ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 27 એપ્રિલ, 2023

પદ્મ કવિશ્રી "દાદબાપુ" ના શબ્દ સંભારણા તથા ઋણસ્વીકાર કાર્યક્રમ

પદ્મ કવિશ્રી "દાદબાપુ" ના શબ્દ સંભારણા તથા ઋણસ્વીકાર કાર્યક્રમ

શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભુમિ ની, વાવો મહાભારત ને ગીતા નીકળે

ગુજરાતના લોક હૃદય માં સદાયને માટે અંકિત થઇ ગયેલા ગુજરાતનાં મૂર્ધન્ય લોકકવિ કવિશ્રી ‘“દાદ” બાપુનાં ચાહકો ની લાગણી નો પ્રતિભાવ આપતું વર્ષ ૨૦૨૧નું ‘પદ્મશ્રી’” સન્માન કવિ શ્રી ‘“દાદ” બાપુ ને તેઓની હયાતીમાં આપવામાં આવેલ છે. તદઉપરાંત તેઓના દેવલોકગમન પશ્ચાત રાજકોટ જીલ્લાનાં પડધરી ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નું નામાભિધાન કવિશ્રી ‘“દાદ’” સરકારી વિનયન અને વાણિજય કોલેજ” કરવામાં આવેલ છે. પદ્મશ્રી કવિ “દાદ” બાપુની કર્મભૂમિ એવી પડધરીની ભૂમી ઉપર સદૈવ ચિરઃસ્મરણીય રહે તેવું આ સન્માન છે.

ઉપરોક્ત બંન્ને સન્માનો નો ઋણસ્વિકાર કરવાનો તથા કવિશ્રીની કલમમાંથી અવતરેલ કવિતાઓ નો રસાસ્વાદ “શબદ સંભારણા’” ના રૂપમાં ગુજરાતનાં લોકસાહિત્ય જગતનાં ભાવકો, ગાયકો અને સાહિત્યકારો ના કંઠે કરાવવાનો સંયુક્ત ઉપક્ર્મ પદ્મશ્રી કવિ ‘“દાદ” બાપુ પરિવાર દ્વારા યોજવામાં આવેલ છે.

આ તકે કોલેજ પરિસરમાં પદ્મશ્રી કવિ “દાદ” બાપુ ની પ્રતિમા નું અનાવરણ તથા “પદ્મશ્રી કવિ “દાદ’” સ્મૃતિ-દિર્ઘા” પ્રદર્શન ગેલેરી નું ઉદ્ઘાટન મહાનુભાવો ના વરદ હસ્તે યોજવામાં આવેલ છે.

તા. ૩૦ એપ્રીલ ૨૦૧૩, રવિવાર
સ્થળ :
પદ્મશ્રી કવિ ‘‘દાદ' સરકારી વિનયન અને વર્ણાણજ્ય કોલેજ - પડધરી જી. રાજકોટ

નિમંત્રક :- કવિશ્રી દાદબાપુ પરિવાર

આમંત્રણ પત્રિકાની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો