ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 9 જાન્યુઆરી, 2021

તા.૯/૫/૫૯ અમદાવાદ આઈશ્રી સોનલમા નુ પ્રવચન નો અંશ


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

તા.૯/૫/૫૯ અમદાવાદ આઈમાનુ પ્રવચન નો અંશ
 
ચારણો સરસ્વતી પુત્ર કહેવાય , કાલિકાના પુત્રો નહિ , વિદ્યા એમને વરેલી . ચારણોની પડતી વિદ્યાને ત્યાગ કરવાથી જ થઈ છે એ વિદ્યા ફરીને આપણા જીવનમાં આપણે લઈ આવવી જોઈએ એને માટે ધનની ખોટ નહિ આવે વિદ્યા લેવા માંડશુ એટલે ધન તો દોડતું આવશે . 

ચારણાને બીજી જરૂર એકતાની છે , એકતા નહિ હોય પરસ્પર પ્રેમ નહિ હોય , તો દૈત્યો, દાનવો . એ વિદ્યા મેળવી જેમ દુરુપયોગ કર્યો તેમ થશે . ખરેખરી વિદ્યા તે એ કહેવાય કે જે એકબીજામાં પ્રેમ પ્રગટાવે એકતા લાવે . એકતા લાવવા માટે એક બીજાના ગુણ જોતા શીખવું જોઈએ એક બીજાથી સહકાર કરવો જોઈએ . અગુણ તો ઘણા દિવસ જોયા એક બીજાની ટીકા પણ ખુબ કરી . હવે એનાથી દુર રહેવું કે , જેથી સૌનું ભલુ થાય . નિંદામાં બુદ્ધિ વાપરવી એનું નામ જ અવિદ્યા .
 નિંદા કરનારને ભલે જરાવાર ફરસાણ ખાવાનો સ્વાદ આવે . પણ નિંદા કરવી એ કોલસાની દલાલી જેવું છે . એમાં હાથ , કપડાં અને માં એ બધુય કાળું જ થવાનું ' . માટે ચારણાએ જે પોતાનું ભલું ચાહવું હોય તો નિંદા છોડી દેવી જોઈએ . અને એકતા કરવી જોઈએ .

1 ટિપ્પણી:

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...