ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


વિદ્યાની સુગંધ  અપવિત્રને પવિત્ર બનાવે છે . આપણા જે જે યુવાનો ભણેલા છે , તેમનામાં જ્ઞાતિ પ્રેમ દેખાય છે . સદભાવના જણાય છે .

ભણતર  કાંઈ નાના બાળકોએ જ ભણવાનું છે એમ નથી , મોટાઓએ પણ સાચા ભણતરના પાઠ શીખવાના છે . 
મોટું કેમ થવાય ?  મોટું કોણ કહેવાય ? ડાહ્યું  ' કોણ ? 
પ્રથમ ડાહ્યા . એ કે જે રળીને ખાય .
 બીજા કોઈની આશા ન રાખે . ભુજબળની અને ભગવાનની એની જ આશા રાખે . એનાથી વધારે ડાહ્યો છે . જે પોતાના રોટલાથી મહેનત માંથી એનું દીકરીયું  વિધવાઉને મદદ કરે 
ત્રીજો  ડાહ્યો એ  છે કે જે જ્ઞાતિની સેવા કરે છે 
એનાથી વધારે ડાહ્યો છે કે , જે પરગણાની સૌની સેવા કરે અને 
પંચમાં ડાહ્યો એ કે જે દેશ આખાની સેવામાં જીવન અર્પણ કરે.

( તા :- ૨૧-૧- ૧૯૫૭ માં કચ્છ ના માંજલ ગામમાં આપેલા પ્રવચનનો અંશ    આઈ સોનલ ઈશ્વરી માં  થી સાભાર )


સોમવાર, 11 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

મુંબઈમાં પૂ . આઈશ્રી સોનલ  માના આશીવચન
 તા . ૨૯-૧૨-૭૩ ‘ ‘

 પૂ.આઈનો કંઠ અને આંખો મીચેલા ધ્યાનસ્થ ભાવથી એમના હૃદયતળ  માંથી આ પ્રાર્થના દોહો ગહેકી ઉઠ્યો

 શાંતિકરણ જગ ભરણ તું , ઘડણ  ઘણા ભવધાટ , 
નમો આદિ નારાયણી ! વિશ્વરૂપ વેરાટ .

 ત્યારે વાતાવરણમાં વિશુદ્ધિ સવાઈ ગઈ
 પૂ.આઈ એ બે પળ પછી આંખો ઉઘાડીને કહ્યું : “ ચારણો વિદ્યાને વરેલા હતા , તપને વરેલા હતા . એ વાત સાચી . પણ આજે એ વાત જૂની થઈ ગઈ છે , તેને તાજી કરવાની જરૂર છે . વિદ્યા બે પ્રકારની છે . વિદ્યા અને અવિદ્યા . 
જે જાણવાથી આપણું અને બીજાનું હિત થાય અને એ જ્ઞાનને પાછું ’ અમલમાં મૂકાય તે વિદ્યા . અને જે વસ્તુ જાણવાથી પોતાનું અને બીજાનું કંઇ ભલું ન થાય અને જે આચરણમાં ન ઉતરે , કેવળ તર્ક વિતર્ક અને અભિમાન ઉત્પન્ન કરે , તે વિદ્યા નહિ પણુ અવિદ્યા છે . અત્યારે જમાનાને ઝુકાવ વિદ્યા ફરતા અવિદ્યા તરફ વિશેષ છે ન ખાવાનું ખવાય છે , ન પહેરવાનું પહેરાય છે . જે આચરણ ભારત સંકુતિની વિરુદ્ધ છે તેવા આચરણ માં ગૌરવ મનાવા લાગ્યું છે . કાળા બજાર , રૂશ્વત ખોરી ચાલુ છે . ભારતવર્ષ આમાંથી બચે પોતાની સંસ્કૃતીને અપનાવે , સાચી વિદ્યાને વરે , એમ મારી જગદંબા પાસે પ્રાર્થના.

અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ તરફથી આઈમાં સોનલ ના પ્રાગટ્ય દિવસે આઈમાં ના ગુણગાન ગાવાના સત્સંગ ના કાર્યક્રમ નું આયોજન


સૌ માતૃ શક્તિઓને જયમાતાજી 🙏🙏
અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ  તરફથી આઈમાં સોનલ ના પ્રાગટ્ય દિવસે આઈમાં ના ગુણગાન ગાવાના  સત્સંગ ના કાર્યક્રમ નું આયોજન કર્યું છે.
તા 15/01/21, સાંજે 4 વાગે.

આ વર્ષે આપડે સૌએ  સરકારી નિયમોનું પાલન કરવાનું હોઈને આ કાર્યક્રમ ઓનલાઇન રાખેલ છે.

સત્સંગ ની શરૂઆત પ્રખર ધર્મપ્રેમી, ભક્તિવાન ભજનિક કમશ્રી માતાજી (મોટા લાયજા ) આઈમાં  ની સ્તુતિ ગાઈને કરશે તથા આપણને ભજનો ની પ્રસાદી અપાશે. આ સાથે જ બહેનો તરફથી આઈ સોનલ નું જીવન ચરિત્ર, સોનલ આદેશ સાંભળવા નો લ્હાવો મળશે.
સમય ની મર્યાદા પ્રમાણે કોઈ બહેનો ને ભજન ગાવાની ઈચ્છા હોય તો તે પણ ગાઈ શકશે.
આ કાર્યક્રમ ઓનલાઇન હોઈ ઘર બેઠા માતાજીની ભક્તિ કરી શકાશે. આ માટે ની લિંક એક બે દિવસોમાં શેર કરવામાં આવશે.
તો આપ સૌ ને વિનંતી કે નવ વર્ષ ના આ પ્રથમ સામાજિક સત્સંગ કાર્યક્રમ  માં જરૂર થી ભાગ લેજો.

ABCGMM સમિતિ ની બહેનો તરફથી જયમાતાજી 🙏🙏
.

રવિવાર, 10 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી જૂનગાઢ સંમેલન તા :- ૩૧-૫-૭૪ નો અંશ


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

જૂનાગઢ સંમેલન તા :- ૩૧-૫-૭૪  નો અંશ  

‘ ચારણ કેવો  હતો ! ચારણ સત્યવાદી હતો . અંતઃકરણને શુદ્ધ રાખતો એ સતવાદી ન હોત , એનું અંતઃકરણ શુધ્ધ ન હોત , તો એને ઘરે જગદંબાઓ જન્મ ન લેત , સત્યનો ઉપાસક હોય તેજ ખરો ચારણ છે . એજ દેવ છે . સરસ્વતીનો ઉપાસક ચારણ બીજાની નિંદા ન કરે  ચારણું બનવું હોય તો નિંદા છેડી દ્યો . અને માતાજીની ઉપાસના છેડતા નહી . ઉપાસના કરવાના નીમ લેજો  અને તે પાળજો ભગવતીની ઉપાસનાથી માણસને વિજય મળે છે .
 મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અજુન ! જો તારે વિજય મેળવવો હોય તો ચારણો જેની ઉપાસના કરે છે તે ભગવતી દુર્ગાની ઉપાસના કર એ  છે કે જૂના જમાનાથી ચારણોનાં ઈસ્ટદેવ ભગવતી જગદંબા છે . તમે એને ભૂલતા

સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી 
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ ગઢવી