ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 11 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

મુંબઈમાં પૂ . આઈશ્રી સોનલ  માના આશીવચન
 તા . ૨૯-૧૨-૭૩ ‘ ‘

 પૂ.આઈનો કંઠ અને આંખો મીચેલા ધ્યાનસ્થ ભાવથી એમના હૃદયતળ  માંથી આ પ્રાર્થના દોહો ગહેકી ઉઠ્યો

 શાંતિકરણ જગ ભરણ તું , ઘડણ  ઘણા ભવધાટ , 
નમો આદિ નારાયણી ! વિશ્વરૂપ વેરાટ .

 ત્યારે વાતાવરણમાં વિશુદ્ધિ સવાઈ ગઈ
 પૂ.આઈ એ બે પળ પછી આંખો ઉઘાડીને કહ્યું : “ ચારણો વિદ્યાને વરેલા હતા , તપને વરેલા હતા . એ વાત સાચી . પણ આજે એ વાત જૂની થઈ ગઈ છે , તેને તાજી કરવાની જરૂર છે . વિદ્યા બે પ્રકારની છે . વિદ્યા અને અવિદ્યા . 
જે જાણવાથી આપણું અને બીજાનું હિત થાય અને એ જ્ઞાનને પાછું ’ અમલમાં મૂકાય તે વિદ્યા . અને જે વસ્તુ જાણવાથી પોતાનું અને બીજાનું કંઇ ભલું ન થાય અને જે આચરણમાં ન ઉતરે , કેવળ તર્ક વિતર્ક અને અભિમાન ઉત્પન્ન કરે , તે વિદ્યા નહિ પણુ અવિદ્યા છે . અત્યારે જમાનાને ઝુકાવ વિદ્યા ફરતા અવિદ્યા તરફ વિશેષ છે ન ખાવાનું ખવાય છે , ન પહેરવાનું પહેરાય છે . જે આચરણ ભારત સંકુતિની વિરુદ્ધ છે તેવા આચરણ માં ગૌરવ મનાવા લાગ્યું છે . કાળા બજાર , રૂશ્વત ખોરી ચાલુ છે . ભારતવર્ષ આમાંથી બચે પોતાની સંસ્કૃતીને અપનાવે , સાચી વિદ્યાને વરે , એમ મારી જગદંબા પાસે પ્રાર્થના.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો