ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 25 મે, 2018

કવિ દાદ ની અનમોલ રચના

કવિ દાદ ની અનમોલ રચના

કવિ દાદ ની અનમોલ રચના:


બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,
સામસામા ભળ આફળે એમા,
મરવું ઈ મરદાઈ રે,
માથળા મા ભલે ગોળીયુ વાગે,
પણ એની પીઠ ન વિંધાઇ જાઈરે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,

ધુધરીયાળી વૈલ મા બેઠી,
મુખડામાં મલકાઇ રે,
એના ચોખલીયાળા ચાંદલા નું 
જોજે કંકુ નો ભુસાઇ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,

રજ લુવા રઈ જીવતી જેની ,
જુરતી જનેતા ઈ રે,
કોઈના લાડકવાયા ની ખાંભીયુ
ઉપર મહેલ નો ચણાય જાઇ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,

બાંધેલ ભેટે એને બળવા દેજે,
જેના આતમ છે ઉજળાય રે,
'દાદ' જોજે કળીયુગ ના કરમ,
એને જોજે ન છેતરી જાઈ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...