ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

પરમેસર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે


*॥ દુહા ॥*

એક દિવસ આનંદધર, હર હરદમ હરખાય,

કરન નાચ તાંડવ કજું, બહુ વિધ કેફ બનાય.~૦૧


ઘટ હટ બિજ્યા ધુંટડે, આરોગે અવિનાશ,

લહર કેફ અનહદ લગી, પુરણ નૃત્ય પ્રકાશ.~૦૨


લિયા સમાજ સબ સંગમેં, ત્રિલોચન તત્કાળ,

કાળરુપ ભેરવ કઠીન, દિયે તાલ બિકરાળ.~૦૩


ઘોર રુપ ઘટ ભ્રમણ, ઉતર્યા રમણ અકાલ,

કારણ જીવકો આક્રમણ, દમણ દૈત દગ ભાલ.~૦૪


લખ ભેરવ ગણ સંગ લિય, ડાકણ શાકણ ડાર,

જબર જુધ સંગ જોગણી, ભુત પ્રેત ભેંકાર.~૦૫




*( છંદ:~દુર્મિલા )*




ભભકે ગણ ભુત ભયંકર ભુતળ નાથ અધંતર તે નખતે,

ભણકે તળ અંબર બાધાય ભંખર ગાજત જંગર પાંહ ગતે,

ડમરુંય ડડંકર બાંહ જટંકર શંકર તે કઇલાસ સરે,

પરમેસર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૧


હડડં ખડડં બ્રહ્માંડ હલે ડડડં ડડડા કર ડાક બજે,

જળળં દગ જ્વાલ કરાલ જરે સચરં થડડં ગણ સાજ સજે,

કડકે ધરણી કડડં કડડં હડડં મુખ નાથ ગ્રજંત હરે,

પરમેસર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૨


હડતાળ મૃદંગ હુહુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરં,

દ્રહ દ્રાહ દિદિકટ વિકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરં,

ધધડે નગ ધોમ ધધાકટ ધીકટ ઘેંઘટ ઘોર કૃતાળ ધરે,

પરમેસર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૩


નટ તાંડવરો ભટ દેવ ઘટાં નટ ઉલટ ગુલટ ધાર અજં,

ચહ થાક દુદુવટ ખેંખટ ગેંગટ ભુ કઇલાસ ગ્રજં,

તત તાન ત્રિપુરારી ત્રેકટ ત્રુકટ ભુલટ ધુહર ઠેંક ભરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૪


શહણાઈ સેંસાટ અપાર છટા ચહું થાટ નગારાંય ચોબ રડે,

કરતાલ થપાટ ઝપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર ધડે,

ઉમયા સંગ નાટ ગણં સર્વેશ્વર ઇશ્વર થઇ તતાં ઉચરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૫


પહરી ગંગધાર ભેંકાર ભુજંગાય ભાર અઢારાંય વૃક્ષ ભજે,

ગડતાળ અપાર ઉઠે પડઘા ગઢ સાગર તીર બ્રહ્માંડ ગજે,

હદપાર કરાળ વિતાળરી હાકલ પાવ ઉપાડત તાલ પરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૬


બહ અંગ પરાં ધર ખાખ અડંબર ડંબર સુર નભં દવળાં,

ડહકે ડહકં ડહકં ડમરુ બહ ડુહક ડુહર થે બવળાં,

હદભાર પગાંચ હિમાચળ હાલત હાલત નૃત્ય હજાર હરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૭


બ્રહ્માંદિક દેખ સતં ભ્રમનાભર સુર તેત્રીસાંય પાવ સબે,

ખડડં કર હાસ્ય બ્રહ્માંડ ખડેડત અંગ ઉમા અરધંગ અબે,

જગ જાવણ આવણ જોર નચાવણ આવણ *"કાગ"* તણે ઉપરે,

પરમેસર મોદ ધરી પસુ પાલણ કામ પ્રજાળણ નાચ કરે.~૦૮


*કવિ <= દુલા ભાયા કાગ => ( ભગત બાપુ )*

*ટાઇપ ~ ધર્મેશ ગાબાણી*૭

૬૯૮૮૨૪૬૨૧

ભાવનગર ચારણ સમાજનું ગૌરવ.


ચારણ સમાજના સામાજીક કાર્યકર,ભાવનગર ચારણ બોડિઁગના મંત્રી  આપાભાઇ ગઢવીના પૌત્ર ખુશાલ ગંભીરભાઇ (ગિરિશભાઈ) જિલ્લાકક્ષા બાળ પતિભા શોધ સ્પધાઁ અને જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પધાઁમાં "દોહા, છંદ, ચોપાઈ, સપાખરા  ખુલ્લા મેચમાં પૃથમ આવેછે.

તે બદલ ખૂબ ખૂબ અભિનંદન

સમસ્ત રાજકોટ ચારણ સમાજ જોગ અપીલ

સમસ્ત રાજકોટ ચારણ સમાજ જોગ અપીલ


ચારણ સમાજના તમામ ટ્રસ્ટો, મંડળો, તથા સમાજનાં તમામ જાગૃત ગ્નાતીજનો ને અપીલ કરવાની કે આજ રોજ

તારીખ : ૧૨/૦૯/૨૦૧૮ ને બુધવાર ના રોજ સાંજ ના ૬:૦૦ કલાકે ચારણ સમાજ વાડી, ૨ સુખરામનગર રાજકોટ ખાતે સમુહ લગ્ન બાબતે એક ખાસ અગત્યની મીટીંગનુ આયોજન કરવામાં આવેલ છે તો આ મીટીંગમાં આપની હાજરી અનિવાર્ય છે

સમાજ હિતના કાર્યમાં હાજર રહેવા વિનંતી.


*ખાસ* *નોંધ* :- સમુહ લગ્ન બાબત અતી જરૂરી હોવાથી આપનો કિંમતી સમય કાઢીને સામાજીક ફરજ ના ભાગ રૂપે ઉપસ્થીત રહેવા ખાસ વિનંતી.



*મીટીંગ પછી સ્વરુચી ભોજન સાથે લઈશું*


આ મેસેજ મેળવનાર તમામ ગ્નાતીજનોએ પોતાના વિસ્તારમાં રહેતા ચારણોને આ મીટીંગ મા ખાસ હાજર રહેવાની જાણ કરવાની જવાબદારી છે.


લી. *શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન* - *રાજકોટ*

મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2018

માં સોનલ પ્રત્યે અખૂટ શ્રધા અને વિસ્વાસનું જીવતું જાગતું ઉદ્દાહરણ એટલે દિવ્યાંગ જેન્તીભા બાટી(ગઢવી).

આજે. તા-11-9-2018 ભાદરવા સુદ બીજ નીમીતે સોનલધામ (ગાંધીધામ)  મધ્યે દિવ્યાંગ જેન્તીભા બાટી (ગઢવી) સવાર ની આરતી થી સંધ્યા આરતી સુધી સતત 12 કલાક એક મીનીટ ના વિરામ લીધા વગર માતાજી નોબત વગાડી.

 સંધ્યા આરતી ના વિરામબાદ નોબત બંદ થઈ



શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ - ગાંધીધામ દ્વારા સોનલધામ મધ્યે દિવ્યાંગભાઈ ગઢવી નું સન્માન કરવામાં આવ્યું.... જય માં સોનલ


માં સોનલ પ્રત્યે અખૂટ શ્રધા અને વિસ્વાસનું જીવતું જાગતું ઉદ્દાહરણ એટલે દિવ્યાંગ જેન્તીભા બાટી(ગઢવી).




..જય માં સોનલ....

સિનીયર સીવીલ જજમાં પ્રમોશન મેળવનાર ચારણ - ગઢવી સમાજના યુવાનોની યાદિ

સિનીયર સીવીલ જજમાં  પ્રમોશન મેળવનાર ચારણ - ગઢવી સમાજના યુવાનોની યાદિ


1. બળદેવ શક્તિદાન ગઢવી .

2. ચિત્રા રતનું 

3. રાજવ્રતદાન ગઢવી


*ખૂબ ખૂબ અભિનંદન* 💐💐💐


*હજુકોઈ નામ બાકી હોય અથવા નામ માં ભુલ હોયતો આ નંબર 9687573577 પર જાણ કરવા વિનંતી*


*ચારણત્વ બ્લૉગ પર જોવા માટે :-*


કરછ અને ચારણ સમાજનું ગૌરવ





કરછ અને ચારણ સમાજનું ગૌરવ જાણીતા ચાર્ટડ એકાઉન્ટ,ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રવકતા..આદરણીયશ્રી કૈલાશદાનભાઈ ગઢવીની ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોગ્રેસ,ગુજરાત રાજયના પ્રમુખ તરીકે નિમણૂક બદલ ખુબ ખુબ અભિનંદન.......



આજે " દાદુદાન પ્રતાપદાન મીસણ" (કવિ દાદબાપુ) નો જન્મ દિવસ છે


આજે તારીખ ૧૧/૯  ને આપણા કવિ શ્રી દાદુદાન પ્રતાપદાન મિસણ "કવિ દાદ"નો જન્મ દિવસ છે


આ ઊજળા અવસરે તેમને જન્મ દિવસની અનંત શુભેચ્છાઓ.


*"આવો  કવિ દાદ " ના જન્મદિવસે તેમના વિશે થોડું જાણીયે...*


પૂ. કાગ બાપુના પેગડામાં પગ મૂકવાની નરવી શક્તિ ધરાવતા કવિ " દાદ " લોક હૈયાના અગોચર ખૂણે રમતા રૂજુભાવોને પોતાના કાવ્યમાં મુગ્ધ ઝરણા જેવી મધુરી, રમતિયાળ શૈલીમાં આલેખે છે.

કવિ " દાદ " આલા દરજ્જાના લોકમાન્ય અને લોકભોગ્ય ચારણ કવિ છે.

' ટેરવા ' એટલે શબ્દની કેડી પર લય અને ભાતીગળ વેલ્ય...

કવિ " દાદ " ની અતિપ્રસિદ્ધ, અવિસ્મરણીય, અદભુત કવિતા એટલે " કાળજા કેરો કટકો " માત્ર ગુજરાત, ભારતમાં જ નહીં બલકે વિશ્વભરમાં  પણ જ્યાં અને જ્યારે પણ લોકગાયક ગાય ત્યારે દસ-વીસ વરસ પહેલાંય જેણે દીકરીને સાસરીયે વળાવી હોય તેવા મા-બાપ કે જેને ત્યાં દીકરી હોય એમ હંમેશા રહ રહ રોતા સહુએ ભાળ્યા છે.

કુંવારી કલ્પના આલેખતી કવિ  દાદની અમર રચના એટલે " ઠાકોરજી નથી થાવું "

આઈ આવડને ચરજ રૂપે આરધતા લખે છે કે,

" આવડ તું ઉપરેં ઓ રે, બાઈ તુંને બાળ બોલાવે ".

તેમની રચનાઓમાં શબ્દનો પ્રચાર નહીં પણ અંતરનો ઉપચાર છે.


જન્મદિવસની ખુબ ખુબ શુભકામના સાથે માતાજી પાસે લાંબા દીર્ઘાયુષ્યની શુભેચ્છા અને પ્રાથના.....

પ્રસ્તુતિ નિજાનંદ.

દાદુદાનપ્રતાપદાન ગઢવી (કવિ ‘દાદ’)ની સાહિત્ય સાધનાની અર્ધી સદી થઇ છે. કવિ દાદએ ‘કાળજો કેરો કટકો’ ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ‘હિરણ હલકાળી’ જેવી ગુજરાતની લોક સંસ્કૃતિને જન માનસ સુધી પહોંચાડતી લોકપ્રિય કવિતાઓની રચના કરી છે. કવિ દાદના સમગ્ર કાવ્ય સંગ્રહ ‘ટેરવાં’ અને ‘લછનાયન’ની વિમોચન વિધિ મોરારીબાપુના હસ્તે 14મી ઓક્ટોબરને શુક્રવારે સાંજે 4 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ રાજકોટમાં થશે.

કવિ દાદની સાહિત્ય સાધના અર્ધી સદી પૂરી થવામાં છે. સમયગાળા દરમિયાન ‘ટેરવાં’ ભાગ-4, ‘ચિત્તહરનું ગીત’ ‘શ્રીકૃષ્ણ છંદાવલી’ ‘રામનામ બારાક્ષરી’ વગેરે પુસ્તકો ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્ય ક્ષેત્રને મળ્યા છે. કવિ દાદના કેટલાક પુસ્તકો ઘણા વર્ષોથી અલભ્ય હતા. રાજકોટની પ્રકાશન ક્ષેત્રેની સંસ્થા પ્રવીણ પ્રકાશન દ્વારા દાદના સમગ્ર સાહીત્યના બે પુસ્તકમાં પુન: મુદ્રણ કરવામાં આવ્યું છે. ગોપાલભાઇ પટેલના જણાવ્યા મુજબ 824 પાનાંના બે પુસ્તકોમાં કવિ દાદની તમામ રચનાઓનો સમાવેશ કરાયો છે.

કાવ્યસંગ્રહ મોરારિબાપુ વાંચકો સન્મુખ મૂકશે

                    || દોહો ||

કવિ કુંવારા વેણ નો.અદભુત કલ્પન યાદ,

મિશણ કુળ મોંધુ રતન,દિવ્ય કવિ ભવ્ય દાદ.

રચના :-કવિ પ્રવીણભાઈ મધુડા

95109 95109


ગુજરાતી લોકસાહિત્યની ધરોહર સમાન કવિ દાદબાપુને (દાદુ દાન ગઢવી)ને જન્મ દિવસની શુભેચ્છા ! કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. સાત દાયકાથી વધારે ના તેમના અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય ભેટ સમાજને ચરણે ઘરી છે. તેઓ છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસી રહ્યા છે. જે આગળ પણ યથાવત રહે તેવી માં ભગવતિ ને પ્રાર્થના.