ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 29 એપ્રિલ, 2019

મતદાન કરતા ભગવતી શ્રી કંકુ કેશરમાં

લોકતંત્ર ને મજબુત બનાવવા અને ભારત નુ ભાવી મજબુત રાષ્ટ્રના નિર્માણ મા મતદાન રૂપી આશિર્વાદ આપતા ચારણકુળ તારણ ભેળીયાધારી ભગવતી પૂ આઇશ્રી કંકુકેશરમા .રાજસ્થાન ખાતે પોતાના મતદાન ની ફરજ બજાવી

ચરજ નેટવર્ક મેગેઝીન

આપણા ચારણો અને ચારણ યુવાનોએ "દેશભક્તિ" શીખવી હોય તો કોના પાસેથી શીખવી જોઈએ ?


જવાબ છે – ૧) શ્રી કેશરીસિંહજી બારહઠ ૨) શ્રી કાનદાસજી મેહ્ડું ૩) શ્રી નિરંજન વર્મા અને ૪)શ્રી દુલાભાયા કાગ...જેવા ચારણ પૂર્વજો પાસેથી .


આ ચારેય મહાન ચારણ વિભૂતિ અને ક્રાંતિકારીઓ પાસેથી  "દેશ" કોને કેહવાય અને "દેશભક્તિ" કોને કેહવાય એના સંસ્કાર આપણને ગળથૂથીમાં મળેલાં છે .આ ચારેય ચારણ વિભૂતિઓના  ‘દેશભક્તિ ‘ અને “દેશ “ વિશેના વિચારો ખુબજ સ્પષ્ટ અને સાચા હતા.


એમની  ગળથુંથીને ભૂલીને, જેમણે આઝાદીની લડતમાં શેક્યો પાપડેય નથી ભાંગ્યો એમની પાસેથી દેશભક્તિને રાષ્ટ્રવાદ શીખવા જવું ..એવાની વાતમાં હઈસો હઈસો કરીને  તાબોટા પાડવા ..એવા તકવાદીઓથી અંજાઈ જવું ....એના જેવી મુર્ખામી બીજી કોઈ નથી.


આજે આપણા વડીલો અને  યુવાનો પોતાના નાના એવા સ્વાર્થ,ખોટી લોકપ્રિયતા અને ઈતિહાસની ખોટી સમજણથી, 24 X 7 ફેસબુક અને સોશિયલ મીડિયા પર,  ખોટા દેશભકત અને રાષ્ટ્રવાદીઓના જે ગુણગાન  કર્યા કરે છે.....એમને એટલું જ કેહવાનું કે તમે તમારા મુળિયાને ,આપણા ચારણ પૂર્વજોએ દેશ માટે આપેલા બલિદાનને,એમની વિચારધારાને  અને આપણા સાચા ઈતિહાસ ને ભૂલી ગયા છો....સહેજ પણ જો તમારામાં ચારણપણું બચ્યું હોય તો.. ચેતો બાપ..ચેતો !!!

ચારણ સમાજનું ગૌરવ


સમગ્ર ચારણ સમાજ નું ગૌરવ અને કરછ ના પૂર્વ સાંસદ આદરણીય વડીલ શ્રી પુષ્પદાન ગઢવી તેમજ એમના પરીવાર દ્વાર આગામી સમય માં ભુજ ખાતે ચારણ (ગઢવી) કન્યા છાત્રાલય બનાવવા માટે ભુમીદાન આપવામાં આવ્યું સમગ્ર પરીવાર ને ખુબ ખુબ અભિનંદન.... જય માં સોનલ


સુરત સોનલ કરણી પરિવાર જનરલ મીટિંગ

આજ સુરત સોનલ કરણી પરિવાર ની જનરલ મીટિંગ રાખેલ.જેમાં પ્રમુખ શ્રી રાજેશભાઈ ઠાકરિયા ની અંગત કારણોસર  પ્રમુખ તરીકે અન્ય બંધુ પરિવાર માં થી નિમણૂક કરવાની વાત રજૂ કરેલ.પરંતુ સમાજ ના વડિલો ની આજ્ઞા  આશીર્વાદ અને યુવા બંધુઓ નો  નેહ નીતરતા આગ્રહ  ને વશ થાઈ ને ફરી સુરત ચારણ ગઢવી સમાજ ના પ્રમુખ તરીકે ની જવાબદારી સ્વીકારી.રાજેશભાઈ આપ ના જે સમાજ પ્રત્યે ની ભાવનાઓ લાગણીઓ છે સહુ ને સાથે રાખી એક મણકા ની માલા બનાવી આજ ગુજરાત ચારણ સમાજ માં સંગઠન તરીકે સુરત સોનલ કરણી પરિવાર ને ઉદાહરણ રૂપ દેખાડવા માં આપ નો યશસ્વી ફાળો રહ્યો છે ને આગામી વરસો માં આપ ની સેવા માં સમાજ ઉપયોગી કાર્ય કરશો તેવી શુભેચ્છાઓ. આજ મિટિંગ માં મંદિર નિર્ણય કમિટી ના સદસ્યો ની નિમણૂક કરવા માં આવી.તથા વર્કિંગ કમિટી બનાવા માં આવેલ છે

1)જોરુભા મુળિયા
2)નરસંગભાઈ ઠાકરિયા
3)આપાભાઈ સુરું
4)ગંભીરદાન બારહટ
5)પરબતભાઇ ભાન
6)અશોકભાઈ મહેડુ
7)રમેશભાઈ ખડીયા
8)રાજેશભાઈ ઠાકરિયા પ્રમુખશ્રી
9)જગદીશભાઈ જાળંગ
10)બજરંગસિંહ કવિયા
11)સાવંતસિંહ ખડીયા
12)વિક્રમભાઈ ભાન
13)કલ્યાણદાન રતનું
14)વજુભા ખાતરા
15)કિશનજી દેવલ
16)સુમેરસિંહ સાંદુ
17)શંભુદાન દેથા
18)પ્રવીણદાનજી રતનું

*વર્કિંગ કમિટી*
*અમરોલી ઝોન*
૧)અમિતભાઇ પાલિયા
૨)કેશુભાઈ ભાન
૩)વિજયભાઈ ભાન
૪)સાજણભાઈ

*કતારગામ ઝોન*
૧)અમરદાન બાટી
૨)કનુભાઈ વિકલ
૩)હિતેશભાઈ ખાત્રા

*પુણા-પર્વતપાટિયા ઝોન*
૧)આનંદજી રતનું
૨)ભવાનીસિંહ કવિયા
૩)મહેશદાન વીઠું
૪)રાજુભાઇ કિનીયા

*ઉધના-સચિન ઝોન*
૧)કિશનદાન લાંબા
૨)ગોરધન દાન
3)ઇશ્વરદાન

*મજુરા-ઘોડાદોડરોડ ઝોન*
૧)રણજીતભાઈ ખડીયા
૨)શક્તિ કવિયા
૩)સંપતભાઈ પાલાવત

*અડાજણ-રાંદેર ઝોન*
૧)સમીરભાઈ ખડીયા
૨)અજીતભાઈ મોડ
૩)રાહુલભાઈ રાબા

*વરાછા ઝોન*
૧)લખુભાઈ ભાન
૨)મનહરભાઈ સુરું
3)ભરતભાઈ સિંહઢાયચ
૪)સતીષ કિડિયા
૫)પાર્થ ટાપરિયા
૬)સંજયભાઈ સુરું

*કામરેજ-કડોદરા-સાયણ*
૧)લાખાભાઈ ગઢવી
૨)જગદીશભાઈ ઇસરાની
3)રમેશભાઈ ઘાઘણીયા

23 મો પાટોત્સવ ભગુડા મોગલધામ


આઈશ્રી મોગલધામ ભગુડા ખાતે 23 મો પાટોત્સવ , સાતમો એવોર્ડ વિતરણ , સંતવાણી તેમજ સર્વે રોગ નિદાન કેમ્પ, અને રક્તદાન શિબીર નું પણ આયોજન કરેલ છે.


તો દરેકે આ કાર્યક્રમમાં અચુક હાજર રહેવુ અને લાભ લેવા વિનંતી.


*કેમ્પ સમય :-*

 સવારે 9 થી બપોરના 1 સુધી


*રક્તદાન શિબીર:-*

તારીખ : 16-5-2019 સાંજના 4 કલાકથી


*સર્વે રોગ નિદાન કેમ્પના આયોજન કરતા રાહુલભાઈ લીલા તેમજ તેમની ટીમ*

રાહુલ લીલા સંપર્ક :-

 9925818193


*સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ G.T.P.L ડાયરો ચેનલ પર થી કરવામાં આવશે અને આપના મોબાઈલ અને લેપટોપ માં જોવા માટે યુટુબમાં Om bhumi Studio પર થી કરવામાં આવશે*



શુક્રવાર, 26 એપ્રિલ, 2019

(પી.એસ.ગઢવી સાહેબ) દ્વારા આપવામા આવેલો યશસ્વી ચુકાદો


સુરત એડી.જીલ્લા ન્યાયાધિશ પ્રતાપદાનજી શંભુદાનજી ગઢવી (પી.એસ.ગઢવી સાહેબ) દ્વારા આપવામા આવેલો યશસ્વી ચુકાદો.

સોમવાર, 22 એપ્રિલ, 2019

દાદબાપુ ની એક કવિતા

કવિતા

તાર વીણાનાં કે સંતુરના તમે તોડી શકો ,
પણ મયુર નાં ટહુકાને તમે તમેં એમ નાં તોડી શકો .~૦૧

ડરાવી ધમકાવી ઇન્સાન નાં બે હાથ જોડાવી શકો ,
પણ સિંહના પંજાને તમેં એમ નાં જોડાવી શકો .~૦૨

ભણતર ભણી દેશ પરદેશ, તમેં ઉચ્ચ પદવી પામી શકો ,
પણ આભના અગણિત તારા તમેં એમ નાં ગણી શકો .~૦૩

બાંધીને મોટા બંધ , ગાંડીતુર નદીયુ નેં તમેં નાથી શકો ,
પણ નભથી વરસતા નિર , તમેં એમ નાં રોકી શકો .~૦૪

વાટીને વન તણી વનરાઇ , તમેં હજારો દર્દને દાબી શકો  ;
પણ વહેમ ના રોગને તમેં એમ નાં મટાડી શકો .~૦૫

દોડીને દિવસ રાત , તમેં ધરતી એમ ધમરોળી શકો ;
પણ અંતપળની ઘડી તમેં એમ નાં ખોળી શકો .~૦૬

આભથી ખર્યુ તમેં છિપમા જીલી શકો ;
પણ આંખથી ખર્યુ તમેં એમ ના જીલી શકો .~૦૭

શિખરો કઇ સર કરી કિર્તીના સ્થંભ તમેં કોતરાવી શકો .
પણ *"દાદ"* ગામને પાદર એક પાળીયો તમેં એમ નાં ખોડાવી શકો .~૦૮

*કવિ :~ દાદ બાપુ*

*( ૧૮ / ૦૭ / ૨૦૧૮ , 04 : 06 AM )*

*ટાઇપ :~ ધર્મેશ ગાબાણી*
૭૬૯૮૮૨૪૬૨૧

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...