ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 8 જુલાઈ, 2025

સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25

🙏 *સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25*🙏

*આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ- રાજકોટ* સહયોગથી સમાજનાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને તેમની મહેનતના સન્માન રૂપે સતત 11માં વર્ષે સ્કોલરશીપ આપવાના આવેલ.

🔹આ વર્ષે ટોટલ 163 વિદ્યાર્થીઓને જેમાં ધો. 10, ધો 12, ઉચ્ચ અભ્યાસ કરતા અને જરૂરિયાતમંદ પરિવાર ના બાળકો સહિત ને કુલ રકમ રૂ. 8,56,000 (આઠ લાખ છપ્પન હજાર ) ની સ્કોલરશીપ આપવામાં આવેલ.
 
🔹અગાઉના વર્ષોમાં (2014 થી 2024)આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી ઈન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી *કુલ રૂ.33, 92,000 (તેત્રીસ લાખ બાણ હજાર)* ની સૌરાષ્ટ્ર અને કચ્છના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવેલ 
તેવું બંને ટ્રસ્ટ ની યાદી માં જણાવેલ છે.

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

ચારણ - ગઢવી સમાજનું ગૌરવ



ચારણ - ગઢવી સમાજનું ગૌરવ

રાજ્યમાં પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે જણાવેલ ચારણ - ગઢવી સમાજના અધિકારીશ્રી ઓ ને પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-૩ ના ઓ ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૨ બઢતી મળેલ છે.

શ્રી જબર કમલેશભાઈ ગઢવી

શ્રી હિરેનસિંહ બલરામસિંહ ગઢવી

શ્રી દિનેશ ભગવતસિંહ ગઢવી

સુ.શ્રી આશા મંજુદાન ચારણ

સુ.શ્રી મમતાબેન દજુસિંહ ગઢવી

બઢતી મળેલ દરેક અધિકારીશ્રી ઓ ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

સોમવાર, 30 ડિસેમ્બર, 2024

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજો બજાવતા

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી 
(MSC, MED)
ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

વીણાબેને સરકારશ્રી ના
સ્વચ્છતા હિ સેવા
કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ચલાવ્યું હતું.
જેમાં શાળા ના વિદ્યાર્થીઓ પાસે શાળા મેદાન અને શાળા બહાર પણ પડેલી પ્લાસ્ટિક ની ખાલી બોટલો અને કોથળીઓ એકત્રિત કરી અને રિસાયક્લિંગ માટે આપી હતી. 
આમ શાળા અને શાળા આસપાસ ના વિસ્તાર ને પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત બનાવવા બદલ 
વીણાબેન દિલીપદાન ગઢવી ને 
તારીખ ૨૯/૧૨/૨૪ રવિવાર ના રોજ 
વર્લ્ડવાઈડ બુક ઓફ 
રેકોર્ડસ માં સ્થાન પ્રાપ્ત કરવા બદલ સર્વ શિક્ષા અભિયાનના ભૂતપૂર્વ સચિવ 
શ્રી મહેશભાઈ મહેતા સાહેબ અને 
માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ
શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ
ના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
જેથી શાળાના આચાર્ય 
શ્રી કિરણકુમાર જે પટેલ સાહેબ
અને શાળા સંચાલક મંડળે 
વીણાબેન ડી.ગઢવી ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રીમતી વીણાબેન ગઢવી ને ખુબ ખુબ અભિનંદન તથા ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ.....

શનિવાર, 14 ડિસેમ્બર, 2024

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 26 જગ્યાઓ માટે TDO ક્લાસ 2 ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં જામ ખંભાળિયાના મૂળ રહેવાસી અને હાલ ગાંધીનગર રહેતા શ્રી દેવલબેન શામરાભાઈ કારીયા ક્લાસ 2 અધિકારી તરીકે પસંદગી પામ્યા છે. લગ્નના 2 વર્ષ પછી સાસરે જઈને બેને તૈયારી કરી અને ખુબ જ કઠિન ગણાતી પરીક્ષા પાસ કરી આજે અધિકારી બન્યા છે અને અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી છે. સમગ્ર ગઢવી સમાજ સહિત દેવભૂમિ દ્વારકાનું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન. 💐💐💐

મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2024

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ) ને જિલ્લા એટીવીટી કાર્યવાહક સમિતિના સભ્યશ્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે

તે બદલ હમીરભાઇ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
 સાથે આપ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ સફળતા મેળવો એવી માં સોનલ ને પ્રાર્થના 💐💐💐

શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટને મળ્યુ રૂા.૫૦ લાખનું અનુદાન.


આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટને મળ્યુ રૂા.૫૦ લાખનું અનુદાન.

દાતા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટનો આભાર માનતા સોનલમા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ.
એજયુકેશન-સ્કોલરશીપ, જરૂરિયાત મંદ પરિવારોના સહયોગ માટે  ભંડોળનો સદ્ઉપયોગ થશે
આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ વર્ષોથી નિયમિતપણે એજયુકેશનલ, મેડિકલ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાત મંદ પરિવારોને અનાજકિટ સહાય, કારકિર્દી સેમિનાર, હરિરસ પાઠ, સમાજનું ત્રિમાસિક મુખપત્ર 'ચારણ સંસ્કૃતિ'નું નિયમિત પ્રકાશન, સમાજની ડિરેકટરી, લાયબ્રેરી અને સમાજ વાડીના સંચાલન જેવા વિવિધ સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી કાર્યથી પ્રભાવિત થઈને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટીઓએ રૂા.૫૦ લાખ આપવાનું નકકી થતાં આજરોજ(તા.૧૫/૯/૨૪) સમાજ વાડીએ બન્ને ટ્રસ્ટની મિટીંગ યોજાઈ હતી. જેમાં ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટના પ્રમુખ શ્રી ચંદુભાઈ સાબાએ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબભાઈ પાલિયાને બન્ને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી રામભાઈ જામંગની ઉપસ્થિતિમાં રૂા.૫૦ લાખની માતબર રકમનો ચેક અર્પણ કર્યો હતો. જેને ઉપરોકત મહાનુભાવો ઉપરાંત ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ રમેશભાઈ જાળગ, હરેશભાઈ આલગા, હેમુભાઈ બાવડા, મેહુલભાઈ જામંગે સહર્ષ શુભકાર્યને વધાવીને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી ચંદુભાઈ સાબાનો આભાર માન્યો હતો.

 સંજોગોવસાત બહાર ગામ હોવાથી ઉપસ્થિત નહીં રહી શકેલ. સોનલમાના ટ્રસ્ટી અને ફૂલછાબ જનરલ મેનેજરે ફોન દ્વારા નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

હવેથી બન્ને ટ્રસ્ટ એક થઈ જતા બધી જ પ્રવૃતિઓ સમાજ વાડીએથી થશે એટલે ઉકત ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આ ટ્રસ્ટમાં સમાવેશ કરતા આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વિશેષ આનંદ અને ખુશી વ્યકત કરે છે. ટ્રસ્ટીઓની ટીમ મોટી થતાં સમાજ ઉપયોગી કાર્યો વધારે સારી રીતે આગળ વધારી શકાશે અને ભવિષ્યમાં વધુ વિસ્તારી શકાશે.

(ભાબભાઈ પાલિયા)
પ્રમુખ
(રામભાઈ જામંગ)
મેનેજીંગ ટ્રસ્ટ 
આઈશ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ


મંગળવાર, 3 સપ્ટેમ્બર, 2024

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ


સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અને મૂળ કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ઝરપરા ગામના વતની શિવરાજભાઈ ધનરાજભાઈ ગીલવા (ગઢવી) સાહેબ એ *સરકારશ્રી ફરજ બજાવતા સાથે 2 વર્ષ પહેલા નેશનલ લૉ યુનિવર્સીટી, બેંગ્લોર ખાતે પ્રોફેશનલ કંટીન્યુઇન્ગ એજ્યુકેશન અંતર્ગત Master of Business Law નો અભ્યાસ શરૂ કરેલ હતો આ કોર્ષ LLM લેવલ નો હોય છે તથા business સ્પેશ્યલ કાયદાઓનો અભ્યાસ છે, આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. તેમજ આ કોર્ષની ડીગ્રી પ્રમાણપત્ર કોન્વોકેશન 22 સપ્ટેમ્બર ના રોજ બેંગ્લોર ખાતે યોજાશે જેમાં ડિગ્રી આપવામાં આવશે.*

શાળા સમયેથી જ તેજસ્વી વિધાર્થી હતા. આગળ જતાં 2011 માં GPSC ની પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે નિમણુંક થયેલ.

પ્રમાણિક કચ્છી અધિકારીની છાપ ધરાવતા અને કચેરીને લગતા પ્રજાના કામો કરવામાં હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરનાર, સરળ વ્યકિત, વર્ષ 2016 મા ચૂંટણી પંચ, ગાંધીનગર દ્રારા બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (13-ડીસા) તરીકે રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવેલ.

અગાઉ પ્રાંત અધિકારી તરીકે પાલનપુર, રાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મહેસાણા તથા ડીસા મામલતદાર તરીકે ફરજ બજાવી ખૂબ જ પ્રશંનીય કામગીરી કરેલ. હાલ ત્યાંના સ્થાનિક લોકો શિવરાજભાઈ ની કામગીરીને યાદ કરે છે. હાલે ગાંધીનગર સચિવાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે.


શિવરાજભાઈ ગઢવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ શુભેચ્છાઓ

         વંદે સોનલ માતરમ્

Featured Post

સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25

🙏 *સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25*🙏 *આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિ...