ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 13 સપ્ટેમ્બર, 2017

पीठड मा जीवन चरित्र

જય જય માઁ પીઠડ આઈ

શ્રી પીઠડ પરિવાર ગ્રુપ
પોસ્ટ તા.09.06.17 ગુરુવાર

પીઠડ આઈનુ જીવન ચરિત્ર

વિ.સ.1104મા આઈ પીઠડ નો જન્મ સોયાબાટી ના ઘેરે થયો. આ અરસામા નવાનગર રાજય(હાલનો જામનગર જીલ્લો) ના હાલાર પંથકમા થઈ મણવર અને સિંઘુડી નદીના પાણી બારેમાસ ઘીર ગંભીર વહયા જાય છે. આ બન્ને નદીના બેરણ વચ્ચે સોરઠા નામનુ ગામ વસી રહયુ હતુ જે ગામ આજે ઐતિહાસિક વાતની સાક્ષી પુરતુ મોજુદ છે.
   મણવર અને સિંઘુડી નદીના બેરણ વચ્ચે ઘણા માલધારી ચારણોના નેશ હતા. તેમા સોયા બાટી નામના ચારણનો પણ નેશ હતો.
સોયા આપા, માંત્રા આપા,માખણા આપા ત્રણેય સગા ભાઈઓ બઘા માલધારીઓ મા સોયા બાટીનુ માન-પાન વઘુ વળી પોતે પૈસે-ટકે પણ સુખી અને પશુધન પણ ઘણુ અને ઉદારતા પણ સોયા બાટીની જ એટલે કાયમ ઘેર પાંચ-સાત મહેમાન તો હોયજ આવા ગુલાબી દીલના ચારણના ઘરવાળી પણ એવાજ.નામ માલુબાઈ નરા-શાખાના ચારણના દીકરી માલુબાઈ એટલે સાક્ષાત દૈવીનો અવતાર..સોયા બાટી અને માલુબાઈ ને ઘેર શેર માટીની ખોટ હતી..સંત ભોરિંગનાથ જે શેષનાગનો બીજો અવતાર તેમના એક વચનને ખાતીર સોયા બાટીના ઘેર આઈ પીઠડ નો જન્મ થાય છે..(આ વાત હુ પહેલા મેસેજમા વિગતવાર ટાઈપ કરી છે ભોરિંગનાથ વારી....ભૂલ-ચુક માફ કરજો પુજારી ગોસાઈ અનીલગીરી ને)
        માલધારીઓનુ જીવન વરસાદને આભારી હોય છે.જેઠ મહીનાના દીવસો હતા રાજય સરકારે દુષ્કાળ જાહેર કર્યો.હાલારની લીલુડી ઘરતી વેરાન બની ગઈ.....
માલધારીઓ માથે દુખના ડુંગર પડયા..સોયા બાટીને ઘેર આજે દિકરીની છઠ્ઠીનો દીવસ હતો બઘાજ ચારણ માલઘારીઓ સોયાબાટી ના ઘેર ભેળા થયા હતા...દીકરીનુ નામ "પીઠડ રાખ્યુ ..."છઠ્ઠી ની વીઘી પુરી કર્યા પછી પશુઘનની શુ વ્યવસ્થા કરવી એવુ સર્વાનુ મતે નક્કી થયુ..સોયાબાટી ની સલાહ લીઘી તમો સૌ માલને હાંકી ઉગમણી દીશા ભણી ઉપડો હુ 15 કે 20 દીવસ પછી આવીશ..માતાજી સૌની સહાય કરશે..પણ માલધારીઓ યે અંદરો-અંદર નક્કી કર્યુ કે સૌ સાથેય જાશુ એમ નક્કી કરી સૌ પોત પોતાના નેશ ભણી વિદાય થયા..
      *રાત જામતી હતી સોયા બાટી પથારીમા પડયા પડયા પડખા ફર્યા કરે પોતાને ઘેર સુવાવડનો ખાટલો છે વરસાદ છે નહી માલઘોરની ચિંતા સતાવે છે...ચિંતામા ને ઉપાઘીમા કયારે નીંદર આવી ગય ખબર ન રહી..નિંદ્રા યે ચિંતા હરી લીધી..
        સોયા બાટી યે નિંદ્રા મા અદભૂત ચમત્કાર જોયો ચમત્કાર પણ કેવો ?
*જાણે જગદંબા પોતાની સામે આવીને ઉભા હોય તેવો ભાસ થયો. પોતે ડરી ગયા..
     "હૈ..આપા તમે ડરશો નહી હુ તમારી દીકરી પીઠડ છુ. અમે નવદુર્ગાના અવતાર રુપે નવ બહેનો તમારે ત્યા અવતરીશુ..મારા પછી તમારે ત્યા 6 બહેનો અને તમારા ભાઈઓ ને ત્યા એક-એક એમ અમો કુલ નવ બહેનો જન્મશુ...અમો નવ બહેનો બહ્મચર્ય પાળી મંદીરે પજાઈશુ. જે જે ઠેકાણે અમો રમણ કરી પરચા પુરીશુ તે તે સ્થળ અમારા નામથી પ્રસિદ્ધ થશે..પણ જયારે તમારા મોઢેથી અમારા અવતારની વાત બહાર પડશે ત્યારે અમો પૃથ્વીમા સમાઈ જાશુ..આપા તમે મુજાતા નહી મારુ દુખ તમને નહી પડવા દઉ. તમો માલઢોર હાંકી ઉતરાદી દિશા ભણી જાજો "ચોથા" નેશે ખડપાણીની બહોળાશ હશે..ત્યાજ વસવાટ કરજો..મારી આજની નિશાની રુપે તમારા ઓશિકે લાલ રંગની લોબડી(ઉનનો કામળો), છેડે ચાંદીના ઘુધરા હશે..આકાશવાણી બંઘ થઈ
      સવાર પડયુ સોયા બાટી જાગ્યા જાગીને સપનાની વાત યાદ કરી. તેણે ઓશીકે જોયુ તો લાલરંગની લોબડી ચાંદીના ઘુઘરાવાળી કામળી નજરે પડી..સોયા બાટી યે બે હાથ જોડી વંદન કર્યા.
            દુહો
"સોયાની તુ સોરઠે,આઈ પીઠડ જે આપ"
"તે મેટયા સોયા તણા તનના ત્રણેય તાપ"

       *સોયા બાટી ને આનંદનો પાર નથી..દીવસના પરોઢયે સોયાબાટી ના કહેવા મુજબ સૌ ઉતરાદી દિશા ભણી રવાના થયા..સુરજ દાદા મઘ્યાહને આવે છે ત્યા માલઘારી વિસામો લઈ ટીંમણ કરે છે જયા સાંજ પડે ત્યા રાતવાસો કરે છે...આમને આમ માલને હાંકતા હાંકતા માલધારીઓ ઉતરાદિ દીશા તરફ આગળ વઘ્યા જાય છે..આમ કરતા કરતા ચોથા દીવસે ને ચોથા મુકામે "સોનાલીનો ટીંબે આવી પડાવ નાખ્યા..આ ટીંબો પીઠડ ગામ અને પડાણા ગામની વચ્ચે આવેલો છે..આ વિસ્તારની સીમા આજે પણ સોનેલી ટીંબા તરીકે ઓળખાય છે. "
1)શ્રી પીઠડ આઈ
2)શ્રી કાંત્રોડી આઈ
3)શ્રી કળંબાય આઈ
4)શ્રી રખાઈ આઈ
5)શ્રી સુંદરી આઈ
6)શ્રી ભીંચરી આઈ
7)શ્રી શિંહોરી આઈ
8)શ્રી માંત્રી આઈ
9)શ્રી માખણી આઈ
નવે બહેનોના નામ ઉપરથીજ હાલમા તે ગામના નામો પણ તે જ છે...હૈ માઁ પીઠડ આઈ તમારા પ્રાગટય નો મેસેજ ટાઈપ કરવામા કોઈ નાની મોટી ભૂલો રહી ગઈ હોય તો માઁ તમારા મંદીરના પુજારી ગોસાઈ અનીલગીરી બાબુગીરી ને માફ કરજો મારો ઘ્યેય તમારા પરચો અને સાચી માહીતી લોકો સુઘી પહોચા અને આ ઈતિહાસ ના રચિયતા પીઠડ ગામના વિદવાન કવિ હરસુરદેવ બારોટને બઘા યાદ કરે કેવો સરસ માઁ પીઠડ નો ઈતિહાસ લખ્યો છે..ને મારા પરમ મિત્ર મુકેશભાઈ બારોટ દેવ ને વંદન હુ ગમે ત્યારે કોલ કરુ તો સચોટ માહીતી મને પુરી પાડે છે...
ટાઈપીંગ:-પુજારી
ગોસાઈ અનીલગીરી બાબુગીરી
ઈતિહાસ ના રચિયતા
વિદવાન કવિ હરસુરદેવ બારોટ
શ્રી પીઠડ આઈ ઘામ
શ્રી પીઠડ પરિવાર વોટસપ ગ્રુપ:-પીઠડ
મો.નં:-9426953005
ગામ:- પીઠડ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો