ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2020

સોયા પરીવાર અને વડોદરા ચારણ સમાજ નું ગૌરવ



સોયા પરીવાર અને વડોદરા ચારણ સમાજ નું ગૌરવ

ચારણ શક્તી સમાજ વડોદરા ના સ્થાપક સ્વ અમુલાબેન ના પૌત્ર શ્રી અંકિત સોયા ની કલાસ ૨ અધિકારી રેંજ ફોરેસ્ટ અધિકારી તરીકે નિમણૂક થવા બદલ ખૂબ અભિનંદન ખંત અને મહેનત થકી આપ બળે આગળ વધવા માટે ખૂબ ધન્યવાદ જીવન્ મા ઉત્તરોત્તર પ્રગતી મળે ખૂબ સફ્ળ રહો પરીવાર અને સમાજ ની સેવા કરો એવી અભ્યર્થના ભાઇ શ્રી રોહિત ને ખૂબ ધન્યવાદ જેમણે વિશેષ કાળજી લઇ કેળવણી આપી કાયમ પ્રગતી મય રહો એવી માતાજી ને પ્રાથના

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2020

ખૂબ લાગણીશિલ અને સમાજ પ્રેમી વ્યક્તિત્વ એટલે ડો.બી.વી. ગઢવી સાહેબ


ખૂબ લાગણીશિલ અને સમાજ પ્રેમી વ્યક્તિત્વ એટલે ડો.બી.વી. ગઢવી સાહેબ

ડો.. બી. વી. ગઢવી સાહેબે આજરોજ   વયમર્યાદા ના કારણે નિવૃત્ત થવાના છે પણ નોકરી ના સમય દરમિયાન સ્વચ્છ પ્રતિમા ધરાવતા ર્ડા શ્રી ખેડબ્રહ્મા/લક્ષ્મી પુરા  ખાતે સારી નામના મેળવી નિવૃત્તિ થતા હોય ટોકરા ગામનું નામ રોશન કરેલ છે 

તેઓ શ્રીનુ મૂળ વતન ટોકરા (મેવાકંપા) 
 તેઓએ  વડોદરા માં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરેલ અને ત્યારબાદ ખેડબ્રહ્મા માં c.h.c  મેડિકલ ઓફિસર તરીકે પોતાની સેવા નિભાવતા 
તેઓ જ્યાં હતા ત્યાં એકદમ આદિવાસી અને અંતરીયાળ વિસ્તાર માં રહીને પણ પોતાનું આદર્શવાન  કર્તવ્ય નીભાવ્યુ.

મેં સાંભળ્યુ તે પ્રમાણે સાહેબશ્રી એ બની શકે ત્યાં સુધી આપણા સમાજના કોઈ પણ બંધુ ને નિરાશ કરીને નથી મોકલ્યા.તેમના થી બનતા દરેક પ્રયત્નો સાહેબ કરતા. આજે તેઓ નિવૃત થ્યા છે. ત્યારે 
નિવૃત્તિ ના સમય દરમ્યાન પ્રાઇવેટ દવાખાનું ચાલુ કરી લોકો ની સેવા કરે તેમજ નિવૃત્તિ જીવન સુખમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ. 


મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2020

ચેતનદાનભાઈ ખેમરાજદાનભાઈ ગઢવી સાહેબ ને ખૂબ ખુબ અભિનંદન




ચેતનદાનભાઈ ખેમરાજદાનભાઈ ગઢવી સાહેબ ને ખૂબ ખુબ અભિનંદન

ચેતનદાનભાઈ 
આજે  LLB ની એક્ઝામ માં સારી ટકાવરી મેળવી પાસ થયા છે તે બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐

 


ડોક્ટર અવનીબેન તેજસ‌ ઉધાસ ને ખૂબ ખુબ અભિનંદન


ડોક્ટર અવની બેનતેજસ‌ ઉધાસ ને હોસ્પિટલ મેનેજમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમાં કમ્પલીટ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન


સોમવાર, 28 સપ્ટેમ્બર, 2020

સંગઠન એટલે શું ?



 એટલે શું ?

 એક માણસ હતો તે પોતાના સમાજની સાથે ખૂબ જ સરસ રીતે રહેતો હતો અને ખૂબ ખુશ હતો . એક વખત અચાનક કોઈને કોઈ કારણથી સમાજથી સંગઠનથી દૂર જતો રહ્યો અને ફક્ત એકલો પોતાના ઘરે જંગલમાં એકાંતમાં રહેવા લાગ્યો . આ બધી વસ્તુ સંગઠનના મંત્રીને ખબર પડી તો એક દિવસ રાત્રે તે તેના ઘરે પહોંચી જાય છે . અને જુએ છે . તો તે એકલો બેઠો બેઠો તાપણું કરીને આગનીસામે બેઠો હોય છે . તો મંત્રી ત્યાં જાય છે . તેને જોઈને પેલો માણસ કાંઈપણ બોલતો નથી પણ મનોમન રાજી થાય છે કે હું સંગઠનથી દૂર થયો તો ખૂદ મંત્રી મારા ઘરે આવ્યા પરંતુ મંત્રી હોંશિયાર હોય છે . તેમણે તે સળગતી અગ્નિમાંથી એક લાકડીને કાઢીને દૂર મૂકી દીધી આ પેલો માણસ બરાબર નિરીક્ષણ કરી રહ્યો હોય છે . અને મનમાં રાજી | થતો હોય છે . બન્ને કાંઈપણ બોલતા નથી પરંતુ થોડો સમય જતા પેલી લાકડી જે દૂર કરી હતી . તે આગ બુઝાઈ ગઈ અને ધીરે - ધીરે કાળી પડવા લાગી અને કોલસો થઈ ગઈ પછી મંત્રી ઊભા થાય છે . અને જેવા લાગે છે . અને તે જુદી કરેલી લાકડીને ફરીથી પેલી સળગતી લાકડીઓ સાથે મૂકી દે છે . તો પાછી પેલી લાકડી સળગવા લાગે છે . અને પ્રકાશ આપવા માંડે છે . તેથી આ જોઈને પેલા ભાઈને પોતાની ભૂલ સમજાઈ અને મનોમન મંત્રીનો આભાર માનવા લાગ્યો કે એકલો માણસનું કાંઈ અસ્તિત્વ નથી . સંગઠનનો સાથ હોય તો જ માણસનું મહત્ત્વ છે . 
*“એક રહો , નેક રહો , સંગઠીત રહો ”* 

જય માતાજી..🙏