ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 30 ઑક્ટોબર, 2023

ગુરુવાર, 5 ઑક્ટોબર, 2023

ગઢવી સમાજનું ગૌરવ શ્રીમતી પૂજાબેન અયાચી.

ગઢવી સમાજનું ગૌરવ શ્રીમતી પૂજાબેન અયાચી.

શ્રીમતી પુજાબેન ઘનશ્યામદાન અયાચી
ઈશ્વરદાન ચીમનદાન ગઢવી ના દીકરી 
મૂળ. માણસા (હાલે ભુજ) 
તા. વિજાપુર
જન્મ સ્થળ :- વડોદરા

આપશ્રી સમાજમાં ઉમદા કાર્યો કરી તથા વિવિધ સામાજિક ક્ષેત્રે જોડાયેલા છો તથા આપ અખિલ ભારતીય ગઢવી ચારણ મહિલા મહાસભાના પૂર્વ કચ્છ ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છો તથા આપનો સહકાર સમાજને અવાર-નવાર મળતો રહ્યો છે.
કચ્છ રત્ન એવા આદરણીય શ્રી જબરદાન નારણદાન જી રતનું ના ધર્મ ના દીકરી છે. 
શ્રીમતી પૂજાબેન
જીવદયા ના કાર્યો.
મિલે સુર હમારા વુમન્સ કરાઓકે સંસ્થા.
સૂર આરાધના મ્યુઝિક્લ ક્લબ ના પ્રમુખ. 
અને માનવજ્યોત સંસ્થા સાથે સાંકળાયેલ છે. 
તેમજ ધર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે

આપશ્રી દ્વારા લોકગીત , સંગીત સ્પર્ધાનું સુંદર આયોજન અનેક વખત કરવા માં આવતું હોય છે જે ખૂબ જ પ્રંસનીય અને પ્રેરણા દાયક છે તે બદલ અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ આપશ્રી ભવિષ્યમાં પણ વિવિધક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા .
આપ.શ્રી "મીલે સુર હમારા વુમન્સ મ્યુઝીક કરાઓકે" સંસ્થાના આજીવન પ્રમુખ તરીકે આપની નિમણુંક થયેલ છે. અને સંસ્થા પાંચમાં વર્ષમાં સંગીતમય પ્રવેશ કરી રહી છે ત્યારે આપને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

 આપના દ્વારા ઉગતા કલાકારોને ભવિષ્ય માટે પ્રોત્સાહન પુરુ પાડવામાં આવી રહ્યું છે. 
આ ૪ વર્ષમાં આપની મહેનતથી કોઇ અજાણ નથી. આપે જે સંસ્થા ઓ માટે કાર્ય
કર્યું છે તે ઉત્તમ છે. 
ભવિષ્યમાં આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અભ્યર્થના સાથે આપને દરેક ક્ષેત્રે માતાજી ખૂબ જ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના સાથે અભિનંદન 💐💐💐

રવિવાર, 3 સપ્ટેમ્બર, 2023

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદ માંથી MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સિવિલ સર્વિસીસ માં પોતાની કારકિર્દી બનાવવા યુ.પી.એસ.સી. ની પરીક્ષા ની તનતોડ મહેનત આરંભી દીધી. ઈશ્વર જાણે એના ધૈર્ય ની કસોટી કરતો હોય એમ ચાર-ચાર વખત પર્સનાલિટી ટેસ્ટ(ઈન્ટરવ્યુ) સ્ટેજ સુધી પહોંચીને થોડા જ અંતરથી મેરિટ લિસ્ટ માં નામ રહી જતું હતું, પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અભ્યાર્થી ના પરિશ્રમ ની સાથે એના ધૈર્ય ની પણ આકરી કસોટી કરતી હોય છે. આવી આકરી તપતી ભઠ્ઠી માંથી જ્યારે કંચન બની ને કોઈ બહાર નીકળે છે ત્યારે એ સફળતાનો સ્વાદ ખરેખર બેજોડ હોય છે. ડો. મનોજ બારહટ્ટ હાલ માં ભારતીય રેલસેવાઓ માં ક્લાસ-૧ ઓફિસર ની સેવા આપી રહ્યા છે.
આવા મેધાવી અને ધૈર્યવાન મિત્ર એવા ડો.બારહટ્ટ ને અંતર ના ઊંડાણ થી ખોબલે ખોબલે શુભેચ્છાઓ  💐💐

શનિવાર, 26 ઑગસ્ટ, 2023

સોનલમા એજયુકેશનલ એવોર્ડ-૨૦૨૩




ચારણ - ગઢવી સમાજનાં વિદ્યાર્થીઓ જોગ સંદેશ

સોનલમા એજયુકેશનલ એવોર્ડ-૨૦૨૩

આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કરી રહ્યું છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે 'સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવાનું નકકી કરેલ છે. 
જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો.૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્ર-કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. 

આ માટે તા.૦૫/૦૯/૨૦૨૩ સુધીમાં છેલ્લી ૨૦૨૩ની પરીક્ષાની (૯૫ PR ઉપ૨ માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯-સુર્યા આર્કેડ, ત્રીજો માળ,જયુબેલી ચોક મુખ્ય પોષ્ટ ઓફિસ પાસે,રાજકોટ -૧ ઓફિસના સ૨નામે સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સાથે અરજી કરવી.

 જે વિદ્યાર્થીઓએ ૨૦૨૩ ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટની સ્કોલરશીપ માટે ફોર્મ ભરેલ છે તેઓએ ફરીથી આ અરજી કરવાની રહેતી નથી. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પ૨ સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.

*કૃપા કરીને સમાજના દરેક વિદ્યાર્થીઓ સુધી આ પોસ્ટ પહોંચાડવા વિંનતી છે*


જૂનાગઢ : 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પાયલોટ ભૂપેન્દ્રભાઈ ગઢવીને અભિનંદન.

રાજ્ય સરકાર હેઠળની તથા
ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ કે જે પી.પી.પી.ના મોડલ હેઠળ રાજ્યમાં આપત્તકાલિન આરોગ્ય સેવા તથા આરોગ્યની આનુસંગિક સેવાઓ મારફત નાગરિકોની સેવામાં સતત કાર્યરત છે.

જૂનાગઢ જિલ્લા ખાતે વર્ષ-2007થી,
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
આ સેવાના પ્રારંભકાળથી જ પાયલોટ તરીકે ભૂપેન્દ્રભાઈ એમ.ગઢવી (નરેલા) જૂનાગઢ જિલ્લા ખાતે પ્રશંસનીય ફરજ બજાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ્દ હસ્તે બેસ્ટ પાયલોટ સન્માન સહિત અનેક ઍવૉર્ડ તથા સન્માનપત્રોથી તેઓ સન્માનિત થયા છે.

આજરોજ પાયલોટ તરીકે તેઓની સેવાને ૧૫ વર્ષ પૂર્ણ થતાં ભૂપેન્દ્રભાઈ એમ.ગઢવી(નરેલા)ને ખૂબ ખૂબ અભિનંદન...

બુધવાર, 12 જુલાઈ, 2023

ગીર ના નેસ નું ગૌરવ

ગીર ના નેસ નું ગૌરવ

    ગીર ના જંગલ ના સાપ નેસ માં વસવાટ કરતી દીકરી ક્રિષ્નાબેન બાબુભાઈ લોમા  જવાહર નવોદય વિધાલય ની કેન્દ્ર કક્ષાએ લેવાતી પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલ છે.સાવ નજીવા શિક્ષણ અને સુવિધાઓ સાથે આ પરીક્ષા પાસ કરીને પોતાની ક્ષમતા જગત સમક્ષ રાખી છે.

    ખરેખર હાલ માં ગીર જંગલ ના નેસો (જૂનાગઢ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં) માં  શિક્ષણ ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.ગીર ના જંગલ ના નેસો માં શિક્ષણ ની સુવિધાઓ ઉભી કરવામાં સરકાર ક્યાંક ને ક્યાંક ઉદાસીન વલણ દાખવતું આવ્યું છે.

ગીર ના જંગલોના નેસો માં વસવાટ કરતા માલધારીઓ મુખ્યત્વે પશુપાલન નો વ્યવસાય કરીને સદીઓથી વન્યસંપદા નું રક્ષણ કરીને સહજીવન નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.નેસ માં મોટાભાગ ના માલધારીઓ અભણ છે અને પોતાના હક્કો પ્રત્યે જાગૃત નથી.
      RIGHT TO EDUCATION,2009 અંતર્ગત ગુજરાત સરકાર શ્રી ના Right of children to free and  compulsory education rules 2012 ના સેક્શન 5(2) મુજબ ધોરણ 1 થી 5 ના બાળકો માટે 1 કિલોમીટર ના અંતર અંદર અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે 3 કિલોમીટર ની અંદર શાળા હોવી જરૂરી છે.તેમજ સેક્શન 5(4) મુજબ ભૌગોલિક પરિસ્થિતિ,રસ્તાઓ નો અભાવ,નાના બાળકો માટે શાળાએ જવાનો રસ્તો ભયજનક હોય તો આ અંતર ઘટાડી શકાય.પરંતુ આની અમલવારી થતી નથી.દરેક નેસ માં શાળાઓ ઉપલબ્ધ નથી.
              ભારત સરકાર દ્વારા બંધારણ માં 86મો સુધારો કરીને આર્ટિકલ 21-A દ્વારા 6 થી 14 વર્ષ ના બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો બંધારણીય મૂળભૂત હક્ક આપવામાં આવ્યો છે.તેમજ ઉપર જણાવેલ કાયદા અને જોગવાઈઓ મુજબ નિયત અંતરે શાળા સ્થાપવાની,દરેક ને પ્રાથમિક શિક્ષણ મળે માટે ની વ્યવસ્થા કરવાની,શાળા ના મકાન સહિત ના માળખા ની વ્યવસ્થા ની,શૈક્ષણિક સ્ટાફ અને શૈક્ષણિક સામગ્રી પુરી પાડવાની જવાબદારી રાજ્ય સરકાર અને સ્થાનિક સતાતંત્ર ની છે.નેસ ના માલધારીઓ ના બાળકો પણ અન્ય મુખ્ય ધારા માં અભ્યાસ કરતા બાળકો ની જેમ કોમ્પ્યુટર, ટેકનોલોજી સાથે નું શિક્ષણ મેળવે એ તેમનો બંધારણીય હક્ક છે.
     હાલ માં નેસો માં શિક્ષણ માં ડ્રોપઆઉટ નો રેશિયો ઊંચો છે અને ખાસ કરીને કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઊંચો છે.

     ઉપરોક્ત જોગવાઈ અનુસાર શિક્ષણ વિભાગ અને વનવિભાગ દ્વારા સંકલન સાધીને નેસો માં શાળા નું ટેકનોલોજી સાથે નું શિક્ષણ.પૂરું પાડવું જોઈએ.તેઓને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા પૂરી પાડવી જોઈએ.
નેસ ની નજીક ના શહેરી વિસ્તાર માં નેસ ના બાળકો માટે ખાસ માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક કક્ષાના શિક્ષણ માટે નિઃશુલ્ક વ્યવસ્થા ,હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ અને આજ ના આ સ્પર્ધાત્મક પરીક્ષા ના યુગ માં નેસમાં અભ્યાસ કરીને ,નેસો માં રહીને આવેલ બાળકો ને ખાસ સ્કોલરશીપ આપીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પેકેજ જાહેર કરવું જોઈએ અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ખાસ આયોજન સાથે સ્પેશિયલ પેકેજ જાહેર કરીને ખરેખર 'સૌનો સાથ ,સૌનો વિકાસ' અને વંચિતો ના વિકાસ માટે ના સૂત્રો ને ખરા અર્થ માં ચરિતાર્થ કરીને નેસો ના બાળકો ને શિક્ષણ ની વ્યવસ્થા માટે નક્કર પગલાંઓ ભરવા પડશે.આ નેસો માં રહેતા બાળકો ના શિક્ષણ માટે સરકારે કંઈક નક્કર પગલાંઓ લેવા જ પડશે.
ચાલો આગળ વધીએ,એકત્રિત થઈએ અને આવા વંચિતો ને પણ શિક્ષણ મળે અને આ સ્પર્ધાત્મક યુગ માં બરાબરી નો મોકો મળે એ માટે એક નવી કેડી કંડારીએ.
 
     નેસ ની એક ચૌદ વર્ષ ની ચારણકન્યા સિંહ ને ભગાડી મુકતી હોય ,નેસ ની બાળા કોઈ પણ સુવિધા વગર જવાહર નવોદય ની પરીક્ષા પાસ કરતી હોય અને આવા તો અનેક દાખલાઓ ગીર માં બનેલ છે જ્યાં સાહસ, બુદ્ધિમતા અને ધૈર્ય નો પરિચય આપ્યો છે.આ ટેલેન્ટ ને યોગ્ય દિશા માં વાળીએ તો નેસ ની બાળકી IAS/IPS તેમજ ઉચ્ચ અધિકારીઓ તરીકે જોવા મળે એમાં બેમત નથી.

"શિક્ષણ એ સિંહણ નું દૂધ છે.જે પીશે એ ત્રાડ પાડશે જ" 
અને આ માલધારીઓ ના બાળકો/બાળકીઓ તો સિંહ સાથે જ મોટા થયા છે હવે આ બાળકો ને શિક્ષણ ની ઉત્તમ વ્યવસ્થા સાથે યોગ્ય દિશા મળી જાય તો આ બાળકો પોતાની તાકાત નો પરિચય સ્વંય જ કરાવશે.

9909829551

મંગળવાર, 11 જુલાઈ, 2023

ચારણ - ગઢવી સમાજનું ગૌરવ :- રશ્મિ ગઢવી

ચારણ - ગઢવી સમાજનું ગૌરવ :- રશ્મિ ગઢવી

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા Class -1 (વર્ગ -૧) તરીકે નિયુક્ત થવા બદલ રશ્મિ હિમાંશુ ઝૂલા ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ઉતરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ 💐💐💐

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...