ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

લેબલ पुण्यतिथी સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ पुण्यतिथी સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2020

હેમુ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે જુદા-જુદા અખબાર અહેવાલ.

સાંજ સમાચાર



આજકાલ


સૌરાષ્ટ્ર ક્રાંતિ


ગુજરાત મિરર


અકિલા

અમરેલી એક્સપ્રેસ


નૂતન સૌરાષ્ટ્ર

હેમુ ગઢવી ના અતિ દુર્લભ ફોટા ઓ

સ્વ હેમુભાઈ ગઢવી ની મી પુણ્યતિથી

લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની ,20મી ઑગસ્ટ, ના રોજ પુણ્યતિથી છે 
મિત્રો તેમની બધી વિગત ભેગી કરી તમારી સમક્ષ રજુ કરુ છુ.

સૌરાષ્ટની લોકકલાની વાત આવે ત્યારે ત્યારે આપણા લોકગાયકો યાદ આવ્યા વિના ન રહે અને આવા લોકગાયકો માં કસુંબલ કંઠના માલિક હેમુભાઇનો જોટો ન મળે .

”મારું વનરાવન છે રુડું..વૈંકુંઠ નહી આવું..કંઠની મીઠાસ અને હલક બેજોડ હતાંસાંભળો તો લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌંદર્ય છતું થાય…….. એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા ……..અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્‍ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઈ. ૧૯૨૯ના સપ્‍ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ ‘હેમુ‘ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા.
મૂળનામ હેમુભા નાનભા ગઢવી,પિતાનુ; નામ નાનુભા.માતા – બાલુભા; નાનુભા પોતે નિરક્ષર હતા અને ખેતીનો ધંધો કરતા હતા. માતા બાલુબાએ હેમને ભવાઈ અને પ્રવાસી નાટક-મંડળીઓનો પરિચય કરાવ્યો. બાલુબાના ભાઈ એટલે કે હેમુના મામા નાટક મંડળી ચલાવતા.જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેને ” ગામડુ મુજને પ્યારૂં ગોકુળ ” પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવી નું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. 

હેમુ એ કંપનીનાં નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવતાનાટક-મંડળી પ્રવાસ કરતી રહેતી. પરિણામે વિવિધ સ્થળોએ વિવિધ શ્રોતામંડળી સમક્ષ લોકગીતો, રાસ, ગરબા વગેરે રજૂ કરવાની તક તેમને સાંપડી.આમ તેઓએ ઈ.સ.૧૯૫૫ સુધીમાં વાંકાનેર ની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું.

આકાશવાણી રાજકોટમાં યોગદાન
લોકસાહિત્યમાં રસ પડતાં તેનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો. મોરબીના વિદ્યારામ હરિયાણીને તેમણે પોતાના ગુરુ તરીકે સ્થાપ્‍યા હતા. વિદ્યારામે લોકસાહિત્યની ખૂબીઓ અને વિવિધતાઓથી હેમુને સુપરિચિત કર્યા.1955 – આકાશવાણી કેન્દ્રમા તાનપુરા આર્ટિસ્ટ તરીકે જોડાયા ઈ. ૧૯૫૬માં તેઓ રાજકોટ આકાશવાણીમાં જોડાયા. તે દરમિયાન અસરકારક પદ્ધતિએ લોકસંગીત શી રીતે રજૂ કરવું તેની વ્યવસ્થિત તાલીમ તેમણે લીધી.તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું. પછી તો તેમણે સંખ્યાબંધ જાહેર કાર્યક્રમો આપ્‍યા. તેમનો અવાજ ઝવેરચંદ મેઘાણી જેમ બુલંદ અને સુરીલો હતો.1962-1963 – કોલંમ્બિયા કંપનીએ તેમની 78 સ્પીકની રેકર્ડ ‘સોની હલામણ મે ઉજળી’ બહાર પાડી હતી તેમણે ગાયેલાં અસંખ્ય લોકગીતોની ગ્રામોફોન રેકર્ડ તૈયાર થઈ ધૂમ વેચાવા લાગી.એચ.એમ.વી. એ અમે મહિયારા રે, શિવાજીનું હાલરડું, મોરબીની વાણિયણ વગેરે ગીતો ની રેકર્ડ રજુ કરી હતી જે ગીતો આજેય યાદગાર છે .
આકાશવાણીમાં તેમને લોકસંગીતના સહાયક નિર્દેશક તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમના સહકાર્યકર હતા. દીનાબહેન ગાંધર્વ. એમના સાથમાં તેમણે અનેક લોકસંગીત-રૂપકો રચ્યાં. એમાંનાં ‘રાંકનું રતન‘, ‘શેણી વિજાણંદ‘, ‘કવળાં સાસરિયાં‘ તથા ‘પાતળી પરમાર‘ આજે પણ એટલાં જ લોકપ્રિય રહ્યાં છે.આકાશવાણી રાજકોટ આજે જે કંઇ છે એમાં સૌથી વધુ પ્રદાન હેમુભાઇ નું છે.હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું.
એક દિન પંચસિંધુને તીર‘ અને ‘વર્ષાવર્ણન‘ જેવી ગદ્યવાર્તાઓ તેમણે રજૂ કરી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્‍ત કરી હતી. તે સમયમાં સૌરાષ્‍ટ્ર સંગીત નાટક અકાદમી અસ્તિત્વમાં હતી. આ અકાદમીએ ‘શેતલને કાંઠે‘ અને ‘ધન્ય સૌરાષ્‍ટ્ર ધરણી‘ જેવાં નાટકો રજૂ કર્યાં હતાં. આ નાટકો ખૂબ જ પ્રશંસા પામ્યાં હતાં..રંગભૂમિ ના પણ ઉમદા કલાકાર પણ હતાં; સત્યવાદી રાજા હરિચંન્દ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલાં છે.
આ પ્રશંસા પાછળ હેમુનો કંઠ અને તેમના અભિનયનું અતિ મહત્વનું પ્રદાન છે.હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.ઝવેરચંદ મેઘાણીએ ઢગલાબંધ લોકગીતોનું સંશોધન અને તેનો સંચય કર્યો છે. આ લોકગીતોને કવિ દુલા કાગ કે કાનજી ભૂટા બારોટ જેવા ગાયકોએ ઢાળ આપવાનું કામ કર્યું છે. હેમુ ગઢવીની ગણના પણ ઢાળ આપનાર આ ગાયકોમાં થાયયોગદાન
અસરકારક રીતે લોકસાહિત્યની રજૂઆત કરવામાં તે એક્કા હતા. ઊછરતા લોકસાહિત્ય કલાકારોને તાલીમ આપી કુશળ બનાવવામાં પણ એમણે મહત્વનો ફાળો આપ્‍યો હતો.લોકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરેને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન

ગુજરાતી ભાષાનાં સાહિત્યને પોતાનાં કંઠ દ્વારા વાચા આપનાર હેમુભાઈ તા.૨૦-૦૮-૧૯૬૫નાં દિવસે સૌરાષ્‍ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓનાં ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે રાસડાઓનાં રેકોર્ડીગ વખતે હેમરેજ થવાથી ચકર આવ્યા ને ધરતી ઉપર કાયમને માટે ઢડી પડ્યા અને બધાને અલવિદા કરીને ચાલ્યા ગયા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. લોકસંગીતનો જીવ આકાશવાણીનો તારલો હંમેશને માટે આકાશવાણી બની ગયો.આજે પણ તેઓનાં લોકગીતો માણસને તેમની યાદ અપાવે છે. તેમનાં વારસાને આગળ ચલાવનાર તેમનાં પુત્ર બિહારીદાન ગઢવી પણ હેમુભાઈની જેમજ લોકસંગીતને જીવંત રાખવા માટે લોકગીતો ગાય છે. ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન


હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન…

ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2016

वीर शदिद माणशी गढवी

आजे वीर शहिद माणशी गढवी नी 13 मी पुण्य तिथी छे.```*

आजे तेमनो जीवन चरित्र आप समक्ष मुकवानो प्रयत्न करेल छे

कच्छना केसरी विरभूमिना कंठी विस्तारना मुंद्रा तालुकाना झरपरा गामना शणगार चारण कुळ गौरव तुंबेल कुळतिलक सेडायत वंश शोर्य मुकुटमणि वीर *माणशी* राष्ट्र रक्षा काजे काश्मीरनी धरती पर कच्छनो कुंवर वीरगतिने वर्यो .
कच्छना शूरवीर चारणो झाराना युध्धमां भुचर मोरीना युध्धमां अने अबडासाना वीर अबडा साथे रही विदेशी आक्रमणो सामे वीरताथी झझुम्या हता.
ज्यारे ज्यारे देश पर दुश्मनोअे मीट मांडी छे.त्यारे त्यारे चारण योध्धाओ क्षत्रियो साथे रही युध्धना मेदानमां वीररसना अमृतपान पाया छे.अने साथे रही युध्धमां भाग लई बलीदानो आप्या छे. आजे चारणोना गामडे गामडे हुतात्माओना पाळीया पूजाय छे.

काश्मीर सरहदे पुंच मध्ये शहिदी वहेरनार वीर माणशीनो जन्म ता. 14//2//1979 ना राजदे सुमार सेडाना घेर माताजी सुंमाबाईनी कुंखे थये हतो.तेओ पितृपक्षे झरपरा गामना स्थापक सेडायतना वंशज सेडा शाखीना हता.
ज्यारे मातृपक्षे कच्छ धराना धर्मरक्षक श्री रावळपीरदादाना नागवंशी गेलवा शाखानुं मोसाळ धरावता हता.जन्मभूमि झरपरा ता.मुंदरा - कच्छ परंतुं तेमना पिता राजदेभाई समाघोघा बाजु वाडी खरीदी स्थिर थया हता . तेथी तेमनुं प्राथमिक शिक्षण समाघोघा प्राथमिक शाळामां थयुं अने त्यारबाद मुंदरा मध्ये धोरण 11 सुधीनुं शिक्षण प्राप्तकरी भारतीय सेनामां जोडाया हता .
देखावे सुंदर तेजस्वी चहेरो धरावनार चारण स्वभावे सरळ निखालस अने प्रेमाळ हता.भारोभार स्वदेशाभिमान धरानता हता .मातृभूमि माटे कांईक करी छुटवानी तम्ना हती .तेथी तेओ सेनामां जोडाया.
12 म्हार युनिटना लायन्स नायक हता .
तेओ जम्मुं - काश्मीरनी पुंच सरहदे ता.22//9//2004 ना आतंकवादओ साथ लडता वीरगति प्राप्त करी .ता.25//9//2004 ना झरपरानी पावनभूमि मध्ये तेमनो पार्थव देह पंचमहाभुतमां विलिन थयो .
समस्त झरपरा गाम साथे रही पुरा सन्मान साथे अंजलि अपाई अेक चारणवीर मातृभूमि काजे मोक्षगति प्राप्त करी आजे झरपरा गामना पादरमां वीर शहिद माणशीनी प्रतिमां प्रेरणा आपती अडीखम रीते उभी छे.बीजा कच्छमां अनेक स्थळोअे अेमनी स्मृतिमां स्मारकोनी रचना करवामां आवी आवी छे.

*_आजे तेमनी 13 मी पुण्यतिथी अे कोटी कोटी वंदन छे_*
  💐💐💐💐💐💐💐💐💐

*लेखक श्री :-  आशानंदभाई सुराभाई .झरपरा.ता.मुंदरा,कच्छ.*
        *_Mo 9824075995_*

*संदर्भ :- कच्छना चारण रत्नो पुस्तकमांथी लेखक श्री आशानंदभाई सुराभाई.झरपरा.ता.मुंदरा कच्छ*

*खास नोंध :- कच्छना चारण रत्नो पुस्तकनुं हजी विमोचन थयुं नथी तेम छतां आ माहिती आपवा बदल श्री आशानंदभाईनो खूब खूब आभार मानु छुं*

*```तेमज आ अमुल्य माहिती PDF फाईल द्वारा मोकलवा बदल वेजांधभाई गढवीनो पण आभार मानु छुं```*

सहकार आपनार तमाम भाईओ नो खूब खूब आभार

*```टाईप:- charantv.blogspot.com```*
          *``` मनुदान,गढवी,भादरा महुवा```*
          *``` Mo.9687573577```*

         *_माहिती पसंद आवे तो आगळ मोकलवा विनंती_*

वीर शहिद माणशी गढवी

.                        जय माताजी

*``` आजे वीर शहिद माणशी गढवी नी 13 मी पुण्य तिथी छे.```*

आजे तेमनो जीवन चरित्र आप समक्ष मुकवानो प्रयत्न करेल छे

कच्छना केसरी विरभूमिना कंठी विस्तारना मुंद्रा तालुकाना झरपरा गामना शणगार चारण कुळ गौरव तुंबेल कुळतिलक सेडायत वंश शोर्य मुकुटमणि वीर *माणशी* राष्ट्र रक्षा काजे काश्मीरनी धरती पर कच्छनो कुंवर वीरगतिने वर्यो .
कच्छना शूरवीर चारणो झाराना युध्धमां भुचर मोरीना युध्धमां अने अबडासाना वीर अबडा साथे रही विदेशी आक्रमणो सामे वीरताथी झझुम्या हता.
ज्यारे ज्यारे देश पर दुश्मनोअे मीट मांडी छे.त्यारे त्यारे चारण योध्धाओ क्षत्रियो साथे रही युध्धना मेदानमां वीररसना अमृतपान पाया छे.अने साथे रही युध्धमां भाग लई बलीदानो आप्या छे. आजे चारणोना गामडे गामडे हुतात्माओना पाळीया पूजाय छे.

काश्मीर सरहदे पुंच मध्ये शहिदी वहेरनार वीर माणशीनो जन्म ता. 14//2//1979 ना राजदे सुमार सेडाना घेर माताजी सुंमाबाईनी कुंखे थये हतो.तेओ पितृपक्षे झरपरा गामना स्थापक सेडायतना वंशज सेडा शाखीना हता.
ज्यारे मातृपक्षे कच्छ धराना धर्मरक्षक श्री रावळपीरदादाना नागवंशी गेलवा शाखानुं मोसाळ धरावता हता.जन्मभूमि झरपरा ता.मुंदरा - कच्छ परंतुं तेमना पिता राजदेभाई समाघोघा बाजु वाडी खरीदी स्थिर थया हता . तेथी तेमनुं प्राथमिक शिक्षण समाघोघा प्राथमिक शाळामां थयुं अने त्यारबाद मुंदरा मध्ये धोरण 11 सुधीनुं शिक्षण प्राप्तकरी भारतीय सेनामां जोडाया हता .
देखावे सुंदर तेजस्वी चहेरो धरावनार चारण स्वभावे सरळ निखालस अने प्रेमाळ हता.भारोभार स्वदेशाभिमान धरानता हता .मातृभूमि माटे कांईक करी छुटवानी तम्ना हती .तेथी तेओ सेनामां जोडाया.
12 म्हार युनिटना लायन्स नायक हता .
तेओ जम्मुं - काश्मीरनी पुंच सरहदे ता.22//9//2004 ना आतंकवादओ साथ लडता वीरगति प्राप्त करी .ता.25//9//2004 ना झरपरानी पावनभूमि मध्ये तेमनो पार्थव देह पंचमहाभुतमां विलिन थयो .
समस्त झरपरा गाम साथे रही पुरा सन्मान साथे अंजलि अपाई अेक चारणवीर मातृभूमि काजे मोक्षगति प्राप्त करी आजे झरपरा गामना पादरमां वीर शहिद माणशीनी प्रतिमां प्रेरणा आपती अडीखम रीते उभी छे.बीजा कच्छमां अनेक स्थळोअे अेमनी स्मृतिमां स्मारकोनी रचना करवामां आवी आवी छे.

*_आजे तेमनी 13 मी पुण्यतिथी अे कोटी कोटी वंदन छे_*
  💐💐💐💐💐💐💐💐💐

*लेखक श्री :-  आशानंदभाई सुराभाई .झरपरा.ता.मुंदरा,कच्छ.*
        *_Mo 9824075995_*

*संदर्भ :- कच्छना चारण रत्नो पुस्तकमांथी लेखक श्री आशानंदभाई सुराभाई.झरपरा.ता.मुंदरा कच्छ*

*खास नोंध :- कच्छना चारण रत्नो पुस्तकनुं हजी विमोचन थयुं नथी तेम छतां आ माहिती आपवा बदल श्री आशानंदभाईनो खूब खूब आभार मानु छुं*

*```तेमज आ अमुल्य माहिती PDF फाईल द्वारा मोकलवा बदल वेजांधभाई गढवीनो पण आभार मानु छुं```*

सहकार आपनार तमाम भाईओ नो खूब खूब आभार

*```टाईप:- charantv.blogspot.com```*
          *``` मनुदान,गढवी,भादरा महुवा```*
          *``` Mo.9687573577```*

         *_माहिती पसंद आवे तो आगळ मोकलवा विनंती_*

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2016

बी.के गढवी साहेब की पुण्यतिथी

आज श्रद्धेय स्व. बी.के.गढ़वी साहब की पुण्यतिथि पर शत शत नमन !!!
बी के गढ़वी साहब चारण गढ़वी समाज की वो शख्सियत थे जिन्होने अपने जीवन मे राजनिति , समाजसेवा , प्रशासन के क्षेत्र में उच्च किर्तीमान स्थापित किये.उनके पास पहुंचे समाज के हर एक व्यक्ति व संस्थान को सदैव असीम सहयोग दिया.
विभिन्न उच्च पदों पर रहते हुए व केन्द्र सरकार में  मन्त्री रहते हुए कई महत्वपुर्ण कार्यों से समाज के गांवो मे विकास करवाया.आज समाज के सर्वप्रिय सर्वमान्य अध्यक्ष सी डी देवल साहब भी
उन्हि का अनुसरण करते हैं.
उनका कृतित्व व व्यक्तित्व हमारे लिये सदैव वंदनीय रहैगा.
चारणाचार पत्रिका

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...