ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 18 જુલાઈ, 2024

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ


આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કરી રહ્યું છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે 'સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવાનું નકકી કરેલ છે.

 જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો.૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્ર-કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રૂા. ૧૧,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

 આ માટે તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં છેલ્લી ૨૦૨૪ની પરીક્ષાની (૯૫ PR ઉપર માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯-સૂર્યા આર્કેટ, હેડ પોસ્ટ ઓફિસ પાસે, બેંક ઓફ બરોડા પાસે, જયુબેલી ચોક, રાજકોટ - ઓફિસના સરનામે સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સાથે અરજી કરવી.

 ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.
 ખાસ પુછપરછ હોય તો
 (૧) મહેશદાન મોડ (૯૯૭૮૭૦૯૩૬૫)
 (૨) પ્રવીણભાઈ સોયા(૯૪૨૬૯૭૭૮૦૧) 
પર કોન્ટેક કરવો.

ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટમાં જે વિદ્યાર્થીએ સ્કોલરશીપ માટે અરજી કરેલ હોય તેમણે ફરીથી અરજી કરવાની રહેતી નથી, તે ફોર્મની વિગત ધ્યાને લેવામાં આવશે.

સોમવાર, 13 મે, 2024

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ




ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વા૨ા વર્ષ-૨૦૨૪/૨૦૨૫ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલ૨શીપ આપવાનું નકકી કરેલ છે જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાયર એજયુકેશન (મેડિકલ, સી.એ.,એન્જિનીયરીંગ તથા અન્ય)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અ૨જી ફોર્મ *તા.૧૭/૫/૨૦૨૪થી વિતરણ કરવામાં આવશે.* જે ફોર્મમાં તમામ કોલમ ભરી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૨૧/૫/૨૦૨૪ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯- સુર્યા આર્કેડ, ૧/૧૨-પંચનાથ પ્લોટ, બેંક ઓફ બરોડા પાસે, હેડ પોસ્ટ ઓફિસ નજીક, રાજકોટ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે. ટ્રસ્ટના બજેટ મુજબ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવશે. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.

શનિવાર, 30 માર્ચ, 2024

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે. 

28મી માર્ચનાં રોજ ડો. પ્રતીક ગઢવીને RSSનાં (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ડો. જયંતિભાઇ ભાડેસીયાની અને કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સન્માનિત કરાયા. આ મહાનિંબધમાં પ્રત્યક્ષ માર્ગદર્શન પાઠવનાર ડો. વિશાલભાઇ જોશી પણ ઉપસ્થિત રહ્યા. 

આ મહા નિબંધમાં ડો. પ્રતીક ગઢવીએ આર.એસ.એસની સ્થાપના, શાખાનો પ્રારંભ, સંઘનાં વિવિધ કાર્યક્રમો અને આયામો, આર.એસ.એસનાં સેવાકાર્યો, ચીન અને પાકિસ્તાન સાથેનાં યુદ્ધ દરમિયાન આર.એસ.એસ દ્વારા પીડિતોને સહાય અને સેવા કાર્ય, કચ્છનાં ભૂકંપ વખતે હાથ ધરાયેલા સેવાકાર્યો, સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ દરમિયાન કરાયેલા કાર્યો, પૂર અને વાવાઝોડા દરમિયાન કરાયેલી લોકસેવા, કોરોનાની મહામારી દરમિયાન કરાયેલી સેવા વગેરે મહત્વનાં પાસાને આવરી લીધી છે.

ગુરુવાર, 21 માર્ચ, 2024

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી



રાજકોટ ચારણ સમાજનું ગૌરવ 
કુ.મીરા કાનાભાઈ ગઢવી
WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છે. 
કુ.મીરાને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્વળ ભવિષ્ય ની શુભકામનાઓ 💐💐💐

ગુરુવાર, 11 જાન્યુઆરી, 2024

ચારણ સમાજનું ગૌરવ: - ડો. ડિમ્પલ ગઢવી


હાર્દિક શુભકામના

માં મોગલ આઇ તથા કુળદેવી માં પીઠડ આઇની કૃપાથી *ચારણ સમાજનું ગૌરવ ડૉ. ડિમ્પલ બલભદ્રસિંહ ગઢવી* એ આયુર્વેદ ક્ષેત્રેમાં M.D. (Ayured Samhita and Siddhanta) ની માસ્ટર ડિગ્રી First Class પરિણામ સાથે પ્રાપ્ત કરેલ છે તે બદલ સમસ્ત બાટી પરિવાર ગૌરવ અનુભવે છે અને ડૉ. ડિમ્પલ ગઢવી ને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિષ પાઠવે છે ....

શુભેચ્છક :-
ભગવતસિંહ ભલુદાન ગઢવી સ્વ. આનંદીબા ભગવતસિંહ ગઢવી બલભદ્રસિંહ ભગવતસિંહ ગઢવી જીગરદાન ભગવતસિંહ ગઢવી ગામ : કોલવડા જિલ્લો : ગાંધીનગર

*ઉતરોત્તર પ્રગતિ કરતા રહો , સફળતા ના શિખરો સર કરો એવી માં ભગવતીને પ્રાર્થના સહ ઉજ્વળ ભવિષ્ય ની મંગલ કામનાઓ 💐💐💐*

*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

બુધવાર, 27 ડિસેમ્બર, 2023

ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - ૨૦૨૪







ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - ૨૦૨૪

વિશેષતાઓ :-

1.હિંદૂ પંચાંગ , તેમજ ચારણોના પ્રસંગો,ચારણ માતાજીઓ, સંતો, કવિઓ, સમાજ માટે જીવન અર્પણ કરનાર સમાજ ભક્તોની તિથિઓનો સમાવેશ.
2. દરેક પાને ગુજરાતમાં આવેલ ચારણોના વિદ્યાધામોની તથા ભવનોની વિસ્તૃત માહિતી.
3. ચારણ સમાજના ગામોમાં તથા સમાજ સ્તરે ઉજવાતા પ્રસંગોનું નિરુપણ .

*આ વર્ષનું ચારણતિથી કેલેન્ડર પ્રસિદ્ધ થઈ શુક્યું છે.જેના વેચાણ માટેની વ્યવસ્થાઓ જ્યા સોનલબીજ ઉજવાય છે. તેવા સ્થલો એ રાખવામાં આવેલ છે.*

*કેલેન્ડરમાંથી થતી આવક સમાજના શૈક્ષેણીક ઉતકર્ષ માટે વાપરવામાં આવે છે.*

*દુર વસ્તા ચારણો માટે કેલેન્ડર મેલવવા માટે નિચેના નંબર પર સંપર્ક કરવો.*

વાલજીભાઈ ગઢવી , માંડવી,કચ્છ :- 990-972-2410

*આવો આપણે સૌ આપણા ઘર,ઓફિસ, કે દુકાનમાં ચારણ તિથિ કેલેન્ડરને સ્થાન આપીએ*

*ચારણતિથિ કેલેન્ડર ની કિંમત રુ. ૫૦/- રાખવામાં આવેલ છે.*

  *ગઢવી મિત્ર મંડલ - માંડવી દ્વારા પ્રસ્તુત ચારણતિથિ કેલેન્ડરને મલેલ અપાર સામાજિક પ્રસિદ્ધી બદલ અને ચારણતિથિ કેલેન્ડર રુપી સામાજિક કાર્ય કરવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન*

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...