ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 8 જુલાઈ, 2020

ચારણ ગૌરવશ્રી રામભાઈ શિવદાન ચારણ ( કુવાવા )

ચારણ ગૌરવ
શ્રી રામભાઈ શિવદાન ચારણ ( કુવાવા ) નિવૃત શિક્ષક, હાલ -હિંમતનગર જિલ્લો-સાબરકાંઠા (ગુજરાત) *મોબાઈલ- ૯૪૨૮૬-૪૫૩૬૯*
એ છેલ્લા ૨૧ વર્ષ (30 નવેમ્બર ૧૯૮૬) થી વૃક્ષો વાવો,પર્યાવરણ બચાવો, પ્રકૃતિને ચાહો વન્ય સૃષ્ટિ નુ જતન કરો , વ્યસન મુક્ત બનો જેવા સૂત્રો સાથે ના ૪૦૦૦૦ ઉપરાંતના પોસ્ટકાર્ડ બૌદ્ધિકોને લખી અનોખો વિક્રમ સ્થાપ્યો છે. તેમના સન્માનમાં *ભારતીય ટપાલ વિભાગ* દ્વારા રૂપિયા ૫ ની *ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવેલ છે* જેનું વિમોચન આજરોજ સાબરકાંઠાના માનનીય સંસદ સભ્ય શ્રી દિપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.
      કલમનો સિપાહી ચારણ સમાજમાં પરિવર્તન લાવવા શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ને શ્રી રામભાઈ ચારણે તેમના કુટુંબને, કુવાવા ગામ અને સમસ્ત ચારણ સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે.
*નોંધ* - ચારણ સમાજ માં *પૂજ્ય કાગબાપુ* પછી તેઓ બીજા વ્યક્તિ છે કે જેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય અને ભારતમાં જવલ્લેજ એવું બન્યું છે વ્યક્તિની હયાતી માં તેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય.

1 ટિપ્પણી: