ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 26 મે, 2018

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

તાજેતરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા યુનિવર્સલ મહેઙુ અેલાયન્સના પ્રયાસથી ત્રણ મધ્યકાલિન ચારણ કવિઅો લાંગીદાસ મહેઙુ,વ્રજમાલજી મહેઙુ તથા કાનદાસજી મહેઙુ ના દ્વિ શતાબ્દી -ત્રી શતાબ્દી મહોત્સવની ઉજવણીઅનુક્રમેહળવદધ્રાંગધ્રાઠાકોરસાહેબ,જામનગરઠાકોરસાહેબ ,રાજકોટ ઠાકોર સાહેબ તથા ગાયકવાઙ સરકાર તથા સાણંદ ઠાકોર સાહેબનીઉપસ્થિતિમાં   કરવામાં આવી તે પાવન પ્રસંગને અનુરુપ મહેઙુ કુળની કવિ પ્રતિભાઅો તથા દૈવત્વને બે શબ્દોથી નવાજવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું .

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

રંગ કચારી રાજરી,અવઙભઙ નર અટ્ટ,
જાઙો ચારણ જગ્ગવટ્ટ,વઙ વધારણ વટ્ટ ..1
જ્યાં નામે વઙ જગરા,સામંતા રુ સુભટ્ટ,
નામે નહ નરસિંહરા, જાઙો ચારણ જટ્ટ.  ...2
ગોરા હાકમ ગરજતાં,રાખણ નિર્ગણ રટ્ટ,
દરિયાપીર દાખે દયા,કહાનદાસ વઙ કઠ્ઠ, ....3
નાંગળ લોહ નોંધિયા ,  કોટઙિયા મહ કઢ્ઢ,
વિનવતાહી વાંભયા,  દરયાપીર તત દ્રઢ્ઢ ,....4
ભિઙ પઙે માં ભારથી , અઙાભિઙ કવિ અઠ્ઠ,
કાનદાસ કિરત કહી, રીજ દરિયાપીર. રટ્ટ......5
રચી કવિતા રંગથી,  મહિમા મહિ મહઠ્ઠ,
ગોદઙ મહેઙુ ગર્વસુ,    દુહા તિનસો સઠ્ઠ, ...,....6
લાગીદાસ નર લાધિયો,હરિભાવ કર હથ્થ,
સતસ્મરણ કર સરજ્યો,ગહન રામરસ ગ્રંથ્થ....7
પરાક્રમ સૂર પુત્રના  , રચ્યા કાવ્ય રમમાણ,
અોખાહરણ કહ્યો અતિ,લાગીદાસ રસ લાણ,....8
અેકાદસી વ્રત ઊક્તિ  ,રાજ સગણ જસ રંગ,
લાંગીદાસ અેતા લખ્યા,અતિ ગહન  ઊમંગ......9
સંગ્રામે કર સોંપિયો , ફરણ હય  ફુલમાળ,
બીર્દ  લાંગીદાસ બરણ,જાઙેજા જસમાળ,.....10
જસવંત મહેઙુ  જબર ,વ્રત અજાચી વિર,
વાઘેર જામે વેઙિયા,  સોંપ્યો નિજ શરીર ,.......11
રણભેરી બાજી રહ્યા, ઘાવ નગારે ઘોર,
જસો મહેઙુ તવ જપ્યો,તહાં પવાઙો તોર,........12
પુતર માંઙણ રો પ્રબળ,  ગહન કવિ ગંભિર,
રચી અભેસિંહ રજરી, હસ્તિ છઙી  કટિહિર,, ......13
જાણી વ્રૃતિ રાજ જસ,પાઠ પઠણ હર પંથ,
લાગીદાસે તત લખ્યો,હરિ સ્મરણ હર હથ્થ ........14
છંદ નિશાણી છપયો,બાબી જેઠવા બથ્થ,
લાગીદાસ જુધે લખ્યો, ગણ બાબીરો ગ્રથ્થ.........15
રામવાણી રસણાં રચી, રામદાન કવ રાણ,
છંદા દુહા થી છજ્યા, રસ કવિત રસલ્હાણ,.......16
રતનાકર જેસો રચ્યો  ,ભક્તવત્સલ ગ્રંથ ભાણ,
મુક્ત કવિ યું મહકતો  ,  પારસ સિધ્ધ પ્રમાણ  .....17
સત્ય વાત નિતિ સભર,  કરે ભક્તિ કલ્યાણ,
મુક્ત કહ્યો નિજ મુખથી,દેવ કવિ દહેવાણ ........18
ઙુગરસિંહ વટ ઙિણસી, થળા જાગિરે થઙ્ઙ,
છતરશાલ ઝાલા છવ્યો,દેગામ થાપ્યો દ્રઢ્ઢ ,........19
મહેઙુ કવિજન મોજથી, રટ્યા ગ્રંથ નવ રંગ,
જગદંબા તું જેતબાઈ  , ગઢવી  આંગણ ગંગ.......20
સામરખા ગામે સબળ ,કાનદાસ જસ  કુળ,
મુરાદ સમ ચેલો મળ્યો, મહેઙુ  ચારણ  મુળ........21
રુપ ધરી રણચંઙિકા ,  બેઠી ગાઙે બાઈ ,
ચોવીસી દઈ ચંઙિકા , જેતી લાખા જાઈ,............22
આ ધરતિની ઉપરે  , કૈક રતન કવરાજ ,
કાનદાસ આ કળયુગે ,લેખી ભક્તિ લાજ,..,.......23
રાજ દરબારે રખિયુ, રુઙી ચારણ રીત,
લાંગીદાસ વ્રજમાલ લે,કહાન મહેઙુ ક્રિત..........24
સુજસ મહેઙુ સાંભર્યો,રાજ સમારંભ રંગ,
કવિ "દાન " કિર્તિ કહી,સત્ય કવિતા સંગ,........25

ઙોલરદાન ભગુભાઈ રોહઙિયા
  ધુનાનાગામ તા.પઙધરી
જિ. રાજકોટ

                       
                            *વંદે સોનલ માતરમ્

મહેઙુ સુજસ -પચ્ચીસી -દહા

તાજેતરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા યુનિવર્સલ મહેઙુ અેલાયન્સના પ્રયાસથી ત્રણ મધ્યકાલિન ચારણ કવિઅો લાંગીદાસ મહેઙુ,વ્રજમાલજી મહેઙુ તથા કાનદાસજી મહેઙુ ના દ્વિ શતાબ્દી -ત્રી શતાબ્દી મહોત્સવની ઉજવણીઅનુક્રમેહળવદધ્રાંગધ્રાઠાકોરસાહેબ,જામનગરઠાકોરસાહેબ ,રાજકોટ ઠાકોર સાહેબ તથા ગાયકવાઙ સરકાર તથા સાણંદ ઠાકોર સાહેબનીઉપસ્થિતિમાં   કરવામાં આવી તે પાવન પ્રસંગને અનુરુપ મહેઙુ કુળની કાવિ પ્રતિભાઅો તથા દૈવત્વને બે શબ્દોથી નવાજવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું .

મહેઙુ સુજસ -પચ્ચીસી -દહા

રંગ કચારી રાજરી,અવઙભઙ નર અટ્ટ,
જાઙો ચારણ જગ્ગવટ્ટ,વઙ વધારણ વટ્ટ ..1
જ્યાં નામે વઙ જગરા,સામંતા રુ સુભટ્ટ,
નામે નહ નરસિંહરા, જાઙો ચારણ જટ્ટ.  ...2
ગોરા હાકમ ગરજતાં,રાખણ નિર્ગણ રટ્ટ,
દરિયાપીર દાખે દયા,કહાનદાસ વઙ કઠ્ઠ, ....3
નાંગળ લોહ નોંધિયા ,  કોટઙિયા મહ કઢ્ઢ,
વિનવતાહી વાંભયા,  દરયાપીર તત દ્રઢ્ઢ ,....4
ભિઙ પઙે માં ભારથી , અઙાભિઙ કવિ અઠ્ઠ,
કાનદાસ કિરત કહી, રીજ દરિયાપીર. રટ્ટ......5
રચી કવિતા રંગથી,  મહિમા મહિ મહઠ્ઠ,
ગોદઙ મહેઙુ ગર્વસુ,    દુહા તિનસો સઠ્ઠ, ...,....6
લાગીદાસ નર લાધિયો,હરિભાવ કર હથ્થ,
સતસ્મરણ કર સરજ્યો,ગહન રામરસ ગ્રંથ્થ....7
પરાક્રમ સૂર પુત્રના  , રચ્યા કાવ્ય રમમાણ,
અોખાહરણ કહ્યો અતિ,લાગીદાસ રસ લાણ,....8
અેકાદસી વ્રત ઊક્તિ  ,રાજ સગણ જસ રંગ,
લાંગીદાસ અેતા લખ્યા,અતિ ગહન  ઊમંગ......9
સંગ્રામે કર સોંપિયો , ફરણ હય  ફુલમાળ,
બીર્દ  લાંગીદાસ બરણ,જાઙેજા જસમાળ,.....10
જસવંત મહેઙુ  જબર ,વ્રત અજાચી વિર,
વાઘેર જામે વેઙિયા,  સોંપ્યો નિજ શરીર ,.......11
રણભેરી બાજી રહ્યા, ઘાવ નગારે ઘોર,
જસો મહેઙુ તવ જપ્યો,તહાં પવાઙો તોર,........12
પુતર માંઙણ રો પ્રબળ,  ગહન કવિ ગંભિર,
રચી અભેસિંહ રજરી, હસ્તિ છઙી  કટિહિર,, ......13
જાણી વ્રૃતિ રાજ જસ,પાઠ પઠણ હર પંથ,
લાગીદાસે તત લખ્યો,હરિ સ્મરણ હર હથ્થ ........14
છંદ નિશાણી છપયો,બાબી જેઠવા બથ્થ,
લાગીદાસ જુધે લખ્યો, ગણ બાબીરો ગ્રથ્થ.........15
રામવાણી રસણાં રચી, રામદાન કવ રાણ,
છંદા દુહા થી છજ્યા, રસ કવિત રસલ્હાણ,.......16
રતનાકર જેસો રચ્યો  ,ભક્તવત્સલ ગ્રંથ ભાણ,
મુક્ત કવિ યું મહકતો  ,  પારસ સિધ્ધ પ્રમાણ  .....17
સત્ય વાત નિતિ સભર,  કરે ભક્તિ કલ્યાણ,
મુક્ત કહ્યો નિજ મુખથી,દેવ કવિ દહેવાણ ........18
ઙુગરસિંહ વટ ઙિણસી, થળા જાગિરે થઙ્ઙ,
છતરશાલ ઝાલા છવ્યો,દેગામ થાપ્યો દ્રઢ્ઢ ,........19
મહેઙુ કવિજન મોજથી, રટ્યા ગ્રંથ નવ રંગ,
જગદંબા તું જેતબાઈ  , ગઢવી  આંગણ ગંગ.......20
સામરખા ગામે સબળ ,કાનદાસ જસ  કુળ,
મુરાદ સમ ચેલો મળ્યો, મહેઙુ  ચારણ  મુળ........21
રુપ ધરી રણચંઙિકા ,  બેઠી ગાઙે બાઈ ,
ચોવીસી દઈ ચંઙિકા , જેતી લાખા જાઈ,............22
આ ધરતિની ઉપરે  , કૈક રતન કવરાજ ,
કાનદાસ આ કળયુગે ,લેખી ભક્તિ લાજ,..,.......23
રાજ દરબારે રખિયુ, રુઙી ચારણ રીત,
લાંગીદાસ વ્રજમાલ લે,કહાન મહેઙુ ક્રિત..........24
સુજસ મહેઙુ સાંભર્યો,રાજ સમારંભ રંગ,
કવિ "દાન " કિર્તિ કહી,સત્ય કવિતા સંગ,........25

ઙોલરદાન ભગુભાઈ રોહઙિયા
  ધુનાનાગામ તા.પઙધરી
જિ. રાજકોટ

આઈ નાગબાઈ ના દોહા

આઈ નાગબાઈ ના દોહા

ગંગાજળીયા ગઢેચા,
(તું) જૂને પાછો જા
(મારૂં) માન ને મોદળ રા' !
(નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥

ગંગાજળિયા ગઢેચા
વાતું ન ઘટે વીર !
હીણી નજરૂં હમીર
નોય માવતરૂંની માંડળિક !॥૨॥

ગંગાજળિયા ગઢેચા
(તારૂં) હૂતું પંડ પવિત્ર
વીજાનાં રગત ગયાં
મુણે વાળા માંડળિક !॥૩॥

જાશે જૂનાની પ્રોળ
[તું] દામોકંડ દેખીશ નૈ
રતન જાશે રોળ
[તે દિ'] મું સંભારશ માડળિક.॥૪॥

નૈ વાગે નીશાણ
નકીબ હુકળશે નહિ
હુકળશે અસરાણ
(આંહી) મામદશાનાં માંડળિક.॥૫॥

પોથાં ને પુરાણ
ભાગવતે ભાળશો નહિ
કલ્માં પઢે કુરાણ
તે દિ' મું સંભારશ માંડળિક !॥૬॥

જાશે રા'ની રીત
રા'પણું ય રે'શે નહિ
ભમતો માગીશ ભીખ,
તે દિ' મું સંભારીશ માંડળિક !॥૭॥

તારી રાણીયું રીત પખે
જાઇ બજારે બીસશે
ઓજલ આળસશે
તે દિ મું સંભાળીશ માંડળિક॥૮॥

મેલે દે મોણયા તણુ
અને ન લે જીભે નામ,
ગઢપત ગામોગામ
(તુતો)માખણ ઉઘરાવીશ માંડલીક,॥૯॥

કડકડ યો રોટો કઠણ
ખાવો હોય તોય ખવાય
(પણ)તારાથી ચણા નઇ ચવાય
મોયે લોઢાના માંડલીક॥૧૦॥

સાયર માછીયા સોત
ગરવો આખો ગળું,
આભ ને ઉદર માં લઇ
મેરગઢ ઢંઢોળું માંડલીક॥૧૧॥

જુનાગઢ પાછો જા
છાનો માનો તું
નથી મળ્યા ભૂપ
હજી મગ ને ચોખા માંડલીક॥૧૨॥

તમે છોરૂ અમે માવતર
તને વદયે બાવનવીર
નેવા તણા ઈ નીર
મોભે ન ચડે માંડલીક॥૧૩॥

મારા જેવુ નય મળે
તને સમજાવતલ હઠા
માન ને અકલ મઠા
નૈતર મું સંભારીશ માંડળીક॥૧૪॥

*નરશી મહેતા નો દોહો*
મા તું માન્ડલીક ને માર
મારા થી મારતો નથી ,
તું જુનાંણું ઉથાપ
નાગલ હરજોગણી॥૧૫॥

શુક્રવાર, 25 મે, 2018

"યુથ આઈકોન નેશનલ એવોર્ડ - 2018"

 *"યુથ આઈકોન નેશનલ એવોર્ડ - 2018"


ઉત્તરાખંડ સરકાર દ્વારા છેલ્લા દશ વર્ષથી યુથ આઈકોન એવોર્ડ વિવિધ ક્ષેત્રની વિશેષ કામગીરી તેમજ સુખ્યાતિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોને અર્પણ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે આ એવોર્ડ ગુજરાતમાં *જામનગરમાં આવેલા સેવન સિઝન્સ રિસોર્ટ ખાતે* અપાશે. જેમાં આપણા ગુજરાતીઓ મનહર  ઉધાસ, કીર્તિદાન ગઢવી, નિતુભાઈ ઝીબા, યોગેશ બોક્ષા, પંકજ ભટ્ટ, જગદીશ ત્રિવેદી, મહેશ વસાણી, રશ્મી દેસાઈ, કાજલ ઓઝા વૈદ્ય, કૌશલ પટેલ વગેરેનો સમાવેશ છે. તા. 26-5-18 ને શનિવારે  જામનગરના સેવન સિઝન્સ રિસોર્ટમાં સાંજે 6 કલાકે યોજાનારા ભવ્ય સમારંભમાં આ *"યુથ આઈકોન નેશનલ એવોર્ડ - 2018"* અર્પણ થશે.

આપ સહુને આ પ્રસંગે પધારવા આમંત્રણ છે. આ એવોર્ડ સમારંભનું ઈન્વીટેશન કાર્ડ આ સાથે છે.

કવિ દાદ ની અનમોલ રચના

કવિ દાદ ની અનમોલ રચના

કવિ દાદ ની અનમોલ રચના:


બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,
સામસામા ભળ આફળે એમા,
મરવું ઈ મરદાઈ રે,
માથળા મા ભલે ગોળીયુ વાગે,
પણ એની પીઠ ન વિંધાઇ જાઈરે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,

ધુધરીયાળી વૈલ મા બેઠી,
મુખડામાં મલકાઇ રે,
એના ચોખલીયાળા ચાંદલા નું 
જોજે કંકુ નો ભુસાઇ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,

રજ લુવા રઈ જીવતી જેની ,
જુરતી જનેતા ઈ રે,
કોઈના લાડકવાયા ની ખાંભીયુ
ઉપર મહેલ નો ચણાય જાઇ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,

બાંધેલ ભેટે એને બળવા દેજે,
જેના આતમ છે ઉજળાય રે,
'દાદ' જોજે કળીયુગ ના કરમ,
એને જોજે ન છેતરી જાઈ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,

ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, ગાંધીનગર આયોજિત

ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, ગાંધીનગર આયોજિત, અખિલ ભારતીય ચારણ-ગઢવી સમાજ સંયોજિત અને સમસ્ત ગોલાસણ, વજાપર અને સામરખા મહેડુ પરિવાર પ્રાયોજિત ગુજરાતના ત્રણ મધ્યકાલીન કવિરાજોના શતાબ્દી મહોત્સવમા અનેક મહાનુભાવો સાથે મારું પણ સન્માન કરવામાં આવ્યું અના માટે હું આભાર વ્યક્ત કરું છું.

મુરબ્બી પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ પ્રસંગે ખૂબ સુંદર વાત કરી કે, "આ પ્રસંગ એ કોઈ કવિના સન્માનનો નથી. કાવ્યની રચના તો ઘણા બધા કરી શકે. પણ, આ પ્રસંગ એ ચારણત્વના સન્માનનો છે. કાવ્યમા અને ચારણત્વમા ફેર છે. કલમ અને કટાર બન્ને જો કોઈના હાથમા શોભે તો એ માત્ર ને માત્ર એક ચારણના હાથમા જ શોભે."

આ પ્રસંગે બીજી આનંદની વાત એ છે કે, અમારા પરિવારમાથી એક સાથે ત્રણ પેઢી એટલે કે, મારું, મારા પિતાનુ અને મારા દાદાનું સન્માન એક સાથે કરવામાં આવ્યું. આ વાતનો આનંદ અને ગૌરવ છે.

कविअे पंचतत्व साथे निकटता केळववी जोइअे :- करशनभाई गढवी नो कच्छ मितमां अहेवाल.

कविअे पंचतत्व साथे निकटता केळववी जोइअे
:- करशनभाई गढवी नो कच्छ मितमां अहेवाल.