ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 17 માર્ચ, 2021

આજે ફાગણ સુદ ૪ એટલે પદ્મશ્રી ભક્તકવિ દુલાભાયા કાગ (ભગતબાપુ) ની ૪૪ મી પુણ્ય તિથિ


આજે ફાગણ સુદ ૪ એટલે પદ્મશ્રી  ભક્તકવિ દુલાભાયા કાગ (ભગતબાપુ) ની ૪૪ મી પુણ્ય તિથિ 

તે નિમિતે આજે (ભગત બાપુ) નો સંક્ષિપ્ત પરિચય


 ------------------------------------

 *નામ: -* દુલા ભાયા કાગ
 *પિતાનુનામ નામ: -* ભાયાભાઈ કાગ
 *જન્મ તારીખ: -* 25-11-1902
 *જન્મ સ્થળ: -* સોડવદરી
 *અભ્યાસ  : -* પાંચ ધોરણ
 *કવિતા: -* કાગવાની ભાગ 1 મી 8

 ઈ.સ.1962 ભારત સરકાર દ્વારા ના રોઝ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો.
 *અવશાન: -* ફાગણ - સુદ -૪ અને તા.  22-02-1977

દુલા ભાયા કાગ ગુજરાતી કવિ , ગીતકાર , લેખક હતા . તેમનો જન્મ સૌરાષ્ટ્રના સોડવદરી ગામે થયો હતો . • જ્ઞાન , ભક્તિ અને નીતિ - આચરણ જેવા વિષયોને ચારણી છંદ , ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે . 
તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે , જે ભજનો , રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે . તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે . • *૨૫ નવેમ્બર ૨૦૦૪ ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી*

 તેમની પુણ્યતિથિ  નિમિત્તે આવિ મહાન વિભૂતિ કોટિ કોટિ કોટિ વંદન

કાગબાપુ ની પુણ્યતિથિ પર ગુજરાત ગૌરવ સમાન કવિને નમન 
લોક કવિઓ તો ગુજરાત ના પ્રાણ સમાન છે.
એમાંય દુલા કાગ એટલે જન સાધારણની શાશ્વત મનીષાનુ અસાધારણ પ્રતિનિધિત્વ.
ગુજરાતી સાહિત્યના આ શિરોમણી કવિઓ તો આજે આપણી વચ્ચે નથી પણ એમનો ચારણી છાટવાળો શબ્દદેહ, ભજન, પ્રાર્થના, દુહા,જેવા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે.
*કાગ* એટલે સર્વેમા નોખા તરી આવે એવા સાહિત્યકાર , ચારણ કુળમાં જન્મેલા દુલા ભાયા કાગ ગુજરાતી ભાષાના આગવા રચનાકારોમા શીર્ષસ્થ. છે.
તેમની રચનાઓ લોકબોલીમા, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચાર પ્રેરક અને ચિંતનપ્રદ બૌદ્ધ આપી જાય છે



.      कविश्री काग ऐवोर्ड -2021

विश्व वंदनीयश्री मोरारिबापु प्रेरित कविश्री कागबापु लोकसाहित्य‌‌ अेवोर्ड‌ अर्पण विधि , विश्व वंदनीयश्री मोरारीबापुना वरद् हस्ते निचे मुजब आपवामां आवशे .

*(1) स्व श्री गीगाभाई बारोट (डोळीया)* 
*(2) स्व श्री मनुभाई गढवी  (मुंबई)*
*(3) श्री बळवंतभाई जानी (राजकोट)*
*(4) श्री योगेळभाई गढवी (बोक्षा)*
*(5) श्रीमती काशीबेन गोहील (भावनगर)*
*(6) श्री नाहरसिंह जसोल  (तेमावास,राजस्थान)*

ता. 17-3-2021 रात्रीना  कागधाम मजादर खाते पू. मोरारीबापुना वरद् हस्ते कविश्री काग ऐवोर्ड आपवामां आवशे. 

*कागने फळीये कागनी वातुं :-*
ता 17-3-2021 बपोरना 3 थी सांजना 6
पद्मश्री भीखुदानभाई गढवी
श्री शाहबुदीनभाई राठोड

*कार्यक्रम संकलन :-* 
श्री बळवंतभाई जानी 

पद्मश्री कवि कागबापु ट्रस्ट द्वारा सहु काग प्रेमीने पधारवा निमंत्रण पाठवेल छे‌

कवि काग ऐवोर्ड-2021 मेळववा बदल खूब खूब अभीनंदन
💐💐💐💐


                🙏 वंदे सोनल मातरम्  🙏

1 ટિપ્પણી: