ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 16 મે, 2018

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત વિશ્ર્વકોશના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'ભકતકવિ દુલા કાગ ચારણી સાહિત્ય વ્યાખ્યાનમાળા'નું પ્રથમ વ્યાખ્યાન 

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત વિશ્ર્વકોશના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'ભકતકવિ દુલા કાગ ચારણી સાહિત્ય વ્યાખ્યાનમાળા'નું પ્રથમ વ્યાખ્યાન શ્રી વસંતભાઈ ગઢવીએ 'ચારણી સાહિત્ય: વારસો અને વૈભવ'વિષય ખૂબ જ પ્રભાવશાળીશૈલીમાં આપ્યું. પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ ભૂમિકા બાંધી અને પદ્મશ્રી દુલા કાગ-પૂ.ભગતબાપુની સાહિત્ય સાધના વિશે વાત કરી. મેં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ અને ચારણી સાહિત્યનો પરિચય આપ્યો. સુંદર આયોજન અને સંચાલન ડૉ.પ્રીતિબહેન શાહે કર્યું. ચારણી સાહિત્યના પુસ્તકો અને સમર્થ ચિત્રકાર શ્રી પ્રભાતસિંહ બારહટ્ટે તૈયાર કરેલ  વિદ્વાન કવિઓના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.  આ પ્રસંગે કાગબાપુના પૌત્ર શ્રી બાબુભાઈ કાગ,શ્રી બાબુભાઇ શાહ,કવિશ્રી ચંદ્રકાંત શેઠ,કવિશ્રી ઘનશ્યામ ગઢવી,ડૉ.રંજના અરગડે,શ્રી જોરાવરસિંહ જાધવ,શ્રી નેહલ ગઢવી,શ્રી રણજિત ગઢવી અને અનેક મર્મજ્ઞોએ હાજર રહી આ રસપ્રદ  વ્યાખ્યાનમાળાનો લાભ લીધો. એ સમયની કેટલીક તસવીરો...


પોસ્ટ ટાઈપ અંબાદાનભાઈ રોહડીયા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો