ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 28 સપ્ટેમ્બર, 2020

સંગઠન એટલે શું ?



 એટલે શું ?

 એક માણસ હતો તે પોતાના સમાજની સાથે ખૂબ જ સરસ રીતે રહેતો હતો અને ખૂબ ખુશ હતો . એક વખત અચાનક કોઈને કોઈ કારણથી સમાજથી સંગઠનથી દૂર જતો રહ્યો અને ફક્ત એકલો પોતાના ઘરે જંગલમાં એકાંતમાં રહેવા લાગ્યો . આ બધી વસ્તુ સંગઠનના મંત્રીને ખબર પડી તો એક દિવસ રાત્રે તે તેના ઘરે પહોંચી જાય છે . અને જુએ છે . તો તે એકલો બેઠો બેઠો તાપણું કરીને આગનીસામે બેઠો હોય છે . તો મંત્રી ત્યાં જાય છે . તેને જોઈને પેલો માણસ કાંઈપણ બોલતો નથી પણ મનોમન રાજી થાય છે કે હું સંગઠનથી દૂર થયો તો ખૂદ મંત્રી મારા ઘરે આવ્યા પરંતુ મંત્રી હોંશિયાર હોય છે . તેમણે તે સળગતી અગ્નિમાંથી એક લાકડીને કાઢીને દૂર મૂકી દીધી આ પેલો માણસ બરાબર નિરીક્ષણ કરી રહ્યો હોય છે . અને મનમાં રાજી | થતો હોય છે . બન્ને કાંઈપણ બોલતા નથી પરંતુ થોડો સમય જતા પેલી લાકડી જે દૂર કરી હતી . તે આગ બુઝાઈ ગઈ અને ધીરે - ધીરે કાળી પડવા લાગી અને કોલસો થઈ ગઈ પછી મંત્રી ઊભા થાય છે . અને જેવા લાગે છે . અને તે જુદી કરેલી લાકડીને ફરીથી પેલી સળગતી લાકડીઓ સાથે મૂકી દે છે . તો પાછી પેલી લાકડી સળગવા લાગે છે . અને પ્રકાશ આપવા માંડે છે . તેથી આ જોઈને પેલા ભાઈને પોતાની ભૂલ સમજાઈ અને મનોમન મંત્રીનો આભાર માનવા લાગ્યો કે એકલો માણસનું કાંઈ અસ્તિત્વ નથી . સંગઠનનો સાથ હોય તો જ માણસનું મહત્ત્વ છે . 
*“એક રહો , નેક રહો , સંગઠીત રહો ”* 

જય માતાજી..🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...