ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 30 માર્ચ, 2024

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે. 

28મી માર્ચનાં રોજ ડો. પ્રતીક ગઢવીને RSSનાં (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ડો. જયંતિભાઇ ભાડેસીયાની અને કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સન્માનિત કરાયા. આ મહાનિંબધમાં પ્રત્યક્ષ માર્ગદર્શન પાઠવનાર ડો. વિશાલભાઇ જોશી પણ ઉપસ્થિત રહ્યા. 

આ મહા નિબંધમાં ડો. પ્રતીક ગઢવીએ આર.એસ.એસની સ્થાપના, શાખાનો પ્રારંભ, સંઘનાં વિવિધ કાર્યક્રમો અને આયામો, આર.એસ.એસનાં સેવાકાર્યો, ચીન અને પાકિસ્તાન સાથેનાં યુદ્ધ દરમિયાન આર.એસ.એસ દ્વારા પીડિતોને સહાય અને સેવા કાર્ય, કચ્છનાં ભૂકંપ વખતે હાથ ધરાયેલા સેવાકાર્યો, સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ દરમિયાન કરાયેલા કાર્યો, પૂર અને વાવાઝોડા દરમિયાન કરાયેલી લોકસેવા, કોરોનાની મહામારી દરમિયાન કરાયેલી સેવા વગેરે મહત્વનાં પાસાને આવરી લીધી છે.

ગુરુવાર, 21 માર્ચ, 2024

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી



રાજકોટ ચારણ સમાજનું ગૌરવ 
કુ.મીરા કાનાભાઈ ગઢવી
WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છે. 
કુ.મીરાને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્વળ ભવિષ્ય ની શુભકામનાઓ 💐💐💐

ગુરુવાર, 11 જાન્યુઆરી, 2024

ચારણ સમાજનું ગૌરવ: - ડો. ડિમ્પલ ગઢવી


હાર્દિક શુભકામના

માં મોગલ આઇ તથા કુળદેવી માં પીઠડ આઇની કૃપાથી *ચારણ સમાજનું ગૌરવ ડૉ. ડિમ્પલ બલભદ્રસિંહ ગઢવી* એ આયુર્વેદ ક્ષેત્રેમાં M.D. (Ayured Samhita and Siddhanta) ની માસ્ટર ડિગ્રી First Class પરિણામ સાથે પ્રાપ્ત કરેલ છે તે બદલ સમસ્ત બાટી પરિવાર ગૌરવ અનુભવે છે અને ડૉ. ડિમ્પલ ગઢવી ને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિષ પાઠવે છે ....

શુભેચ્છક :-
ભગવતસિંહ ભલુદાન ગઢવી સ્વ. આનંદીબા ભગવતસિંહ ગઢવી બલભદ્રસિંહ ભગવતસિંહ ગઢવી જીગરદાન ભગવતસિંહ ગઢવી ગામ : કોલવડા જિલ્લો : ગાંધીનગર

*ઉતરોત્તર પ્રગતિ કરતા રહો , સફળતા ના શિખરો સર કરો એવી માં ભગવતીને પ્રાર્થના સહ ઉજ્વળ ભવિષ્ય ની મંગલ કામનાઓ 💐💐💐*

*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

બુધવાર, 27 ડિસેમ્બર, 2023

ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - ૨૦૨૪







ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - ૨૦૨૪

વિશેષતાઓ :-

1.હિંદૂ પંચાંગ , તેમજ ચારણોના પ્રસંગો,ચારણ માતાજીઓ, સંતો, કવિઓ, સમાજ માટે જીવન અર્પણ કરનાર સમાજ ભક્તોની તિથિઓનો સમાવેશ.
2. દરેક પાને ગુજરાતમાં આવેલ ચારણોના વિદ્યાધામોની તથા ભવનોની વિસ્તૃત માહિતી.
3. ચારણ સમાજના ગામોમાં તથા સમાજ સ્તરે ઉજવાતા પ્રસંગોનું નિરુપણ .

*આ વર્ષનું ચારણતિથી કેલેન્ડર પ્રસિદ્ધ થઈ શુક્યું છે.જેના વેચાણ માટેની વ્યવસ્થાઓ જ્યા સોનલબીજ ઉજવાય છે. તેવા સ્થલો એ રાખવામાં આવેલ છે.*

*કેલેન્ડરમાંથી થતી આવક સમાજના શૈક્ષેણીક ઉતકર્ષ માટે વાપરવામાં આવે છે.*

*દુર વસ્તા ચારણો માટે કેલેન્ડર મેલવવા માટે નિચેના નંબર પર સંપર્ક કરવો.*

વાલજીભાઈ ગઢવી , માંડવી,કચ્છ :- 990-972-2410

*આવો આપણે સૌ આપણા ઘર,ઓફિસ, કે દુકાનમાં ચારણ તિથિ કેલેન્ડરને સ્થાન આપીએ*

*ચારણતિથિ કેલેન્ડર ની કિંમત રુ. ૫૦/- રાખવામાં આવેલ છે.*

  *ગઢવી મિત્ર મંડલ - માંડવી દ્વારા પ્રસ્તુત ચારણતિથિ કેલેન્ડરને મલેલ અપાર સામાજિક પ્રસિદ્ધી બદલ અને ચારણતિથિ કેલેન્ડર રુપી સામાજિક કાર્ય કરવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન*

બુધવાર, 6 ડિસેમ્બર, 2023

ચારણ- ગઢવી સમાજ શૈક્ષણિક સંકુલની ગાંધીનગર/અમદાવાદ

ચારણ-ગઢવી સમાજના શૈક્ષણિક પ્રોજેકટ

પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આઈ શ્રી સોનબાઈ મા નું સપનું હતું ચારણ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સૌ બાળકો ભણે આગળ વધે કુટુંબ, પરિવાર ,સમાજનું વિકાસ થાય અંને સંસ્કૃતિનું જતન થાય, અને તેના માટે આઈશ્રી સોનબાઇ મા દ્રારા શિક્ષણની દિવ્ય જ્યોત બોર્ડિંગનો સ્થાપના કરી કરેલ હતી એ સિવાય અને સમાજ ઉત્થાન માટે અનેક કાર્ય કરવામાં આવ્યા હતા તેનાથી આપણે સૌ પરિચિત છીએ,વ્યક્તિના જીવનમાં ઉત્કર્ષ અને ઉત્થાન માટે શિક્ષણ અને સંસ્કાર મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે વર્તમાન સમય અનુસાર ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે એ માટે ચારણ- ગઢવી સમાજના શૈક્ષણિક સંકુલની ગાંધીનગર/અમદાવાદ ખાતે ખાસ જરૂર હતી. આ શૈક્ષણિક સંકુલ માટે આઈશ્રી સોનબાઇ માના જન્મ શતાબ્દી વર્ષ ની ફળશ્રુતિ રુપે બહુ જ સારી પહેલ દિલીપભાઈ શીલગા સાહેબ અને એમની ટીમ દ્રારા કરવામાં આવેલ છે. *આ કાર્ય માટે ભાઈશ્રી "સમ્રાટ" સામતભાઈ ગઢવી દ્રારા રૂ.30,00,000 /- નું યોગદાન જાહેર કરવામાં આવેલ છે.* સમાજ પ્રેમી અને યુવાનોના માર્ગદર્શક સામતભાઈ દ્રારા શૈક્ષણિક કાર્ય માટે હર હંમેશ સહકાર અને યોગદાન હોય જ છે.

*આ ભગીરથ કાર્યમા સર્વે જ્ઞાતિજનો તન, મન , ધન થી આપણા સમાજના વિધાર્થીઓ માટે સાથ સહકાર આપવા વિનંતી.*

યોગદાન અને માહિતી માટે 
દિલીપભાઈ શીલગા
મો.9825005224

શનિવાર, 25 નવેમ્બર, 2023

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૫૦ મો નિર્વાણ દિવસ છે.

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૫૦ મો નિર્વાણ દિવસ છે.

આઈમાં જે કાર્ય માટે આવ્યા તા તે કાર્ય પુરુ થયુ હોવાથી વિ.સ.૨૦૩૧ કારતક સુદ ૧૩ ને તારીખ 27-11-74 ને બુધવારના વહેલી સવારે પ્રભાત 5:15 વાગ્યે આ પંચ મહાભુતના દેહનો ત્યાગ કરી પરમત્તવમાં લીન થયા હતા.
પૂ. આઈમાંના પાર્થિવ દેહનો તેમના નિવાસસ્થાને કણેરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો.
ત્યારે હજારો નહિ બલ્કે લાખો ભક્તોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.

આઈશ્રી સોનલમાં નો સંક્ષિપ્ત પરિચય

નામ :- સોનબાઈ હમીર મોડ
પિતાનું નામ :- હમીર માણસુર મોડ
માતાનુ઼ નામ :- રાણબાઈ માણસુર 
રાણબાઈમાં નુ મુલ નામ :- વાલબાઈ માં
કુળ :- ચારણ કુળ
ગોત્ર :- તુંબેલ ગોત્ર.
કુળ રુઋુષિ :- શિવ.
કુળદેવી :- રવેચી.
મુળ શાખા :- મવર (ગુંગડા) 
પેટા શાખા :- મોડ.
જન્મદિન :- વિ.સં. ૧૯૮૦ , પોષ સુદ -૨
તારીખ :- 8-1-1924, મંગળવાર. 
સમય :- સાંજે 8:30 કલાકે.
જન્મસ્થળ :- મઢડા, તા : કેશોદ , જી: જુનાગઢ
સ્વધામગમન :- વિ.સં. ૨૦૩૧ કારતક સુદ 13 તારીખ 27-11-1974
સમાધી સ્થળ :- કણેરી ,તા : કેશોદ

*સંદર્ભ :- આઈશ્રી સોનલ કથામૃત, લેખક : આશાનંદભાઈ ગઢવી , ઝરપરા , કચ્છ*

આઈશ્રી સોનલ માં ના નિર્વાણ દિવસે કોટિ કોટિ નમન 🙏🏻