આજ રોજ રાજુલા અને જાફરાબાદ ના ચારણ -  ગઢવી સમાજના પ્રમુખશ્રી ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ.
આજ રોજ તા.૨૬-૨-૨૦૨૧ ના રોજ અમુલી ગામ ખાતે  ચારણ - ગઢવી સમાજની મીટીંગ યોજાયેલ જેમાં સર્વાનુમત્તે ભાઈશ્રી રમેશભાઈ લાભુભાઈ મુળીયા ની  રાજુલા, જાફરાબાદ ચારણ - ગઢવી સમાજના પ્રમુખશ્રી તરીકેની વરણી કરવામાં આવેલ છે. 
જે મીટીંગ માં ચારણ - ગઢવી સમાજના અલગ અલગ ગામના આગેવાનો ,વડીલો ,તેમજ અખિલ ભારતીય ચારણ - ગઢવી મહાસભા (યુવા) ના હોદેદારો તેમજ ભાદરા થી આઇશ્રી મીણબાઈમા ની પાવન ઉપસ્થિતિ રહી હતી.
*સંગઠન એજ સમાજ પ્રગતિ નો શ્રેષ્ઠ માધ્યમ છે*
           *વંદે સોનલ માતરમ*
  
  
  
  
  
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો