ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 10 માર્ચ, 2021

કંકેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમઢિયાળા (ગઢવીના)


કંકેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમઢિયાળા (ગઢવીના)

જણાવવું કે આઇશ્રી સોનલમાં ની અસીમ કૃપાથી તથા આઇશ્રી કંકુ કેશર માની પ્રેરણા થી સમઢિયાળા (ગઢવીના)  ગામ સમસ્ત નવ નિર્મિત કંકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના શુભ અવસર આયોજન.

શોભાયાત્રા :-
 તારીખ :- ૧૦ - ૩ - ૨૦૨૧ સવારે ૮ કલાકે.

યજ્ઞ :- ૧૧ - ૩ -૨૦૨૧ સવારે ૮  કલાકે

પ્રાણ પ્રતિષ્ઠા :- તા ૧૧ - ૩ - ૨૦૨૧ ૧૨:૩૦ કલાકે 


વિક્રમબા ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન





અખિલ ભારતીય ચારણ - ગઢવી  મહિલા મહાસભા ના રાજકોટ મંત્રી વિક્રમબા ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ ડિપાર્ટમેન્ટના અધિકારી સિનિયર ડિવિઝન કોમર્શિયલ મેનેજર તથા આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર દ્વારા રાજકોટમાં રેલવે ટીકીટ બુકિંગ ઓફિસ માંથી એક માત્ર મહિલા નુ એવા વિક્રમબા ગઢવી નું આજે સન્માન કરવામાં આવ્યું. 
2020 થી 2021 દરમિયાન એક વર્ષમાં કોરોના કાળ માં વિક્રમબા ની રેલવેમાં ઉમદા સેવા આપવા બદલ અધિકારીઓ દ્વારા આજે ત્રીજો એવોર્ડ એનાયત કરાયો.
ખૂબ ખૂબ અભિનંદન 💐🌸
ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભકામના 


જામનગર ગઢવી સમાજનું ગૌરવ

જામનગર ગઢવી સમાજનું ગૌરવ.

ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ISO કન્સલટ તરીકે નામના મેળવતા નિલમબેન ગઢવી.
જેઓ ૨૦૦૩ થી ૨૦૨૧  સુધી સતત આ એવોર્ડ મેળવતા રહ્યા છે.
નીલમબેન મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે..



અવનવી માહિતી


ભારત સરકારે બનાવેલ વિચરતી અને વિમુક્ત જાતિ નક્કી કરવા માટેના બનાવાયેલ શ્રી રેન્કે કમિશન સમક્ષ વર્ષ 2008માં અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ સહિત સમાજના વિવિધ ટ્રસ્ટ દ્વારા ચારણ ગઢવી સમાજ ને વિચરતી જાતિ માં ગણવા રજૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આપણી આ રજૂઆત પ્રાથમિક દ્રષ્ટિએ ગ્રાહ્ય રાખવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા શ્રી રેન કે કમિશનને મોકલવામાં આવેલ વિચરતી અને વિમુક્ત જાતિ ની યાદીઓ ઉપર કમિશને વિચારણા કરી ભારત સરકારને રજુ કરેલ તેમના ડ્રાફ્ટ રિપોર્ટ માં ક્રમ 8 ઉપર ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ કરાયો છે. આમ ચારણ સમાજને વિચરતી જાતિ નો લાભ આપવા નું કમિશન અને તેના ડ્રાફ્ટમાં સ્વીકાર્યું છે. જે આપણા સમાજ માટે આનંદની વાત છે. કમિશનના રિપોર્ટ ની નકલ આ સાથે મુકેલ છે . જે સમાજને જાણ માટે.
લી.નરહર દાન અજીતસિંહ ગઢવી સેક્રેટરી અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીનગર.

મંગળવાર, 9 માર્ચ, 2021

આજે પૂજ્ય મેરુભાબાપુ મેઘાણંદજી ગઢવી નો જન્મ દિવસ.


આજે  પૂજ્ય મેરુભાબાપુ મેઘાણંદજી ગઢવી  નો જન્મ દિવસ.

મેરુભાબાપુ  મેઘાણંદજી ગઢવી નું ટૂંક માં પરિચય

નામ: મેરુભા મેઘાણંદજી ગઢવી  ભારત દેશના ગુજરાત રાજ્યમાં પોરબંદરના છત્રાવા ખાતે વસવાટ કરતા એક લોકસાહિત્ય કલાકાર હતા. સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કારનું સિંચન કરનાર મેરુભાનો જન્મ ૧૯૦૬ માં (સવંત ૧૯૬૨, ફાગણ સુદ ૧૪ના દિવસે) થયો હતો. 
પિતા મેઘાણંદજી ગઢવીની વાર્તાકથની મુગ્ધભાવે માણતા મેરૂભા બાળપણથી જ લોકસાહિત્યના રંગે રંગાઈ ગયા હતા. કવિ દુલા ભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી અને મેરૂભા એકબીજા સાથે મળી કાર્યક્રમો આપતા.

મેરુભા ગઢવી
જન્મ 9/3/1906
મૃત્યુ  1/4/1977
તેમણે પોતાની મીઠી હલકથી કાગવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને અનેકવાર શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન, વેધકતા તેમ જ દર્દ હતાં. એમના કંઠની ભવ્ય બુલંદી શ્રોતાઓને સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઈ નવા જ મુકામ પર લઈ જતી. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે ગુજરાતમાં ભ્રમણ કરતા રહી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવાને પ્રજ્વલિત રાખ્યો હતો. તેઓ માત્ર લોકસાહિત્યના આરાધક અને ગાયક જ ન રહેતાં, દીર્ધદ્દષ્ટા અને સમાજ સુધારક તરીકે પણ યોગદાન આપ્યાં હતા. હરિજનો અને નબળા વર્ગોને માટે તેમણે વસાહત બંધાવી હતી આ ઉપરાંત કન્યા કેળવણી ના પ્રણેતા હતા આજે પણ જૂનાગઢ માં એમના ટ્રસ્ટ ની કન્યા છત્રલાય ચાલે છે. દ્વારકામઠના જગદ્ગુરુ શંકરાચાર્યજીએ તેમને ‘કવિરત્ન’ તરીકેનો ઈલ્કાબ એનાયત કરી તેમની સાહિત્યકલાની કદર કરી છે. ઉત્તરાવસ્થામાં તેઓ ભક્તિના રંગે રંગાતાં તમામ પ્રવૃતિઓમાંથી નિવૃતિ લીધી હતી.

જૂનાગઢમા  મેરૂભા મેધાણંદજી ગઢવી ના નામનો  મા રોડ છે..આ રોડ ઉપરથી નીકળતા આજે પણ ગૌરવ અનુભવાઈ છે...
૧ એપ્રિલ ૧૯૭૭ ના રોજ એમનું અવસાન થયું હતું.

જાણકારી આપવા બદલ નીલમબેન ગઢવી નો ખૂબ જ આભાર.

આઇશ્રી સોનલમાંની અમૃત વાણી


આઈશ્રી સોનલમાં દિવ્ય વિચાર ધારા
પ.પૂ.આઈશ્રી સોનલમાંએ સમયે સમયે જુદા જુદા સ્થળોએ હૃદયગમ વાણીને લાભ આપેલ છે તેમાનો એક અંશ અને તેનો  વ્યાખ્યાનોનો સાર નીચે મુજબ છે .

ઉપાસના - ધ્યાન - તપ - વ્રત - નિયમ

 આપણા મનમાં રહેતા મહિષાસુર વગેરે દૈત્યોને મારવા માટે સૌથી પ્રથમ તો આપણે ભગવતીને પ્રગટ કરવા જોઈએ .
 એ કેમ પ્રગટે ? 
ભગવતીને બિરાજવાનું મંદિર આપણું હૃદય તેને પવિત્ર કરવું જોઈએ . 
એ કેમ બને ?
દાન , દયા કરીએ વ્રત નિયમ પાળીએ , આચાર વિચાર ઊંચા રાખીએ , તપ કરીએ આપણા હૈયાં રૂપી મંદિરને કચરો બાળી નાખીએ અને પછી એને સાચા ભાવથી બોલાવીએ એટલે ભગવતી જરુર પધારવાના એમાં શંકા નથી પવિત્ર થાવા માટે તપ જેવો એક્કે રસ્તો નથી 
ગીતામાં ભગવાને કહ્યું છે કે , યજ્ઞ દાન અને તપ એતો મોટા સમર્થ બુદ્ધિશાળીઓની બુદ્ધિને પણ પવિત્ર કરનારાં છે . ઉપનિષદમાં વરુણે  આત્મજ્ઞાન મેળવવા માટે પોતાના દીકરા ભુગુને તપ કરવાનું કહ્યાની વાત આવે છે , તપથી જે જોઈએ . તે પમાય રામાયણમાં તપનો મહિમા તુલસીદાસે વર્ણવ્યું છે કે :

तपबळ रयई  प्रपच विधाता,तपबळ विश्र्नु सफळ जगत्राता |
तपबळ शंभु करहि संघारा, तपबळ शेषु  धरई महि मारा||

 તપનો આવો મહિમા છે , એનાથી પવિત્રતા આવે અને જ્યાં પવિત્રતા ત્યાં ભગવતી પ્રગટે એટલે અહન્કાર - કામ - ક્રોધ વગેરે મહિષાસુરોને મારે જ.

સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી 
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ

સોમવાર, 8 માર્ચ, 2021

ડો. ધ્રુવીબેન ને ખૂબ ખૂબ અભિનંદન


અભિનંદન 💐
 તા.૬ માર્ચ ના રોજ ભાવનગર મેડિકલ કોલેજ ખાતે ડો.ધ્રુવી શક્તિદાન ગઢવી.   દિવાળી સમારોહ કાર્યક્રમ અંતર્ગત  સન્માન કરેલ છે. તે બદલ ડો.શ્રી ને તેમજ રોહડિયા પરિવાર ને અભિનંદન.
💐💐💐

ઉતરોતર પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાર્થના