક્રવારના શુભદિને 
હવન :- સવારે ૮ થી ૧૧.૩૦ 
ભોજન સમારંભ :: બપોરે ૧૨.૩૦ 

શુભ સ્થળ :- 
પ્લોટ નં . ૩૭૭/૩૭૮ , વોર્ડ ૩ / એ ,
 મૈત્રી રોડ , સંતોષીમા ચાર રસ્તા ,
 આદિપુર - કચ્છ . પીન . ૩૭૦૨૦૫
 મો . ૯૮૭૯૫ ૦૭૦૧૫ 
        ૮૮૪૯૬ ૯૨૫૯૧ 

નિમંત્રક :- 
શ્રી અમિત જે . ગઢવી મેમોરીઅલ
 ચેરીટેબલ ટ્રસ્ટ - આદિપુર ( કચ્છ )

 ખાસનોંધ :
 હાલની પરિસ્થિતિ ધ્યાને રાખીને સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ સાદગી પૂર્વક અને મર્યાદિત ધોરણે કરવામાં આવી રહ્યું છે .

શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી થવા બદલ વિશ્રામભાઇ મોમાયાભાઇ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ

વિશ્રામભાઇ  મોમાયાભાઇ ગઢવી (ભીંસરા પ્રા.શાળા)

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ  માટે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ..
💐💐🌷🌹🌹🌷💐💐

રાજકોટના હિતેષ ગઢવી (નરેલા), પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામ્યા...


રાજકોટના હિતેષ ગઢવી (નરેલા), પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામ્યા...                                    


         *ગુજરાત રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય, ઉત્તમ સહ-અભ્યાસિક પ્રવૃતિઓ અને સરાહનીય સામાજિક યોગદાન બદલ પ્રસંશનીય ફરજ બજાવતાં કર્મશીલ કર્મયોગીઓને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે.*

                   *આવતીકાલે, ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગઢવી સમાજની યુવા પ્રતિભા હિતેષ ગઢવી (નરેલા) ને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે.*

                        *અત્રે ઉલ્લેખનીય છે કે, કટાર-લેખક, વક્તા અને લોક-સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં તેઓ તાજેતરમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક પામ્યા છે.*

                *ગઢવી સમાજની અનેક સેવાભાવી સંસ્થાઓમાં સેવારત રહી તેઓ સામાજિક ઋણ અદા કરી રહ્યા છે. તેઓના મોબાઇલ નંબર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.*

*શ્રી હિતેષ ગઢવી (નરેલા),*
*રાજકોટ.*
*મો.૯૯૨૪૮ ૧૦૫૯૪*

બુધવાર, 12 ઑગસ્ટ, 2020

आज वाग्या छे वधायुं केरा पावा रे

👏🙏👏 जय श्री कृष्ण 👏🙏👏

गोकुळ मां तथा सर्वस्व जगत मां भगवान श्री कृष्ण ना जन्मनी वधामणी करी गरीब के तवंगरने घेर पुत्रजन्मना उत्सवथी बीजो वधारे आनंद शुं होय? ए वखते गोवाळीयाओ पावा, वासळी वगेरे सुंदर रागथी वगाडवा मांड्या.घी,दुध,माखण, अने गुलाल ना कीचड शेरीओमां जामीगया

भगवान श्री कृष्ण ना अवतारनी असर भक्तो अने असुरो पर शुं थइ? तेनुं अा भजन मां वर्णन पद्मश्री परम पुजय काग बापु करे छे 

आज वाग्या छे वधायुं केरा पावा रे 
नंद बावाजी ना नेसमां जी

आज वाहुलीया मधुरा लाग्या पावा रे...नंद बावाजीना...
आज  गांधर्व लाग्या छे गुण गावा रे...नंद बावाजीना....

व्रज हरखातो जातो, फणी फडकातो (२) 
उठ्या अणदीठा उत्पातो रे...दानव केरा देशमां जी..

फुलडे वेरी छे रुडी,गोकुळ नी शेरीयुं (२)
कंपी उठी कंसनी कचेरी रे...वेरी छे बाळा वेशमां जी 

अडसठ तीरथ, बेठा पाणीआरे (२)
गंगाजीना धोळा झबक्यां वारि रे...जमनाना केळा केशमां जी

"काग" जोगमाया जागी,छोडीने समाधी (२)
मा'देवे आविने भिक्षा मांगी रे...वेरागी केरा वेशमां जी 

💐रचना -- पद्म श्री चारण कवी काग बापु💐

🌹टाइपिंग -- राम बी गढवी 🌹
नविनाळ कच्छ 
फोन नं. --- 7383523606



👏💐 सर्वे मित्रोने जन्मास्टमी ना पर्वनी नी हार्दिक शुभकामना 👏💐

💐 वंदे सोनल मातरम 💐

पूरे अस्तित्व को कृष्ण जन्म की बधाई " आईश्री कंकुकेशरमां राजस्थान


करारविन्देन पदारविन्दं मुखारविन्दे
 विनिवेशयन्तम् ।
 वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं
 मनसा स्मरामि ।। 

पूरे अस्तित्व को कृष्ण जन्म की बधाई " आईश्री कंकुकेशरमां राजस्थान

મંગળવાર, 11 ઑગસ્ટ, 2020

द्वारकामां कोई तने पूछशे के काना .ओली गोकुळमां कोण हती राधा . तो शुं रे जवाब दईश माधा ?



*ईशुभाई गढवी रचित एक रचना*

द्वारकामां कोई तने पूछशे के काना .
ओली गोकुळमां कोण हती राधा .
   तो शुं रे जवाब दईश माधा ? 

तारुं ते नाम तने याद नो'तुं
 तेदि'थी राधानुं नाम हतुं होठे .
ठकराणां - पटराणां केटलाय हता
 तो ये राधा रमती'ती सात कोठे .
राधाविण वांसळीना वेण नहीं वागे 
शीदने सोगंध अेवा खाधा .
तो शुं रे जवाब दईश माधा ? 

राधाना पगलामां वाव्युं वनरावन 
फागण बनी एमां महेक्यो .
राधाना एकेका श्वास तणे टोडले 
अषाढी मोर बनी गहेक्यो .
आज आघेरा थई ग्या कां राधाने वांसळी
 एवा ते शुं पड्या वांधा .
तो शुं रे जवाब दईश माधा ? 

घडीकमां गोकुळ ने घडीक वनरावन
 घडीकमां मथुराना महेल .
घडीकमां राधा ने घडीकमां गोपीओ 
घडीक कुब्जा संग गेल .
हेत प्रित न्होय राज खटपटना खेल
 कान स्नेहमां ते होय आवा सांधा 
तो शुं रे जवाब दईश माधा ?

*कृष्णनो जवाब ::--*

गोकुळ वनरावन ने मथुरा ने द्वारका
 एे तो पंड्ये छे पहेरवाना वाघा .
राजीपो होय तो अंग पर ओढीये 
नहीं तो रखाय एेने आघा .
आ सघळो संसार मारा सोळे शणगार 
पण अंतरनो आतम एक राधा .
हवे पुछशो मां कोई मने कें कोण हती राधा ?

*रचना :- ईशुभाई गढवी*

*रचना चारणत्व ब्लॉग पर जोवा माटे :-
http://charantv.blogspot.com/2016/09/blog-post_40.html

     
                    🙏🏻 वंदे सोनल मातरम् 🙏🏻

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

ચારણ સમાજનું ગૌરવ નિવૃત જજ વી.વી. ગઢવી સાહેબ


સૌરાષ્ટ્ર - કચ્છના એક હજારથી વધુ કેસની થશે નિયમીત સુનાવણી 

સૌરાષ્ટ્ર - કચ્છના જમીન વળતરના કેસ નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં ખાસ પ્રમુખ અધિકારીની કરવામાં આવેલી નિમણુંકનો ચાર્જ આજે નિવૃત જજ વી.ડી.ચારણે સંભાળી લીધો છે અને આવતીકાલથી જ જમીન સંપાદનના વળતરના એવોર્ડ સામે થયેલ કેસોની અપીલની સુનાવણી શરૂ કરવામાં આવશે . રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં જમીન સંપાદનના વળતર મામલે અલગથી ટ્રીબ્યુનલ શરૂ કરવાની જાહેરાત બાદ પ્રમુખ અધિકારી તરીકે સરકારે નિવૃત પ્રિન્સીપલ જજ વી.ડી.ચારણની નિમણુંક કરવામાં આવી છે . તેઓ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે હાજર થઈ ચાર્જ સંભાળી લીધો છે . હાલ તુરંત , પ્રમુખ અધિકારી મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાં બિરાજમાન થશે . આવતીકાલથી જીલ્લા કલેકટર દ્વારા પ્રથમ માળે ચલાવવામાં આવતાં અપીલ કેસના બોર્ડના રૂમમાં જમીન સંપાદનના કેસોની સુનાવણી શરૂ કરશે . બુધવાર સિવાય પ્રમુખ અધિકારી દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છનાં 12 જીલ્લાના 1000 થી વધુ કેસનો નિકાલ કરવા સુનાવણી હાથ ધરવામાં આવશે . જમીન સંપાદનના વળતર સામે થયેલા કેસના નિકાલ માટે પ્રમુખ અધિકારી સહિત અલગથી મહેકમ રાજ્ય સરકારે મંજૂર કર્યું છે . તેમાં મામલતદાર , બે નાયબ મામલતદાર , એક કારકૂન અને એક ડ્રાઈવર સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે

આજે જુનાગઢ ભવનાથ તળેટી માં શેરનાથ બાપુના આશ્રમે ભગવતી સ્વરુપા આઈશ્રી બનુમાઅે સાધુ સંતો ને બ્રહ્મ ભોજન કરાવેલ



આજે જુનાગઢ ભવનાથ તળેટી માં શેરનાથ બાપુના આશ્રમે ભગવતી સ્વરુપા આઈશ્રી બનુમાઅે સાધુ સંતો ને બ્રહ્મ ભોજન કરાવેલ 

જેમાં માં સાથે મઢડાથી ગિરીશાઅપા તથા જૂનાગઢ થી સામતભાઈ તથા આપડા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા