ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 25 જાન્યુઆરી, 2020

ચારણ સમાજ નું ગૌરવ ચારણ મધુબેન ( જામંગ ) પ્રજાસત્તાક દિન દિલ્હી માં રાજપથ પર પરેડ કરશે.

ચારણ સમાજ નું ગૌરવ 
ચારણ મધુબેન ( જામંગ )  
પ્રજાસત્તાક દિન દિલ્હી માં રાજપથ પર પરેડ કરશે.

આવતી કાલે 26 મી જાન્યુઆરી એ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિન ની ઉજવણી માં ગુજરાત માં થી સેલેકટેડ થય દિલ્હી પ્રધાન મંત્રી પરેડ માં ગુજરાત સરકાર દ્વારા ચારણ મધુબેન ની પસંદગી કરવામાં આવી છે. 
ગત તારીખ - 01/01/2020 થી તેઓ ને દિલ્હી ખાતે આ પરેડ ની તૈયારી માટે બોલાવેલ છે. આ દરમિયાન સઘન મહેનત કરી 26 મી જાન્યુઆરી ના રોજ રત રાજપથ ખાતે ના 
આ ઐતિહાસિક  પર્વ માં ગુજરાત રાજ્ય ની ઝાંખી માં ચારણ મધુબેન એમની ટીમ સાથે પરેડ માં સામેલ થશે અને પછી આ 3 દિવસ પણ દિલ્હી ખાતે જ રાષ્ટ્રપતિ તથા પ્રધાન મંત્રી ના વિશેષ સમારોહ માં પરેડ રાજુ કરશે. 

 પંચમહાલ ના શહેરા ના બામરોલી ગામ ના રહેવાસી નકુભાઈ ચારણ  ( જામંગ ) ના દીકરી મધુબેન શહેરા gov. આર્ટસ કોલેજ માં B.A. માં અભ્યાસ કરે છે તેઓ પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રીય સ્તરે પોતાની કળા રજૂ કરી સમગ્ર ચારણ સમાજ નું નામ રોશન કરી રહ્યા છે. મધુબેન સદા સિદ્ધિ ના શિખરે સર કરતા રહે તેવી તેમને હાર્દિક શુભકામનાઓ...

આવતી કાલે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર કુ, હિરલબા મહેડુ પર્ફોમન્સ કરસે..

આવતી કાલે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર કુ, હિરલબા મહેડુ પર્ફોમન્સ કરસે..

♾♾♾♾♾♾♾

આવતી કાલે ૨૬ મી જાન્યુઆરી.આ દિવસે આપણે સૌ પ્રજાસત્તાક દિન ઉજવણી કરીએ છીંએ.

*ગુજરાત ના ચારણો માટે આ વખત નો પ્રજાસત્તાક દિવસ ખાસ વિશેષ છે, કેમકે... દિલ્હી રાજપથ પર યોજાનાર દેશ ના મુખ્ય સમારોહ મા ચારણ દિકરી કુ, હિરલબા મહેડુ તેમની કલા પ્રદર્શિત કરવાના છે.*

સમગ્ર ચારણ સમાજ માટે ગૌરવ કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા હિરલબા ને ગુજરાત ના પારંપરિક ગરબા રજુ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. 
તેઓ આવતી કાલે સવારે આઠ વાગ્યે રાજપથ પર ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય ની ઝાંખી સાથે નીકળતા ટેબલ મા પણ આપણને પોતાની કલા રજુ કરતા જોવા મળસે. જેમા દેશ ના ગણમાન્ય નાગરિકો સહિત મોટી સંખ્યામાં દેશ તેમજ વિદેશના ના મહેમાનો ઉપસ્થિત રહેસે. 

આ સિવાય રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન ના અન્ય વિશેષ સમારોહ મા પણ બે ત્રણ દિવસ તેમના કાર્યક્રમ યોજાસે .

સાબરકાંઠા ના વડાલી તાલુકાના કંજેલી ગામના વતની અજીતસિંહ મહેડુ ના દિકરી હિરલબા ગાંધીનગર ખાતે માઇક્રો  Bsc  મા અભ્યાસ કરે છે. તેઓ તેમના જીવન મા સફળતા ના ઉચ્ચ શિખરો સર કરે એવી એમને હાર્દિક શુભકામનાઓ.. 


- દશરથદાન ગઢવી, થરાદ 

♾♾♾♾♾♾♾