ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

લેબલ चारण कविओ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ चारण कविओ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2018

આજે " દાદુદાન પ્રતાપદાન મીસણ" (કવિ દાદબાપુ) નો જન્મ દિવસ છે


આજે તારીખ ૧૧/૯  ને આપણા કવિ શ્રી દાદુદાન પ્રતાપદાન મિસણ "કવિ દાદ"નો જન્મ દિવસ છે


આ ઊજળા અવસરે તેમને જન્મ દિવસની અનંત શુભેચ્છાઓ.


*"આવો  કવિ દાદ " ના જન્મદિવસે તેમના વિશે થોડું જાણીયે...*


પૂ. કાગ બાપુના પેગડામાં પગ મૂકવાની નરવી શક્તિ ધરાવતા કવિ " દાદ " લોક હૈયાના અગોચર ખૂણે રમતા રૂજુભાવોને પોતાના કાવ્યમાં મુગ્ધ ઝરણા જેવી મધુરી, રમતિયાળ શૈલીમાં આલેખે છે.

કવિ " દાદ " આલા દરજ્જાના લોકમાન્ય અને લોકભોગ્ય ચારણ કવિ છે.

' ટેરવા ' એટલે શબ્દની કેડી પર લય અને ભાતીગળ વેલ્ય...

કવિ " દાદ " ની અતિપ્રસિદ્ધ, અવિસ્મરણીય, અદભુત કવિતા એટલે " કાળજા કેરો કટકો " માત્ર ગુજરાત, ભારતમાં જ નહીં બલકે વિશ્વભરમાં  પણ જ્યાં અને જ્યારે પણ લોકગાયક ગાય ત્યારે દસ-વીસ વરસ પહેલાંય જેણે દીકરીને સાસરીયે વળાવી હોય તેવા મા-બાપ કે જેને ત્યાં દીકરી હોય એમ હંમેશા રહ રહ રોતા સહુએ ભાળ્યા છે.

કુંવારી કલ્પના આલેખતી કવિ  દાદની અમર રચના એટલે " ઠાકોરજી નથી થાવું "

આઈ આવડને ચરજ રૂપે આરધતા લખે છે કે,

" આવડ તું ઉપરેં ઓ રે, બાઈ તુંને બાળ બોલાવે ".

તેમની રચનાઓમાં શબ્દનો પ્રચાર નહીં પણ અંતરનો ઉપચાર છે.


જન્મદિવસની ખુબ ખુબ શુભકામના સાથે માતાજી પાસે લાંબા દીર્ઘાયુષ્યની શુભેચ્છા અને પ્રાથના.....

પ્રસ્તુતિ નિજાનંદ.

દાદુદાનપ્રતાપદાન ગઢવી (કવિ ‘દાદ’)ની સાહિત્ય સાધનાની અર્ધી સદી થઇ છે. કવિ દાદએ ‘કાળજો કેરો કટકો’ ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ‘હિરણ હલકાળી’ જેવી ગુજરાતની લોક સંસ્કૃતિને જન માનસ સુધી પહોંચાડતી લોકપ્રિય કવિતાઓની રચના કરી છે. કવિ દાદના સમગ્ર કાવ્ય સંગ્રહ ‘ટેરવાં’ અને ‘લછનાયન’ની વિમોચન વિધિ મોરારીબાપુના હસ્તે 14મી ઓક્ટોબરને શુક્રવારે સાંજે 4 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ રાજકોટમાં થશે.

કવિ દાદની સાહિત્ય સાધના અર્ધી સદી પૂરી થવામાં છે. સમયગાળા દરમિયાન ‘ટેરવાં’ ભાગ-4, ‘ચિત્તહરનું ગીત’ ‘શ્રીકૃષ્ણ છંદાવલી’ ‘રામનામ બારાક્ષરી’ વગેરે પુસ્તકો ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્ય ક્ષેત્રને મળ્યા છે. કવિ દાદના કેટલાક પુસ્તકો ઘણા વર્ષોથી અલભ્ય હતા. રાજકોટની પ્રકાશન ક્ષેત્રેની સંસ્થા પ્રવીણ પ્રકાશન દ્વારા દાદના સમગ્ર સાહીત્યના બે પુસ્તકમાં પુન: મુદ્રણ કરવામાં આવ્યું છે. ગોપાલભાઇ પટેલના જણાવ્યા મુજબ 824 પાનાંના બે પુસ્તકોમાં કવિ દાદની તમામ રચનાઓનો સમાવેશ કરાયો છે.

કાવ્યસંગ્રહ મોરારિબાપુ વાંચકો સન્મુખ મૂકશે

                    || દોહો ||

કવિ કુંવારા વેણ નો.અદભુત કલ્પન યાદ,

મિશણ કુળ મોંધુ રતન,દિવ્ય કવિ ભવ્ય દાદ.

રચના :-કવિ પ્રવીણભાઈ મધુડા

95109 95109


ગુજરાતી લોકસાહિત્યની ધરોહર સમાન કવિ દાદબાપુને (દાદુ દાન ગઢવી)ને જન્મ દિવસની શુભેચ્છા ! કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. સાત દાયકાથી વધારે ના તેમના અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય ભેટ સમાજને ચરણે ઘરી છે. તેઓ છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસી રહ્યા છે. જે આગળ પણ યથાવત રહે તેવી માં ભગવતિ ને પ્રાર્થના.





સોમવાર, 19 માર્ચ, 2018

शूरवीर चारण "कानाजी आढा"

शूरवीर चारण कानाजी आढा द्वारा आमेर के शासक सांगा को मारकर अपने मित्रवत् स्वामी करमचंद नरूका का वैर लेना
ज्यादा से ज्यादा शेयर करावे।
(इतिहास के अनछुए पहलू)

लेखक डा नरेन्द्रसिंह आढा
इतिहास व्याख्याता
रा उ मा वि घरट जिला सिरोही
(सन्दर्भ ख्यात देश दर्पण पृ स 28-29 कृत दयालदास सिंढायच व श्यामलदास जी दधवाडिया कृत वीर विनोद के भाग 3 के पृ स 1275)
बीकानेर की धरती के कानोजी आढा चारण जाति के बडे शूरवीर योद्धा थे कानोजी आढा दुरसाजी आढा की तरह कलम व कृपाण दोनो में सिद्धहस्त चारण थे। कानोजी अमल खूब खाते थे इनके अमल ज्यादा खाने से इनके भाईयों इन्हें घर से निकाल दिया ये अम्ल की जुगाड में इधर उधर ठिकाणों में जाने लगे।ये घुमते हुए आमेर की सीमा में आ गये। इस बीच इनके पास से अम्ल कही रास्ते में गिर गया। चलते चलते इनके अम्ल का वक्त हो गया और इनके अम्ल की पोटली रास्ते में गिरने से इनका अम्ल का नशा उतर जाने से चक्कर आकर गिये पडे।ये जहां गिरे उनके नीचे काला भयानक सांप नीचे दब गया। सांप के नीचे दबने से सांप ने इन्हें दो चार जगह से काट दिया जिस वजह से इनके जहर चढने से ये होश में आ गये इन्होंने उस सांप को अपने विशाल शरीर के नीचे दबा पाया तो उन्होने उस सांप को जीवित ही पकड लिया और एक मिट्टी के बर्तन में डालकर उसका मूंह ढक दिया। कानोजी जहां भी जाते उस सांप को अपने साथ रखते और उसे दूध पिलाते और मांस खिलाते थे जब कानोजी के अम्ल खाने का वक्त होता तो वे उस सांप से स्वंय को कटवाते और उनके अम्ल का नशा हो जाया करता था।इस तरह से वे मोजाबाद के करमचंद नरूका के पास पहुंच गये।

कमरचंद नरूका बडे ही साहसी राजपूत थे इन्होने आमेर के राजा रतनसी के समय में उनके खालसा के 40 गांव पर कब्जा कर लिया और अपना रूतबा खूब बढा दिया अपने पास 200 राजपूत सदैव उनकी चाकरी में हाजरी रहते थे। करमचंद नरूका राजपूतों को कडाव में दूध रडाके उसमें मिसरी मिलाकर आधी रात को जगा जगाकर पिलाते थे कानोजी आढा भी इन राजपूत सरदारों के साथ करमचंद के यहां रहने लग गये। करमचंद नरूका ने कानोजी के सांप को छुडावा दिया इनको खाने को खूब अम्ल मिलने लग गया और मिसरी मिलाये हुए दूध के कटारे भर भरके पावे है करमचंद और दूसरे सभी राजपूत पहले कानोजी की अम्ल व दूध पीलाने की मनवार करते थे बाद में वे खूद लेते थे। कानोजी आढा के मित्रवत् स्वामी करमचंद को धोखे से आमेर के सांगा ने मरवा दिया । इस पर कानोजी आढा साथी राजपूतों पर आग बूगला होकर कहते है आप सभी राजपूतों को लाणत है जो करमचंद तुम सभी राजपूतों को जगा जगाकर रढाया हुआ दुध मिसरी डालकर पिलाता था वह अकेला मरा गया आप सबके जीवित रहने में धिक्कार है तब साथी राजपूतों ने कहा उसके साथ धोखा तो उसके भाई की वजह से हुआ है आप हमें क्यों मेणी दे रहे हो और करमचंद तो सबसे पहले तो आपको दूध की मनवार करता था इस बात से कानोजी आढा कुद्ध हो गये और सभी राजपूतों को कहा कि मैं करमचंद नरूका का वैर जब तक नही ले लेता हूं तब तक अन्न ग्रहण नही करूंगा और कानोजी आढा ने अन्न का परित्याग कर दिया अब उन्होंने दूध व फलार ही लेना स्वीकार किया।

करमचंद नरूका के वैर लेने की प्रतिज्ञा लेकर कानोजी मोजाबाद से आमेर आ गये। आमेर में सांगा के राज करते हुए छ महीने ही हुए थे सांगा बीकानेर की मदद से आमेर के शासक हुए थे बीकानेर से सांगा की मदद के लिए आने वाले सभी सरदार सीख लेकर बीकानेर लौट चुके थे। महाजन के ठाकर रतनसीजी लूणकरणोत सांगा के मामा थे वे अभी भी आमेर ही थे चूंकि कानोजी आढा बीकानेर के ही थे अतः वे रतनसी बीकानेर वालों के डेरे में रहने लगे। कानोजी आढा का इस तरह से रतनसी के मार्फत  सांगा के दरबार में आना जाना शूरू हो गया।सांग भी इनकी खूब मान मनवार नानाणे के होने के कारण रखने लगे। कानोजी आढा पृथ्वीराज रासो का बहुत अच्छा वाचक होने के कारण सांगा उनको बुलावा के उनसे पृथ्वीराज रासो सूनते थे इधर कानोजी आढा करमचंद के वैर लेने की फिराक में था लेकिन वह इस बात की भी पुष्टि चाहता था कि करमचंद के साथ वास्तविक चूक कैसे हुआ ??
एक दिन संयोग से मोजाबाद के करमचंद नरूका की बात चल पडी तब सांगा ने करमचंद नरूका को परम हरामखोर कह दिया तब कानोजी आढा ने अपने स्वामी करमचंद की तारिफ करते हुए कहा कि वह तो बडा दानी व वीर राजपूत था कानोजी आढा के मुख से अपने मृत शत्रु की तारिफ सांगा को पसंद नही आयी ।कानोजी आढा ने देखा कि सांगा के साथ पांच सात राजपूत सरदार है मैं अकेला हूं लेकिन उनके करमचंद नरूका के वैर लेने प्रण था कि मैं अपने स्वामी करमचंद नरूका का वैर लेकर ही अन्न ग्रहण करूंगा। अब कानोजी आढा ने आव देखा न ताव उसने एक ही झटके में सांगा को मार गिया और स्वंय अपने स्वामी का वैर लेकर सांगा के आदमियों से लडते हुए काम आ गये। सांगा के बाद आमेर के शासक भारमल हुए। इन कानोजी आढा के वंशज कानावत आढा कहलाते है जो जयपुर रियासत के उणियारा में निवास करते है।

🖋 डा नरेन्द्रसिंह आढा झांकर
इतिहास व्याख्याता
रा उ मा वि घरट जिला सिरोही

શનિવાર, 2 ડિસેમ્બર, 2017

लोकसाहित्यकार स्व.श्री कानजीभाई कावीदान लीला (गढवी) विशे माहिती

*લોકસાહિત્યકાર સ્વ.શ્રી કાનજીભાઈ કાવીદાન લીલા (ગઢવી) વિશે માહિતી*

જન્મ :- તા.19-09-1937
અવસાન :- તા.10-03-2013

ગામ :-છત્રાવા તા.કુતિયાણા જી.પોરબંદર

કાનજીભાઈ કાવીદાન ગઢવીએ ચારણી સાહીત્ય અને લોકસાહિત્ય જાણનાર અને 1975 થી 1979 સુધી ગૂજરાત સરકાર મા નશાબંધી નીયૉજક તરીકે સેવા આપેલ.

આઈ શ્રી સોનલ માં સાથે પ્રવાસ કરેલ અને કવિશ્રી કાગ બાપુ સાથે રહી ઘણૂ બધૂ લખેલ છે.

પૂ.મૉરારી બાપૂ સાથે સાહિત્ય વિધાલયમાં ભણનાર તેમજ કાનજીભાઈ
કરસનભાઈ પઢીયાર, જયમલભાઈ પરમાર સાથે ઉર્મિ નવ રચના અંકમા સાથ આપનારા.

પોરબંદર ચારણ કૂમાર છત્રાલય તેમજ કન્યા છાત્રાલય મા મહીનાઓ સૂધી સહયોગ આપનાર

પહેલા ડાયરાઑ ડેલીયે થતા ગૂજરાતમા પહેલીવાર ટોકીઝમા ડાયરો કરનાર સાથે નામી કલાકારોને લયને 1965 મા મુંબઈ ખાતે લોક સાહિત્યનું ડાયરો.

રામાયણનો લક્ષ્મણ મૃચ્છા પ્રસંગ બોલેલા તેનો ઉલ્લેખ પૂ.મોરારીબાપૂએ અમદાવાદ કરણાવતી ખાતે કરેલ

સાય નેહડીની વાત, આઈ હોલની વાત, કરણ , વિર વછરાજનો ઈતીહાસ, મા વાછલબામા
નો ઈતીહાસ વગેરે

પહેલીવાર આખું દેવીયાણ કંઠસ્થ બોલેલા અને તેની સી.ડી પણ બહાર પડેલ

જવાલજી કાંગળજી ચાંમૂડાજી
હીમાચલ મા કવિ શ્રી પિંગલશી,
કવિશ્રી કાગ તથા  મેરૂભા સાથે રહી
દૂહા લખેલ છે.

બચૂબાપૂ (વઢવાણ) સાથે બૉલેલ, કવિ મેકરણભાઈ લીલા સાથે વાર્તાઓ કરતા એમનો વિષય વાર્તા જ લ હતો
બધા ધર્મ પૂસ્તક પર ગૂઢ રહશયની વાતૉ કરતા. કલાકૉ, દીવસૉ સુધી બોલે પણ વિષાંતર ન થાય તેવી તેમની કહેણી હતી

લી.કીરીટ કાનજીભાઈ લીલા (મુંબઈ)
પ્રવીણ કાનજીભાઈ લીલા (પી.આઈ મોરબી)

संकलन :- चारणी साहित्य ब्लॉग

        *વંદે સોનલ માતરમ્*

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...