ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2024

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ) ને જિલ્લા એટીવીટી કાર્યવાહક સમિતિના સભ્યશ્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે

તે બદલ હમીરભાઇ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
 સાથે આપ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ સફળતા મેળવો એવી માં સોનલ ને પ્રાર્થના 💐💐💐

શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટને મળ્યુ રૂા.૫૦ લાખનું અનુદાન.


આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટને મળ્યુ રૂા.૫૦ લાખનું અનુદાન.

દાતા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટનો આભાર માનતા સોનલમા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ.
એજયુકેશન-સ્કોલરશીપ, જરૂરિયાત મંદ પરિવારોના સહયોગ માટે  ભંડોળનો સદ્ઉપયોગ થશે
આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ વર્ષોથી નિયમિતપણે એજયુકેશનલ, મેડિકલ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાત મંદ પરિવારોને અનાજકિટ સહાય, કારકિર્દી સેમિનાર, હરિરસ પાઠ, સમાજનું ત્રિમાસિક મુખપત્ર 'ચારણ સંસ્કૃતિ'નું નિયમિત પ્રકાશન, સમાજની ડિરેકટરી, લાયબ્રેરી અને સમાજ વાડીના સંચાલન જેવા વિવિધ સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી કાર્યથી પ્રભાવિત થઈને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટીઓએ રૂા.૫૦ લાખ આપવાનું નકકી થતાં આજરોજ(તા.૧૫/૯/૨૪) સમાજ વાડીએ બન્ને ટ્રસ્ટની મિટીંગ યોજાઈ હતી. જેમાં ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટના પ્રમુખ શ્રી ચંદુભાઈ સાબાએ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબભાઈ પાલિયાને બન્ને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી રામભાઈ જામંગની ઉપસ્થિતિમાં રૂા.૫૦ લાખની માતબર રકમનો ચેક અર્પણ કર્યો હતો. જેને ઉપરોકત મહાનુભાવો ઉપરાંત ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ રમેશભાઈ જાળગ, હરેશભાઈ આલગા, હેમુભાઈ બાવડા, મેહુલભાઈ જામંગે સહર્ષ શુભકાર્યને વધાવીને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી ચંદુભાઈ સાબાનો આભાર માન્યો હતો.

 સંજોગોવસાત બહાર ગામ હોવાથી ઉપસ્થિત નહીં રહી શકેલ. સોનલમાના ટ્રસ્ટી અને ફૂલછાબ જનરલ મેનેજરે ફોન દ્વારા નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

હવેથી બન્ને ટ્રસ્ટ એક થઈ જતા બધી જ પ્રવૃતિઓ સમાજ વાડીએથી થશે એટલે ઉકત ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આ ટ્રસ્ટમાં સમાવેશ કરતા આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વિશેષ આનંદ અને ખુશી વ્યકત કરે છે. ટ્રસ્ટીઓની ટીમ મોટી થતાં સમાજ ઉપયોગી કાર્યો વધારે સારી રીતે આગળ વધારી શકાશે અને ભવિષ્યમાં વધુ વિસ્તારી શકાશે.

(ભાબભાઈ પાલિયા)
પ્રમુખ
(રામભાઈ જામંગ)
મેનેજીંગ ટ્રસ્ટ 
આઈશ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ


મંગળવાર, 3 સપ્ટેમ્બર, 2024

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ


સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અને મૂળ કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ઝરપરા ગામના વતની શિવરાજભાઈ ધનરાજભાઈ ગીલવા (ગઢવી) સાહેબ એ *સરકારશ્રી ફરજ બજાવતા સાથે 2 વર્ષ પહેલા નેશનલ લૉ યુનિવર્સીટી, બેંગ્લોર ખાતે પ્રોફેશનલ કંટીન્યુઇન્ગ એજ્યુકેશન અંતર્ગત Master of Business Law નો અભ્યાસ શરૂ કરેલ હતો આ કોર્ષ LLM લેવલ નો હોય છે તથા business સ્પેશ્યલ કાયદાઓનો અભ્યાસ છે, આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. તેમજ આ કોર્ષની ડીગ્રી પ્રમાણપત્ર કોન્વોકેશન 22 સપ્ટેમ્બર ના રોજ બેંગ્લોર ખાતે યોજાશે જેમાં ડિગ્રી આપવામાં આવશે.*

શાળા સમયેથી જ તેજસ્વી વિધાર્થી હતા. આગળ જતાં 2011 માં GPSC ની પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે નિમણુંક થયેલ.

પ્રમાણિક કચ્છી અધિકારીની છાપ ધરાવતા અને કચેરીને લગતા પ્રજાના કામો કરવામાં હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરનાર, સરળ વ્યકિત, વર્ષ 2016 મા ચૂંટણી પંચ, ગાંધીનગર દ્રારા બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (13-ડીસા) તરીકે રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવેલ.

અગાઉ પ્રાંત અધિકારી તરીકે પાલનપુર, રાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મહેસાણા તથા ડીસા મામલતદાર તરીકે ફરજ બજાવી ખૂબ જ પ્રશંનીય કામગીરી કરેલ. હાલ ત્યાંના સ્થાનિક લોકો શિવરાજભાઈ ની કામગીરીને યાદ કરે છે. હાલે ગાંધીનગર સચિવાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે.


શિવરાજભાઈ ગઢવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ શુભેચ્છાઓ

         વંદે સોનલ માતરમ્

ગુરુવાર, 18 જુલાઈ, 2024

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ


આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કરી રહ્યું છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે 'સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવાનું નકકી કરેલ છે.

 જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો.૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્ર-કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રૂા. ૧૧,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

 આ માટે તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં છેલ્લી ૨૦૨૪ની પરીક્ષાની (૯૫ PR ઉપર માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯-સૂર્યા આર્કેટ, હેડ પોસ્ટ ઓફિસ પાસે, બેંક ઓફ બરોડા પાસે, જયુબેલી ચોક, રાજકોટ - ઓફિસના સરનામે સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સાથે અરજી કરવી.

 ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.
 ખાસ પુછપરછ હોય તો
 (૧) મહેશદાન મોડ (૯૯૭૮૭૦૯૩૬૫)
 (૨) પ્રવીણભાઈ સોયા(૯૪૨૬૯૭૭૮૦૧) 
પર કોન્ટેક કરવો.

ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટમાં જે વિદ્યાર્થીએ સ્કોલરશીપ માટે અરજી કરેલ હોય તેમણે ફરીથી અરજી કરવાની રહેતી નથી, તે ફોર્મની વિગત ધ્યાને લેવામાં આવશે.

સોમવાર, 13 મે, 2024

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ




ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વા૨ા વર્ષ-૨૦૨૪/૨૦૨૫ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલ૨શીપ આપવાનું નકકી કરેલ છે જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાયર એજયુકેશન (મેડિકલ, સી.એ.,એન્જિનીયરીંગ તથા અન્ય)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અ૨જી ફોર્મ *તા.૧૭/૫/૨૦૨૪થી વિતરણ કરવામાં આવશે.* જે ફોર્મમાં તમામ કોલમ ભરી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૨૧/૫/૨૦૨૪ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯- સુર્યા આર્કેડ, ૧/૧૨-પંચનાથ પ્લોટ, બેંક ઓફ બરોડા પાસે, હેડ પોસ્ટ ઓફિસ નજીક, રાજકોટ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે. ટ્રસ્ટના બજેટ મુજબ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવશે. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.

શનિવાર, 30 માર્ચ, 2024

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે. 

28મી માર્ચનાં રોજ ડો. પ્રતીક ગઢવીને RSSનાં (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ડો. જયંતિભાઇ ભાડેસીયાની અને કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સન્માનિત કરાયા. આ મહાનિંબધમાં પ્રત્યક્ષ માર્ગદર્શન પાઠવનાર ડો. વિશાલભાઇ જોશી પણ ઉપસ્થિત રહ્યા. 

આ મહા નિબંધમાં ડો. પ્રતીક ગઢવીએ આર.એસ.એસની સ્થાપના, શાખાનો પ્રારંભ, સંઘનાં વિવિધ કાર્યક્રમો અને આયામો, આર.એસ.એસનાં સેવાકાર્યો, ચીન અને પાકિસ્તાન સાથેનાં યુદ્ધ દરમિયાન આર.એસ.એસ દ્વારા પીડિતોને સહાય અને સેવા કાર્ય, કચ્છનાં ભૂકંપ વખતે હાથ ધરાયેલા સેવાકાર્યો, સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ દરમિયાન કરાયેલા કાર્યો, પૂર અને વાવાઝોડા દરમિયાન કરાયેલી લોકસેવા, કોરોનાની મહામારી દરમિયાન કરાયેલી સેવા વગેરે મહત્વનાં પાસાને આવરી લીધી છે.

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...