ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 26 જુલાઈ, 2020

હે ચારણી


હે ચારણી ! સુખ કારિણી ! બ્રહ્મ ચારિણી ! આયે શરણ ,
સચ્ચિદાનંદે ! શારદે ! મંગલમયી ! પ્રણમેં ચરણ.

અંબિકે ! આવડ ! આશપૂર્ણે ! હે તુમ્હારે બાલ હમ ,
જગતારિણી ! અધહારિણી કુરુ પ્રણતકી પ્રતિપાલ તુમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......

પૂર્વજ સદશ નીતિ પથિક હો , માતૃભુમિ કે ભક્ત હમ ,
શૂરે ઉદાર રૂ સત્યવક્તા અમૃતમયી અનુરકત હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......

દ્રઢ વીર વ્રતી સેવક બને અરુ પઢે શમ દમ પાઠ હમ ,
અગ્નિ પરીક્ષા મેં અડિગ બન બઢે સંયમ બાટ હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......

યમ યાતના હો નર્ક દુઃખ કર્તવ્ય પથ છોડે ના હમ ,
દમ દમ તિહારા જપ જપે મર મિટે મુખ મોડે ના હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......

આશિષ ઉચ્ચારો અન્નપુર્ણે શ્રીચરણ મેં લીન હો મન ,
હમ હ્યદય સીંચો અમૃત 'સોનલ' પ્રેમમયી લાગી લગન .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......


અર્થ :- 

અમને શુભ - મંગલમય પંથે ગતિ કરાવનારા હે ચારણી દેવી ! અમને સુખ શાંતિ આપવાવાળા તથા બ્રહ્મ પ્રાપ્તિના માર્ગે પ્રેરનારા હે પરમાત્મ શક્તિ દેવી ! અમે આપને શરણે આવ્યા છીએ . હે સત્ય ચૈતન્ય આનંદ સ્વરૂપિણી જગદંબા ! હે મંગળ સ્વરૂપી શારદા ! વિધા દેવી ! અમે આપના ચરણોમાં પ્રણામ કરીએ છીએ -ધ્રુવ હે મા અંબા ! હે જગદંબા આવડ - આશાપુરા ! અમે આપના બાળકો છીએ આપ અમારા સાચા મા છો . જગતના સર્વે પ્રાણી ભૂતમાત્રને તારનારાં , અમારા પાપોનો નાશ કરનારા હે જગજનની ! આપના ચરણોમાં પ્રણામ કરનારાં અમો સૌનું આપ પાલનું રક્ષણ કરો -૧ હે મા ! અમે અમારા પૂર્વજો - અમારા વડવાઓ જેવા નીતિ માર્ગ પર ચાલનારા બનીએ , માતૃભૂમિ ભરતવર્ષના સાચા ભક્ત – સેવક બનીએ . અમારા એ પૂર્વજો જેવા
શુરવીર , ઉદાર વિચાર અને આચરણવાળા , સત્યધર્મનું પાલન કરનારા અને પરમામૃત સ્વરૂપ એવા આપના માં પ્રેમભક્તિ રાખનારા બનીએ , એવી કૃપા આપ અમારા પર કરો . - ર હે જગદંબા ચારણી દેવી ! અમે દ્રઢ શરીર અને મનોબળવાળા બનીએ , આંનદ અને ઉત્સાહપૂર્વક ધર્મવ્રતને ધારણ કરનારા , એનું પાલન કરનારા વીર સેવક બનીએ , મનો નિગ્રહ તથા ઈન્દ્રિય નિગ્રહ પ્રાપ્ત કરવાનું ભણતર ભણીએ , અને અગ્નિ સ્નાન જેવી ભયંકર કસોટીઓ આવે , આકરી તાવણી થાય , તો તેમાં પણ અડગ રહીએ અને સત્ય શુદ્ધ સંયમનો આત્મનિગ્રહના – મનીષિઓના વીરોચિત માર્ગ ૫૨ આત્મકલ્યાણ ના પંથે આગળ વધીએ , એવું બળ અમને આપો -૩ હે મંગળમયી મા ! અમારા પર આપત્તિ નાં પહાડ તૂટી પડે , યમરાજા પાસેના સર્વ દુ :ખો અમારા પર આવે , શૈરવ નર્કની વિપત્તિઓ સહન કરવાનો વખત આવે, તો પણ અમે અમારૂ કર્તવ્ય , અમારો માનવોચિત માર્ગ ન છોડીએ , અને શ્વાસે શ્વાસે આપનું સ્મરણ કરતા કરતા , મુખ પર પીડાની રેખાઓ દેખાડ્યા વિના પાછા ન હટીએ , મરી મટીએ , એવી શક્તિ - એવું સામર્થ્ય અમને આપવા કૃપા કરો - ૪ હે અન્નપૂર્ણા મા હું આઈ સોનલ વીનવું છે કે અમારા હૃદયમાં આપનું દિવ્ય અમૃત સીંચો આપના શ્રી ચરણોમાં , આપના શુભ કલ્યાણમય સ્વરૂપમાં અમારાં મન લીન થઈ જાય , પરમ પવિત્ર પ્રેમની સાચી ભક્તિની લગની અમને લાગે એવા આશીર્વાદ આપ અમારા ૫૨ વરસાવો.


સંદર્ભ :- ચારણ અસ્મિતા માસિક મુખપત્ર અંક ૩
વર્ષ :-૧ 
પાના નંબર :-૧

4 ટિપ્પણીઓ: