ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 10 માર્ચ, 2021

અવનવી માહિતી


ભારત સરકારે બનાવેલ વિચરતી અને વિમુક્ત જાતિ નક્કી કરવા માટેના બનાવાયેલ શ્રી રેન્કે કમિશન સમક્ષ વર્ષ 2008માં અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ સહિત સમાજના વિવિધ ટ્રસ્ટ દ્વારા ચારણ ગઢવી સમાજ ને વિચરતી જાતિ માં ગણવા રજૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આપણી આ રજૂઆત પ્રાથમિક દ્રષ્ટિએ ગ્રાહ્ય રાખવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા શ્રી રેન કે કમિશનને મોકલવામાં આવેલ વિચરતી અને વિમુક્ત જાતિ ની યાદીઓ ઉપર કમિશને વિચારણા કરી ભારત સરકારને રજુ કરેલ તેમના ડ્રાફ્ટ રિપોર્ટ માં ક્રમ 8 ઉપર ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ કરાયો છે. આમ ચારણ સમાજને વિચરતી જાતિ નો લાભ આપવા નું કમિશન અને તેના ડ્રાફ્ટમાં સ્વીકાર્યું છે. જે આપણા સમાજ માટે આનંદની વાત છે. કમિશનના રિપોર્ટ ની નકલ આ સાથે મુકેલ છે . જે સમાજને જાણ માટે.
લી.નરહર દાન અજીતસિંહ ગઢવી સેક્રેટરી અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીનગર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો