ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2021

જૂનાગઢ ખાતે આઈશ્રી સોનલમાં ચારણ કન્યા છાત્રાલય ખાતે પદ્મશ્રી દાદબાપુ નો સન્માન કાર્યક્રમ યોજાયો.




તા 31..1.2021 જૂનાગઢ ખાતે આઈશ્રી સોનલમાં ચારણ કન્યા છાત્રાલય ખાતે પદ્મશ્રી દાદબાપુ નો સન્માન કાર્યક્રમ યોજાયો.
મેરુભા મેઘાણંદ કેળવણી મંડળ જૂનાગઢ ના ટ્રસ્ટીઓ શ્રી ગોવિંદભાઈ લીલા.શ્રી પી.ડી ગઢવીસાહેબ તથા અન્ય ટ્રસ્ટી ઓ તથા આમંત્રિત મહેમાનો દ્વારા પદ્મશ્રી દાદબાપુ નું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે સ્વ કવી શ્રી હિંગોળદાન નરેલા ના પુસ્તક "હાજર છે હિંગોળ"નું વિમોચન શ્રી દાદબાપુ ના હસ્તે રાખવામાં આવ્યું હતું.
પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી.રાજકોટ થી શ્રી અંબાદાન રોહડિયા શ્રી નિતુભાઈ જીબા.
મઢડા થી શ્રી ગીરીશઆપા...ઈશ્વરભાઈ લીલા...નિલેશભાઈ લાંગાવદરા ...જૂનાગઢ DYSP શ્રી રતનું સાહેબ..રાજકોટ થી શ્રી જે.બી.જાડેજાસાહેબ ..જૂનાગઢ મીનરાજ વિદ્યા સંકુલ ના શ્રી યોગીભાઈ પઢીયાર હાજર રહ્યા હતા.
કાર્યક્રમ નું ખૂબ જ સુંદર સંચાલન શ્રી દિનેશભાઇ માવલ (જામનગર) દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી દાદબાપુ ના સુપુત્ર શ્રી જીતુદાદ ગઢવી
દ્વારા દાદબાપુ ના સન્માન બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

માહિતી મોકલવા બદલ નિલેશભાઈ ગઢવી (જેતપુર) નો ખૂબ જ આભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો