ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 27 એપ્રિલ, 2021

ગઢવી સમાજનું ગૌરવ


ભાવનગર ચારણ સમાજનું ગૌરવ. 

તળાજા નું મોટેરુ નામ એવા નાગરુઆપા જાળફવા ના પપોત્રો અને મારા ખાસ સ્નેહી આદરણીય શ્રી શિવુભા જાળફવા ના સંતાનો 
ડો. અવની બેન ગઢવી 
અને ડો.હર્ષદેવ ગઢવી 
ડો .અવનીબેન ગઢવી B.H.M.S 
ડો. હર્ષદેવ ગઢવી M.B.B.S

જેઓ બંને બેન ભાઈ પોતાની અને પોતાના પરિવાર ની ચિંતા કર્યા વિના છેલ્લા એક વર્ષ થી કોરોના થયેલ દરદી ઓ ની સારવાર કરી રહ્યા છે.
જેથી ભાવેણા અને ગઢવી સમાજને  ગૌરવ લેવા જેવી બાબત કહી  શકાય .
માં જગદંબા બને ડો. ને નિરોગી અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના 

આપણાં સમાજમાં જ્યાં જ્યાં ડોક્ટરો છે તેઓ અત્યારે ખૂબ વ્યસ્ત હોવા છતા સમાજના લોકો ને યોગ્ય માર્ગદર્શન તથા સારવાર માં મદદરૂપ થઈ રહ્યા છે તે ઈચ્છનીય તેમજ પ્રશંસનીય છે.

રવિવાર, 25 એપ્રિલ, 2021

આપણું ગૌરવ ભાવનગર નું ગૌરવ


આપણું ગૌરવ. ભાવનગર નું ગૌરવ

 પરમ સ્નેહીશ્રી ડો. સંજયભાઈ દેથા અને તેમના  દિકરીબા દિવ્યતાબા દિવસ રાત કોરોના વિભાગ માં નાઈટ ડયુટીમાં સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે.
છેલા ઘણા સમય થી તેઓ કોરોના દરદી ઓ ની સારવાર કરી રહ્યા છે.

બાપ -દિકરી ને સેવા નો અવસર મા જગદંબા એ આપ્યો છે તેમ માની મા સોનલ નો આદેશ માથે ચડાવી કાર્ય કરી રહ્યા છે.

રાત દિવસ જોયા વિના આઈમા નું નામ લઈને જીવ જોખમ માં મુકી ને પણ કોરોનાના દર્દીઓ ની સારવાર કરી રહ્યા છીએ. મા ભગવતી સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના. 
જય માતાજી 🙏

કોરોના યોદ્ધા


ડૉકટર હોય તો આવા.......    આજે આખી દુનિયામાં  કોરોના ની મહામારી ચાલી રહી છે અને કળિયુગ  એની ચરમસીમા પર છે ત્યારે સમાજ માં દયા, માનવતા. લાગણી.  સંવેદના   વિગેરે શોધવા નીકળવું પડે એવા હાલ દેખાય છે. 
આ સમયમાં અમદાવાદમાં આવેલી એસ વિ પી હોસ્પિટલ માં  ડૉ. જયદેવ એસ મોડ (એમ ડી મેડીસીન) તથા ડૉ ઉદીત આઇ મહેડુ,(કાર્ડીયોસજૅન) અને  શારદાબેન હોસ્પિટલમાં ડૉ મીલન એન મોડ (આર એમ ઓ) પુરી નિષ્ઠાથી અને ખંત થી રાત-દિવસ કોરોના ના દર્દીઓની સારવાર કરે  છે. આ સમયમાં આપણું અંગત પણ નજીક નથી આવતું ત્યારે આ ત્રણેય  તબીબો પોતાનો તબીબી ધર્મ ખૂબ જ સારી રીતે બજાવે છે .એસ વિ પી હોસ્પિટલ ખાતે તથા શારદાબેન હોસ્પિટલ અને કોઠીયા હોસ્પિટલ માં  કોવિઙ મા દાખલ થયેલા સમાજ ના દરેક વ્યક્તિ એ આ ત્રણેય ડોક્ટરો ની સારવાર નો લાભ મેળવેલ છે.આ ઉપરાંત અમદાવાદ અને અન્ય શહેરોમાં તેમજ ગામડાઓમાં  હોમ કવોરેનટાઇન થયેલા સમાજના અનેક દર્દીઓએ પણ મોબાઇલ ફોન મારફત આ ત્રણેય ડોક્ટરો ની સલાહ,સુચન અને સારવાર - માર્ગદર્શન નો લાભ મેળવેલ છે.આમ આ ત્રણેય તબીબો
સરળ સ્વભાવ, સાદગી, અને સમાજ પ્રત્યે ની તેમની લાગણી તેમજ કોઈપણ પ્રકારના માન-સન્માન, મોટપ કે સામાજિક પ્રતિષ્ઠા ની લાલસા વગર ફક્ત સમાજ પ્રત્યેની તેમની ફરજ સમજી સેવાકાર્ય માં  સતત લાગેલા હોય છે. ડૉ.જયદેવભાઈ , ડૉ ઉદીતભાઇ અને ડૉ મીલનભાઇ ને જોઈ એમ લાગે કે ખરા અર્થમાં આઈ સોનલમા ના સંદેશ ને તેમને આત્મસાત કરી લીધો છે.   ..
ડો.જયદેવભાઇ મોડ સાહેબ તથા ડૉ ઉદીતભાઇ મહેડુ સાહેબ તથા ડૉ મીલનભાઇ મોડ સાહેબ આપ હંમેશા  સ્વસ્થ, નિરોગી  રહો અને આપના સેવાકાર્ય થકી ઘણા ચારણ સમાજના યુવાનો માટે આપ પ્રેરણા સ્ત્રોત બની રહો અને માતાજી સદાય આપની ચઙતીકળા રાખે એવી મોગલમાં, સોનલમાં તથા કુળદેવી ચાળકનેચીમા ના ચરણો માં પ્રાર્થના...... જય માતાજી