ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 26 ઑગસ્ટ, 2023

સોનલમા એજયુકેશનલ એવોર્ડ-૨૦૨૩




ચારણ - ગઢવી સમાજનાં વિદ્યાર્થીઓ જોગ સંદેશ

સોનલમા એજયુકેશનલ એવોર્ડ-૨૦૨૩

આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કરી રહ્યું છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે 'સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવાનું નકકી કરેલ છે. 
જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો.૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્ર-કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. 

આ માટે તા.૦૫/૦૯/૨૦૨૩ સુધીમાં છેલ્લી ૨૦૨૩ની પરીક્ષાની (૯૫ PR ઉપ૨ માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯-સુર્યા આર્કેડ, ત્રીજો માળ,જયુબેલી ચોક મુખ્ય પોષ્ટ ઓફિસ પાસે,રાજકોટ -૧ ઓફિસના સ૨નામે સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સાથે અરજી કરવી.

 જે વિદ્યાર્થીઓએ ૨૦૨૩ ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટની સ્કોલરશીપ માટે ફોર્મ ભરેલ છે તેઓએ ફરીથી આ અરજી કરવાની રહેતી નથી. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પ૨ સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.

*કૃપા કરીને સમાજના દરેક વિદ્યાર્થીઓ સુધી આ પોસ્ટ પહોંચાડવા વિંનતી છે*


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો