ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2020

રાજકોટના હિતેષ ગઢવી (નરેલા), પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામ્યા...


રાજકોટના હિતેષ ગઢવી (નરેલા), પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામ્યા...                                    


         *ગુજરાત રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય, ઉત્તમ સહ-અભ્યાસિક પ્રવૃતિઓ અને સરાહનીય સામાજિક યોગદાન બદલ પ્રસંશનીય ફરજ બજાવતાં કર્મશીલ કર્મયોગીઓને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે.*

                   *આવતીકાલે, ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગઢવી સમાજની યુવા પ્રતિભા હિતેષ ગઢવી (નરેલા) ને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે.*

                        *અત્રે ઉલ્લેખનીય છે કે, કટાર-લેખક, વક્તા અને લોક-સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં તેઓ તાજેતરમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક પામ્યા છે.*

                *ગઢવી સમાજની અનેક સેવાભાવી સંસ્થાઓમાં સેવારત રહી તેઓ સામાજિક ઋણ અદા કરી રહ્યા છે. તેઓના મોબાઇલ નંબર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.*

*શ્રી હિતેષ ગઢવી (નરેલા),*
*રાજકોટ.*
*મો.૯૯૨૪૮ ૧૦૫૯૪*

4 ટિપ્પણીઓ: