ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 13 ઑગસ્ટ, 2022

આઝાદી કા અમૃત મહોત્સવ” ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા શ્રી હેમુગઢવી સ્મૃતિ સંસ્થાપન , રાજકોટ પ્રસ્તુત :- દાતા સન્માન ઋણ સ્વીકાર - લોક ડાયરો


“આઝાદી કા અમૃત મહોત્સવ”
 કાર્યક્રમ શૃંખલા અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા શ્રી હેમુગઢવી સ્મૃતિ સંસ્થાપન , રાજકોટ પ્રસ્તુત *દાતા સન્માન ઋણ સ્વીકાર - લોક ડાયરો*

 તારીખ : ૨૦-૦૮-૨૦૨૨ , શનિવાર ,
 રાત્રે ૮-૦૦ કલાકથી 
સ્થળ : “હેમતીર્થ " , મુ.ઢાંકણીયા , તાલુકો સાયલા , જિ . સુરેન્દ્રનગર

 નિમંત્રક :-
 શ્રી હેમુગઢવી સ્મૃતિ સંસ્થાપન “ હેમતીર્થ ” , મુ.ઢાંકણીયા , તાલુકો સાયલા , જિ . સુરેન્દ્રનગર

ગુજરાતના દંતકથારૂપ લોકગાયક સ્વ . શ્રી હેમુગઢવીની જન્મભૂમિ ખાતે વિવિધ દાતાશ્રીઓના સહયોગ વડે ભવ્ય સ્મારક ‘હેમતીર્થ’નું નિર્માણ સન ૨૦૧૬ માં સંપન્ન કરી તેનું લોકાર્પણ કરવામાં આવેલ .
 આ સ્મારકના નિર્માણમાં સહયોગ આપનાર સહુ દાતાશ્રીઓ તથા સ્વ . હેમુગઢવીની સ્મૃતિને ચિરંજીવ બનાવવામાં નિષ્ઠાપૂર્વકનું યોગદાન આપનાર અને ‘ હેમતીર્થ ’ સ્મારકના નિભાવ ખર્ચની જવાબદારી વહન કરનાર ગુજરાત સરકારના પ્રતિનિધિશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓના સન્માનનો કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ વડે 

 હેમુગઢવીની ૫૭ મી પૂણ્યતિથિના દિવસે તારીખ : ૨૦ ઓગષ્ટ , ૨૦૧૨ ને શનિવારે રાત્રીના ૮-૦૦ કલાક થી .. … ‘ ‘ હેમતીર્થ ’ ’ , મુ.ઢાંકણીયા , તાલુકો સાયલા , જિ . સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલ છે 
. ગુજરાતના દિગ્ગજ લોકસાહિત્યકારો તેમજ ગાયકો સ્વ . હેમુગઢવીને પ્રાસંગિક ‘ ‘ સ્વરાંજલી ’ ’ અર્પણ કરશે . 
ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આપને ભાવભર્યુ નિમંત્રણ છે . : 
ભવદીય :-
 બિહારી હેમુગઢવી । 
રાજેન્દ્ર હેમુગઢવી । 
અનીલ હેમુગઢવી । 
જયવીર જીતુભાઇ ગઢવી

આમંત્રણ પત્રિકા પીડીએફ ડાઊનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો