ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2022

રામ કથા મહુવા

મહુવા પાસે અરબી સમુદ્ર તટે આવેલ ઐતિહાસિક અને પ્રાચીન ભવાની માતા મંદિર પરિસરમાં પૂ. મોરારીબાપુની ૯૦૪ મી રામકથાનો આજરોજ તા.૨૪/૯/૨૨ ના રોજથી પ્રારંભ થઇ રહ્યો છે અને તા.૨/૧૦/૨૨ના રોજ કથા વિરામ લેશે. 

નવરાત્રી પર્વ દરમ્યાન આદ્યશક્તિ ભવાની માતાજીના ચરણોમાં પૂ. મોરારીબાપુના શ્રીમુખેથી ગવાનાર રામકથા પરત્વે મહુવા પંથકમાં સ્વયંભૂ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. 
કથાના નિમિત્ત માત્ર (યજમાન) શ્રી ચીમનભાઈ વાઘેલા ,સ્વ.પ્રવીણભાઈ વાઘેલા તથા વી ટી. પરિવાર દ્વારા સર્વને કથા શ્રવણ અને પ્રસાદ માટે ભાવપૂર્ણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 બહારગામથી પધારનાર મહેમાનો માટે ઉતારા તથા દરેક પ્રકારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.સ્વયં સેવકો દ્વારા સરાહનીય સેવા કરવામાં આવી રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...