ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 12 ડિસેમ્બર, 2020

વતન ની માટી

વતન ની માટી

ચૂમી લઉ આજ નેહ થી,જેના કણ કણ મા ઉપકાર
હુંફાળી ને હેત નો નઈ પાર,એમાં શીતળતા ઘણી ઘાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

બાળપણ મા બહોળો થઈ,રમતો ઘુમતો ફળિયે
ચડતો છાપરે ને નળીયે,ભણતો જ્યાં લઈ પાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

 કુવા કાંઠે પનિહારી,ભરતી જ્યાં નરવા નીર
જેમ લાગે રુડું ગીર,શમણાં એ પીવા હવે વાટી વાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

સગપણ શહેર માં ના રહ્યા,વહી ગઈ ભાભલા ની વાત
બદલાઈ માનવ જાત,ક્યાં ગોતવા એ વાણીયા હાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

નથી રહ્યું એ ગામડું,નથી ઘરની ના માથે નળીયા
હિત આવ્યા ઝળઝળિયાં,નેણલા રહ્યા હવે ફાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

હિતદાન ભગવતસિંહ ગઢવી (સિંહઢાયચ)
રામોદડી (હાલ જામનગર)
9023323724

Dr H.K Bhan

મંગળવાર, 24 નવેમ્બર, 2020

ચારણ સમાજનું ગૌરવ

અનવેસિકા નેટવર્ક ઓફ ઇન્ડિયા હેઠળ યોજાતી સ્પર્ધા જેમાં વિદ્યાર્થીની વિજ્ઞાનિક પ્રયોગ કરવાની આવડત ચકાસવામાં આવે છે આ સ્પર્ધામાં આપણા કાઠડા ગામ ની દીકરી ગઢવી ઇન્દિરાબેન હરીશભાઈ મંધુડા  સમગ્ર ગુજરાત માં પ્રથમ સ્થાન મેળવી ને ગઢવી સમાજ નું ગૌરવ વધાર્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

રવિવાર, 22 નવેમ્બર, 2020

મેરાણભાઈ નાગરુભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

મેરાણભાઈ નાગરુભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 





તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની  *અમરેલી  જીલ્લા મંત્રી*  તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન  અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના

          *વંદે સોનલ માતરમ્*

સોમવાર, 16 નવેમ્બર, 2020

રાજકોટ ચારણ-ગઢવી સમાજ સમૂહ લગ્ન આયોજન

આઇશ્રી કંકુકેસરમા પ્રેરીત
આઇશ્રી સોનલમા સેવા સહાય ટ્રસ્ટ  ( સમુહલગ્ન સમિતિ જુની) રાજકોટ દ્વારા ૨૯ મા સમુહલગ્ન નું જાજરમાન આયોજન

આથી દરેક ચારણ-ગઢવી સમાજને જણાવતા આનંદ થાય છે કે આજરોજ તા.૧૩/૧૧/૨૦૨૦ને ધનતેરસ ના શુભ દિને ટ્રસ્ટી મંડળની મીટીંગમાં હાજર રહેલ ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે નિર્ણય કરેલ છે કે રાજકોટ ખાતે દર વર્ષે ની જેમ આ વર્ષે આઇશ્રી સોનલમા સેવા સહાય ટ્રસ્ટ (સમુહલગ્ન સમિતિ જુની) રાજકોટ દ્વારા *૨૯મા ચારણ-ગઢવી સમાજ સમુહલગ્ન નું આયોજન* આગામી દિવસોમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને સરકારશ્રી ની ગાઇડ લાઇન નું ચુસ્ત પણે પાલન સાથે સમુહલગ્ન નુ આયોજન કરવામા આવેલ છે 
તો આ સમુહલગ્નમાં જોડાવવા માંગતા આપણા સમાજને 
*તા.૧/૧૨/૨૦૨૦ ને મંગળવાર થી તા.૧૧/૧૨/૨૦૨૦ ને શુક્રવાર*
સુધી સમુહલગ્નમાં જોડાવવા માટે ફોર્મ વિતરણ કરવામાં આવશે
*સમુહલગ્ન કાર્યાલય* 
*ગાયત્રીનગર મેઇન રોડ,સોનલ સ્ટોર્સ, ડો.કાલરીયા ના દવાખાના સામે, રાજકોટ*

*ફોર્મ વિતરણ તારીખ અને સમય*
*તા.૧/૧૨/૨૦૨૦ થી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી*
*સમય સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી*
*સાંજના ૪ થી રાત્રિના ૮ વાગ્યા સુધી*

*નોંધ* :- *આ સંસ્થા દ્વારા અગાઉ ૨૬/૨૭/૨૮મા સમુહલગ્ન નું આયોજન સમાજનાં સાથ સહકારથી સફળતા પૂર્વક સંપન્ન કરેલ છે*.
સંપર્ક સૂત્ર :-  ૯૮૨૪૪ ૨૫૧૬૦

લી. આઇશ્રી સોનલમા સેવા સહાય ટ્રસ્ટ (સમુહલગ્ન સમિતિ જુની) રાજકોટ
🙏🏻જય સોનલ માં 🙏🏻

શનિવાર, 10 ઑક્ટોબર, 2020

રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલાની ૧૬૫મી જન્મજયંતી નિમિત્તે આજે પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલ....






 રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલાની ૧૬૫મી જન્મજયંતી નિમિત્તે આજે પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલ....


૧.ગુજરાત સમાચાર,
૨.સંદેશ,
૩.દિવ્ય ભાસ્કર,
૪.અકિલા,
૫.આજકાલ,
૬.સૌરાષ્ટ્ર ક્રાંતિ,
૭.પગદંડી,
૮.સુપ્રભાત સૌરાષ્ટ્ર,
૯.ગાંધીનગર ટુડે,
૧૦.ગુજરાત છાયા,
૧૧.આપણું ગુજરાત.
✍️અખબાર અહેવાલ લેખન :
હિતેષ ગઢવી-રાજકોટ.
મો.૯૯૨૪૮ ૧૦૫૯૪

ભાવનગર રાજ્યના મેઘ કંઠીલા રાજકવિ શ્રીપિંગળશી પાતાભાઈ નરેલા ની ૧૬૫ મી જન્મ જયંતિ


आजे भावनगर राजकवि श्री पिंगळशीभाई पाताभाई नरेला नी 165 मी जन्म जयंती छे.*

तो ते निमित्ते "भावनगर राजवि श्री पिंगळशीभाई पाताभाई नरेला"   विशे थोडी जाणकारी अने तेमनो जीवन परीचय  आप समक्ष मुकवानो नानकडो प्रयाश करेल छे

*राजकवि = भावनगर*
*जीवन काळ ( 1856  - 1939 )*

.  *राजकवि श्री पींगळशीभाईनो जन्म सवंत 1912 ना आसो सुद अगीयारस ई.स.1856 मां 10 ओक्टोबर ना रोज  शिहोरमां थयो हतो*

ते ओए  *डिंगळ गुजराती , हिन्दी, चारणी ,  संस्कृत, व्रजभाषा,मारवाडी वगेरे भाषाओना जाणकार हता।*

*नरेला कुटुंब भावनगर राज्यना सात  पेढी ना राजकवि पदे रहेला ।*
*दादा श्री मुळुभाई नरेला महाराजा भावसिंहजी अने अेखराजजीना वखतमां राजकवि हता ,*
*पिंगलशि भाय ना पिता पाताभाई नरेला पोते पण समर्थ कवि अने वार्ताकार हता ,*
*तेओ महाराजा जशवंतसिहजी अने अखेराजजीना समयमां राजकवि पदे रहेला*

*राज्यना दिवान " गगा ओझा " अने शामळदास महेता तेमना परम मित्रोमांना एक हता ,*
*आ मित्रो एेक बीजानी हाजरी वगर चा पण न पीता ,*

*भावनगर राज्यना दिवान शामळदास गुजरी गया पछी पिंगलशिबभाये चा पण छोडी दीधेली ,*

*पिंगलशिभाईए  *श्री दलपतराम अने फार्बस साहेब साथे एक मास सूधी छावणीमां वास करीने भावनगरनो ईतिहास कहेलो,*

.  *महाराजा तख्तसिंहजीअे पाताभाई बाद पींगळशीभाईने राजकविनी पदवी आपेली तेओ भावसिंहजी अने* *कृष्णकुमारसिंहजीना समय सूधी आ पदे रह्या,*

.  *तेमणे रचेला पुस्तकोमां :- (1) हरिस ग्रंथ-संपादन (2) श्री कृष्ण बाळलीला (3) चित्तचेतावनी (4) तख्तप्रकाश (5) भावभुषण (6) पिंगळ काव्य भाग -  1अने 2 (7) सुबोधमाळा (8) ईश्वर आख्यान (9) पींगळ विरपुजा (10) सुजात चरित्र अने सतीमणी नोवेल (11) श्री सत्यनारायण कथा संस्कृत-गुजरातीमां तरजुमो ....जेवा ग्रंथो तेमणे रचेला ,*

.  *तेओ श्री कृष्णकुमारसिंहजी - चारणविध्यालयना स्थापक पण छे . ते उपरांत पिंगलशिभाय "चारण हित वर्धक सभा" ना पायाना पत्थरों पैकी ना एक हता,*

राजकवी *श्री पिंगलशिभाय नरेला ने मळेला बिरुदो*

*"मध्ययुग ना छेल्ला संस्कारमूर्ति चारण",*
*"देवतुल्य कविराज",*
*"चारण शिरोमणी",*
*"अखंड आराधक",*
*"साधुचरित कवी",*
*"शुभ संस्कारो नो मनवदेहे विचरतो स्तम्भ",*
*"ड़िंगळ नो उकेलनार",*
*"सर्जनशक्ति नो पुंज",*
*"भावनगर नी काव्य कलगी"*
*"महाराजा ना मुगट नो हीरो"*

तथा

*नरसिंह मेहता, दयाराम, धीरा, मीरां आने अखा ने समकक्ष कवी,*

*जेवा अनेक मानवाचक बिरुदो, शब्दों अने लेखो थी महाराजाओ, कविओ, लेखको, अने विवेचकोए बिरदव्या छे।*

महाराजा *श्री अे तेमणे आपेला ( शेढावदर ) गाममां  आजे पण राजकवि श्री पिंगळशीभाई पूजाय छे,*

.  *राजकवि पद उपरांत*
*पींगळशीभाई*
*जोगीदानभाई नरेला*
*अनीरुधभाई नरेला*
*तेमज चंद्रजीतभाय नरेला*
*आ सर्वे भावनगर राज्यना अंगत सलाहकार पदे पण रहेला ,*

. *नरेला कुटुंबनि पांच पेढी  राजकवि पदे रहेला.*
तेमा
*मुळभाई नरेला*
*पाताभाई नरेला*
*पींगळशीभाई नरेला*
*हरदानभाई नरेला*
*बळदेवभाई नरेला..*

*राजकवि पदे रहेला*
 

*आ माहिती संकलन माँ " श्री धर्मदिपभाई नरेला" मददरूप बन्या एे बदल एेमनो खूब खूब आभार*

*
           

            *वंदे सोनल मातरम्*