ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 5 એપ્રિલ, 2018

कविश्री बळदेवभाई नरेला रचीत रचना

{સિંહનું સપાખરુ}

પંજા નાંખતો આવિયો સિંહ ડાલામથ્થો કાળઝાળ,
દાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક,
હાથીઆં મૃગરાં ઝુંડ ભાળીયાં પૃથીરે માથે,
લાગીયા, કેતારાં કેતાં કરે નાં બણક.

ભુહરી લટાળો,અતિ ક્રોધ વાળો, કોપ વાળો,
ઢાળે નશાં મોટ ઢાળો, કરતો હુંકાર,
સાંધે ફાળ વિકરાળ, કાળહંદો જાણે કાળ,
ચૂકે નહી એક થાપે, સાંધીયો શિકાર.

ધરાણો રોષ ન ધરે, ભુલથી ન પાછાં ભરે,
લાંઘણ્યો હોય તો કદી ખાય ન અખાજ,
છેતરી પેંતરો બાંધી કરે ન શિકાર કો'દી,
અટંકો ફેફરાં ફાડે કેહરી અવાજ.

વિરતાને વરેલા છે, ધીરતા ગંભીરતા ને,
સ્થિરતા ન છોડે એવા કુળરાં પ્રમાણ,
ગીરરાં કંઠીર કરું કવી કે 'વખાણ કે'તાં,
ઘુમંતાં તાહરાં ટોળાં કરે ઘમસાણ.

કવિ- બળદેવભા નરેલા કૃત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25

🙏 *સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25*🙏 *આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિ...