ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 9 જાન્યુઆરી, 2021

તા.૯/૫/૫૯ અમદાવાદ આઈશ્રી સોનલમા નુ પ્રવચન નો અંશ


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

તા.૯/૫/૫૯ અમદાવાદ આઈમાનુ પ્રવચન નો અંશ
 
ચારણો સરસ્વતી પુત્ર કહેવાય , કાલિકાના પુત્રો નહિ , વિદ્યા એમને વરેલી . ચારણોની પડતી વિદ્યાને ત્યાગ કરવાથી જ થઈ છે એ વિદ્યા ફરીને આપણા જીવનમાં આપણે લઈ આવવી જોઈએ એને માટે ધનની ખોટ નહિ આવે વિદ્યા લેવા માંડશુ એટલે ધન તો દોડતું આવશે . 

ચારણાને બીજી જરૂર એકતાની છે , એકતા નહિ હોય પરસ્પર પ્રેમ નહિ હોય , તો દૈત્યો, દાનવો . એ વિદ્યા મેળવી જેમ દુરુપયોગ કર્યો તેમ થશે . ખરેખરી વિદ્યા તે એ કહેવાય કે જે એકબીજામાં પ્રેમ પ્રગટાવે એકતા લાવે . એકતા લાવવા માટે એક બીજાના ગુણ જોતા શીખવું જોઈએ એક બીજાથી સહકાર કરવો જોઈએ . અગુણ તો ઘણા દિવસ જોયા એક બીજાની ટીકા પણ ખુબ કરી . હવે એનાથી દુર રહેવું કે , જેથી સૌનું ભલુ થાય . નિંદામાં બુદ્ધિ વાપરવી એનું નામ જ અવિદ્યા .
 નિંદા કરનારને ભલે જરાવાર ફરસાણ ખાવાનો સ્વાદ આવે . પણ નિંદા કરવી એ કોલસાની દલાલી જેવું છે . એમાં હાથ , કપડાં અને માં એ બધુય કાળું જ થવાનું ' . માટે ચારણાએ જે પોતાનું ભલું ચાહવું હોય તો નિંદા છોડી દેવી જોઈએ . અને એકતા કરવી જોઈએ .

1 ટિપ્પણી: