ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

હરિરસ મહાત્મ્ય

*હરિરસ મહાત્મ્ય*

*હરિગીત છંદ*

સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે,
અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે.

કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ.
ભવ રોગ હર ભેષજ સુખદ છે હરિરસ સર્વોપરી.

મન મોહ મદ માતંગ પર આ હરિરસ મૃગરાજ છે.
દલ દ્રોહ દવ પર આ હરિરસ સઘન સમ સુખરાજ છે.

સુવિચાર સકુની તણું સ્થળ આ હરિરસ ઉદ્યાન છે.
વૈકુંઠ સિધાવા હરિરસનું કથન વર વૈમાન છે.

કુવિચાર કાકોદર પરે આ હરિરસ હરિયાન છે.
ઈર્ષ્યા નિશાચરિ લંકની પર હરિરસ હનુમાન છે.

શાંતિ પ્રદાતા હરિરસ ભગવાન રૂપે ભવ્ય છે.
સદ્દજ્ઞાન દાતા હરિરસ સદ્દગુરુ રૂપે   દિવ્ય છે.

પ્રભુ ભેટવા આ હરિરસતણો પાઠ એ સતપંથ છે.
''ઈશર કે પરમેશરા'' ચારણ રચિત આ ગ્રંથ છે.

શંકર પ્રભુનો દાસ"શંકર'' કહે સત સ્તુતિ કરી,
હર રૂપ હરિ-હરિરૂપ હર-હર,શ્વાસ સમરો હર-હરિ.

*કવિરાજ: શંકરદાન જેઠીભાઈ દેથા*

*🌹ટાઈપિંગ = ચારણ ટપુભા.વી🌹*
                   *ગોધરા(પંચમહાલ)*
                   *9724138925*

*🙏🏻ભુલચુક સુધારીને વાંચવી🙏🏻*

    *🙏🏻🌹જય કૈશવાનાથ🌹🙏🏻*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો