ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 3 માર્ચ, 2021

આઇશ્રી કંકુકેશરમાં કચ્છ પ્રવાસ



*આઈ શ્રી કંકુકેશરમાં*
*કચ્છ પ્રવાસ ૨૦૨૧*
પૂજ્યા આઈમાં તા.૦૨.૦૩.૨૦૨૧થી કચ્છ પ્રવાસની શરૂઆત વોન્ધ ખાતે આઈશ્રી જહુમાં નવલાખ આઈના થડેથી કરી ત્યારબાદ પૂજ્યા આઈમાં કબરાઉ ખાતે આવેલ આઈશ્રી મણીધર મોગલમાં ના ચરણો માં શીશ નમાવી રાત્રી રોકાણ ગાંધીધામ ખાતે કરેલ 
બીજા દિવસે તા.૦૩.૦૩.૨૦૨૧ના રોજ સવારમાં આઈમાં આદિપુર ખાતે *શ્રી જબરદાન નારણજી રતનુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય* ની મુલાકત લઈ ટ્રસ્ટીઓ તથા અભ્યાસ કરતી આપણાં સમાજની દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.
ત્યારબાદ આઈમાં કચ્છ ખાતેના આપણા સમાજના આગેવાનો ને સાથે રાખી હાલમાં મુન્દ્રા તાલુકા ના *સમાઘોઘા* ખાતે થયેલ આપણા સમાજના બે યુવાનો ની નિર્મમ હત્યા ના પીડિત પરિવાર ના સભ્યો ને મળી આશ્વાસન પાઠવવા ગયેલ જ્યાં પીડિત પરિવાર સાથે સમગ્ર વિશ્વના ચારણો તેમના દુઃખમાં સહભાગી છે તેમ જણાવી આઈમાં *સમાઘોઘા* મૃતકો ને ન્યાય મળે તેવી માં સોનલમાં પાસે પ્રાર્થના કરી આ પ્રવાસમાં *અખિલ કચ્છ ચારણ સમાજ પ્રમુખશ્રી વિજયભાઈ ગઢવી* પણ આઈમાં સાથે સામેલ રહી સમગ્ર ઘટના વિશે આઈમાં ને અવગત કરેલ હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો