ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 7 ડિસેમ્બર, 2017

सोनल सरवाणी

સોનલ સરવાણી*

સાર્વજનિક કાર્યો માટે ધન એકઠું કરવું આવશ્યક છે, પરંતુ જે ભાઈઓ ની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમના પર શરમ કે સંકોચ વશ ફાળો નોંધાવવા દબાણ ઉભું કરવું નહીં.

*સંદર્ભ*:  ઝરપરા - કચ્છ પ્રવચન નો સારાંશ. પૂજ્ય પચાણ સાહેબ લિખિત આઇ સોનલ ઇશ્વરી પુસ્તકમાં થી

*સંકલન*: જયેશદાન *જય*.

भगुडामां भाळी : रचना :- घनश्यामदान गढवी (धानडा)

ભગુડામાં ..  .....ભાળી,
ઓખામાં ...ઓળખાણી........(ટેક)
મોગલ મોગલ કરતાં કરતાં રૂદીયામાં દરસાણી....
1.ભકતો ની ભીડે દોડીને મા આવતાં...
           કષ્ટ કાપી મા મુખ મલકાવતાં...
મોગલ વારે એવી દોડે,સઘળા કામો મુકી કોરે.
મોગલ છોરુને મા હરખાવતાં.....ભગુડામાં....ભાળી...
2.કરે દિવો ..દીવેટ ગણી એકનો...
          રાખે લાજુ મોગલ તેની ટેકનો..
કોઈ ભૂલે મોગલ બોલે,સામે ઊદો..ઊદો જીલે...
આપે હિંમત હારેલાને જીતાડતાં...ભગુડામા ..ભાળી..
3.નવખંડે નવરાત મા ખેલતાં..,
          ત્રિતાલે ચરજ મા બોલતાં...
મોગલ ગરબી એવા ધુમે,જાણે નવખંડ ચડયું હિલ્લોળે..
દેવી-દેવો જોવાને દોડી આવતાં...ભગુડામાં...ભાળી...
4.માને રુડો લાગે છે.માથે ભેળીયો..,
           રત્ન હીરા માણેક હાર પેરીયો...
હાથે કંકણ પાયે ઝાંઝર,નાકે નથડી આભે ટીલડી..
કાને કુંડળ તરવાળે રૂડા શોભતાં....ભગુડામાં...ભાળી
5.મોગલ મંદિર મોજથી બિરાજતાં...
           બાળક દૂર-દૂરથી દોડી ત્યાં આવતાં .
ત્યાં ના મોગલ કાળો નાગ,મોગલ છોરુડાં નો બાપ.
ધાનડો રચના ગાઇ ને પાય લાગતો...ભગુડામાં..ભાળી
___________તાજી  રચના છે. ભૂલ ચુક માફ કરશો...

बनासकांठा स्नेह मिलन

जय सोनल करणी
सोनल युवक मंडल बनासकांठा का वार्षिक  स्नेहमिलन  समारोह  पालनपुर  में 24 दिसम्बर  2017 कोे आयोजित किया गया है तो सभी  स्वजातीय  बंधुओं को सूचित  किया  जाता  हे की हर साल की तरह इस साल भी जिन  स्वजातीय बंधू/भगिनी को जनवरी  2017 के बाद  सरकारी  नौकरी में लगें  हो वे एवं कोई विशेष  उपलब्धि  हासिल  की हो अथवा स्टैण्डर्ड (कक्षा) 7 से ग्रेजुशन  तक  70% या इनसे  ज्यादा  अंक   प्राप्त   किया हो वे अपने सर्टिफिकेट  की ज़ेरॉक्स  कॉपी  और पूरा बायोडेटा  निचे  दिए  गए  पते पर दिनाक 15-12-17 शाम तक बाय पोस्ट  भेजे  स्नेहमिलन समारोह के दिन  कोई डॉक्यूमेंट  स्वीकार  नहीं किया जायेगा और समारोह के दिन हाजर रहना  अनिवार्य  होगा।
अधिक  जानकारी  के लिए निचे दिए गए फ़ोन पर संपर्क  करे 🙏

Address(पता) :

जे .डी.गढ़वी
कर्णावती  शॉपिंग सेण्टर ,भरमाणी रेस्टोरंट  के ऊपर , अमदावाद  हाईवे  ,पालनपुर 385001 बनासकांठा गुजरात 
फोन:- 9426704475

(2) ऐम.डी.गढ़वी (advocate)
     9 , करणी कृपा  ,सोनल सोसाइटी  , सुखबाग  रोड  , पालनपुर 385001 बनासकांठा गुजरात
फोन: 9979744788

अन्य संपर्क
9408279366, 9426066415,
9723815467, 9825098755, 9414609192,
7737095071,
9426595351, 9413502047
9925030192, 9427700938

          *वंदे सोनल मातरम्*

आई श्री होल मां

બ્રહ્મ ચારણી આઈ હોલ માઁ..

વઢવાણ અને વાંકાનેરની ગાદી ઉપર જશદેવ ઉર્ફે ધાનાવાળા રાજ કરતા હતા. ધાનાવાળાએ મહાયજ્ઞ કરેલો. આ યજ્ઞમાં ઘી હોમવા માટે ઘી નું ગારીયું કરવામાં આવેલ. જે સ્થળે ગારીયું કરવામાં આવેલ, ત્યાં જે ગામ વસ્યું તે ગામ ગારીયા તરીકે ઓળખાયું.
આ ગારીયા ગામ મૈકા ગામ નજીક ધાનાવાળાનાં દશોંદી ચારણ એભલ ઉઢાસ નો નેશ હતો. એભલ ઉઢાસ ધાર્મિક અને અડાબીડ ચારણ હતા. તેને હિંગળાજ સ્વરૂપા આઈ હોલ નામે પુત્રી હતી. આઈ હોલ બાળપણથી જ આકરાં તપ બ્રહ્મચર્યાદિ વ્રત, નિષ્કામ ભક્તિ, પરોપકારી સાદુ જીવન અને જનહીતનાં કાર્યો દ્વારા સર્વત્ર ‘આઈ માઁ’ તરીકે પ્રસિધ્ધી પામ્યા હતા. સાધુ-સંતો-અતિથીઓને જમાડી ને પછી જ જમવાનું તેમને નીમ હતું. એભલ ઉઢાસને ગાયો-ભેંસોનું ખાડું તેમજ અશ્વ ઉછેર નો મુખ્ય વ્યવસાય હતો, એટલે એને આંગણે મેહમાનોનો દાયરો કાયમી રેહતો. આઈ હોલ ઉમરલાયક થતાં એભલ ચારણ જેવા મહાપરાક્રમી ચારણનાં સગા થવા માટે, આઈ હોલનાં સંબંધ માટે માંગા આવવા લાગ્યા. આ સમાચાર જાણી, આઈ હોલે તેમનાં પિતાશ્રીને વિનયથી કહ્યું કે, “બાપુ ! મેં આજીવન બ્રહ્મચારણી વ્રત લીધું છે. મારે માઁ આદ્યશક્તિની ભક્તિમાં જ મારું જીવન વ્યતિત કરવું છે. મારો જન્મ પણ માઁની ભક્તિ માટે જ થયો છે”. એભલે કહ્યું કે, “માઁ, તમારી બધી વાત સાચી છે, પરંતુ શાસ્ત્રોમાં તો ગૃહસ્થાધર્મ સર્વશ્રેષ્ઠ કહ્યો છે. સંસારમાં રહીને પણ ભક્તિ કરી શકાય. આપણા ચારણોમાં તો જે-જે શક્તિઓ-માતાજીઓ પ્રગટી છે તે બધી જ ગૃહસ્થાધર્મને દીપાવીને જગદંબા તરીકે પુજાણી છે.”. પિતાની વાત સાંભળી આઈ હોલે કહ્યું કે, “બાપુજી, મારી એક શરત છે કે મારો સબંધ જે કોઇ કરવા આવે ત્યારે ચુંદડી ઓઢાડવા આવે અને જો ચુંદડી મારા માથા પર બળે નહીં ને રહે તો હું તેની સાથે લગ્નગ્રંથી થી જોડાઈશ.”.
ચારણ તરફથી આઈ હોલનાં માંગા આવતા જાય છે અને ચુંદડી ઓઢાડતાં જ બળીને ભસ્મ થઈ જાય છે. અને માંગાવાળા નીરાશ વદને પાછાં ચાલ્યા જાય છે. એભલ ગઢવીનાં બનેવી ખોડ ગામનાં ચાંખડા મારૂ હતા. ચાંખડા મારૂને બાર ગામની જાગીર હતી. માલધારી ઊપરાંત ઉત્તમ પ્રકારનાં અશ્વોનો ઉછેર અને રાજદરબારોને અશ્વો વેંચાણ કરવાનો તેમનો મુખ્ય વ્યવસાય હતો. વિદ્વાન ચારણ હોવાને કારણે, તેમનું નામ અને માન દુર-દુર દેશાવર સુધી વિસ્તરેલ હતું. આ ચાંખડા મારૂને સોનંગ નામે એક પુત્ર હતો. આ સોનંગ, એભલ ગઢવી નો ભાણેજ થતો હતો. ચાંખડો મારૂ પોતાના પુત્ર સોનંગનાં સબંધનું એભલ ગઢવીને ત્યાં માંગું નાંખતા કહે છે કે,”હું તારા ભાણેજનો સંબંધ કરવા આવ્યો છું. આપણામાં તો આ રિવાજ છે.” ચાંખડા બનેવીની વાત સાંભળી અને એભલે પોતાની દિકરીનાં નિયમની વાત કરી. ચાંખડો મારૂ ચુંદડી મંગાવે છે અને પોતાનાં દિકરા સોનંગનાં નામની ચંદડી આઈ હોલનાં માથા પર ઓઢાળે છે. સતિત્વનાં પ્રતાપે આઈ હોલનાં માથાં પર ચુંદડી ઓઢાડતાં જ બળીને રાખ થઈ જાય છે.
હઠીલો ચારણ ચાંખડાને કોઈ નાં પાડે એ એનાંથી સહન થતું નહીં, એટલે એભલ ગઢવીને કહે છે કે, ”ચુંદડી બળી જાય કે સલામત રહે એ હું કાંઈ ન જાણું. મારે મારાં દિકરા સોનંગનો સંબંધ તમારે ત્યાં જ કરવો છે. હા કહો કે ના કહો એમાં મીનમેખ નથી.”. આમ, વાદ-વિવાદ સાંભળી આઈ હોલ ચાંખડાની સામે આવીને કહેવા લાગ્યા કે, “મામા, મારે બ્રહ્મચારણી વ્રત છે. હું આદ્યશક્તિ જગદંબાની કૃપાથી આ વ્રત પાળી રહી છું. તમે તમારાં પુત્ર સોનંગની વાત કરો છો, પરંતુ દૈવીશક્તિનાં બળે મને એની આવરદા પુર્ણ થઈ ગયેલી દેખાય છે, માટે આપનાં ગામમાં આપની સૌ રાહ જોવે છે”. આ વાત ચાંખડાએ સાંભળતાં જ પગથી પૃથ્વી સરતી લાગી અને ધ્રુજી ઉઠ્યો. મારતે ઘોડે ખોડ ગામે રવાના થયો. ગામને પાધર ગામનાં લોકો નનામી સાથે સ્મશાનયાત્રામાં હાલ્યા આવતાં જોય, ચાંખડો મારૂ ઘોડાં પરથી નિચે ઉતરી પુછે છે કે કોણ ગુજરી ગયું છે, ત્યારે ડાઘુઓએ કહ્યું કે તમારો દિકરો સોનંગ ઘોડાં ઉપરથી પડી જતાં મૃત્યુ પામ્યો છે. ચાંખડો મારૂ ભાંગી પડે છે. સોનંગનાં અગ્નિસંસ્કાર વિધિ પુર્ણ કરી સૌ ગામ માં આવે છે, ત્યાં સમાચાર મળે છે કે આઈ હોલ સતી થાય છે. ચાંખડો મારૂ સાક્ષાત જગદંબા આઈ હોલનાં છેલ્લાં દર્શન કરવા મારતે ઘોડે રવાનાં થાય છે. આઈ હોલે એભલ ગઢવીને કહ્યું કે, ”બાપુ, મારી હવે ચિત્તા ખડકાવો. હવે મારો સમય પુરો થઈ ગયો છે. મારે સતી થવું છે”. ચિતાની તૈયારી કરવામાં આવે છે. ખોડ ગામથી ચાંખડો માતાજીનાં દર્શન માટે આવી પહોંચે છે. આઈ હોલનાં દર્શન કરી ચાંખડો માફી માંગે છે અને કહેવા લાગે છે કે, “આઈ હોલમાં, તમો તો હિંગળાજનો અવતાર છો. મારાં ગુનાની ઉદાર હૃદયે માફી આપો. મારી ભુલ થઈ, મને માફ કરી દો”. આઈ હોલ કહે છે કે, “મામા, તમારો વાંક નથી, મારો સમય પુરો થયો છે. ભાગ્યનાં લેખ પ્રમાણે રહેવું જોઈએ. તમારી જે ઈચ્છા હોય તે માંગો. ચાંખડો મારૂ માઁ પાસે માંગે છે કે, “આઈ જગદંબા, તમારાં જેવી દિકરી અમારાં ઘરે અવતરે તો અમારૂં જીવન ધન્ય બની જાય.” માઁએ આશિર્વાદ આપ્યાં.
આઈ હોલ ચિતામાં ચડી અંગુઠાથી યોગાગ્નિ પ્રગ્ટાવી સતી થયાં.
આઈ હોલ માતાજીનું સ્થાનક વાંકાનેર નજીક ગારીયા(ગારીડા) અને મૈકા ગામ પાસે, હોલગઢ માં આવેલું છે. ચાંખડા મારૂને ત્યાં આઈ હોલ માતાજીનાં આશિર્વાદથી આઈ વરૂડી માઁનો જન્મ થયો હતો. ચારણોમાં ઉઢાસ શાખાનાં ચારણો કુળદેવી તરીકે અને વાળા દરબારો આઈ હોલને સતી માતાજી તરીકે પુજે છે.

– ગઢવી કલાભાઈ બાલુભાઈ ઉઢાસ (ઢાંકવાળા)

सोनल अवतार : रचना :- जोगीदान चडीया

             *||सोनल अवतार||* 
.         *रचना: जोगीदान चडीया*
.             *ढाळ: चारणी रास*

यादीयुं रे सोनल तारा अवतार नी,
धरम धजाळी विहरुं नई पळ वार रे...
जगदंब जोराळी...
यादीयुं सोनल तारा अवतार नी....टेक

आंहुंडा रे आवे संभारुं त्यां आंखमां...
ओळखी नई मां तुंने अमे तलभार रे..
ब्रह्म रुप बिरदाळी...
यादीयुं सोनल तारा अवतार नी....01

शिव सगती समरण तारे स्वासे स्वासमां
नेहडा खुंदीन नात जगाड्या ना नीम रे..
भुज लंब भालाळी..
यादीयुं सोनल तारा अवतार नी....02

साद तारो सांभळता लागे तुं शारदा..
आंख मां तारी होय चोवी अवतार रे..
पडछंद प्हाडाळी...
यादीयुं सोनल तारा अवतार नी....03

सारणो रे उजवे सोनलबीज सामटी..
गाई घणें पण जांणीं न जोगीदान रे..
जगदंब जोराळी
यादीयुं सोनल तारा अवतार नी....04

*रचना: जोगीदान चडीया, मो.नं.9898360102*
🙏🏻🔱🙏🏻🔱🙏🏻🔱🙏🏻🔱🙏🏻

आई वरुडी प्रागट्य कथा

આઈ શ્રીવરૂડી માંની પ્રાગટય કથા

કચ્છ- વાગડ માં પંખી ના માળા જેટલું ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતા એ જવાની નેમ હતી. એટલે તે સિંધમાં એટલે આજના પાકિસ્તાન મા તેમની કુળદેવી આઈ હિંગળાજ ના દશૅને ગયા હતા. તે વખતે એવુ કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતા એ જતા ત્રણ મહિના થતા.
સાંખડોજી હિંગળાજ માતા એ પહોચ્યાં, માતાજી ના દશૅન કર્યા, અને પુજારીને શ્રીફળ આપતા કહ્યું લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો, પણ આ શું જેવું પુજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળનાં બે કટકા થઇ ગયા,એટલે સાંખડાજીએ બિજુ આપ્યું તેના પણ બે કટકા થે ગયા. આમ કરતાં પુજારીના હાથમા સાત સાત શ્રીફળના બે કટકા થઇ ગયાં. સાંખડોજી સમજી ગયા કે નેહડે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે નહિતો આવુ થાય નહિ. માતાજીને મનોમન પ્રાથૅના કરવા લાગ્યા..કે હે..માવડી…માં જગદંબા…રખોપા રાખજે માં…
ચારણ ઊંઘમાંથી જાગી ગયાં,ને વિચારવા લાગ્યા કે ત્રણ મહિને ઘરે પહોચાય. સાત દિવસમાં કેવી રીતે પહોચાશે..આંખે આંસુંડાની ધાર વહેવા લાગી…માંને કગરવા લાગ્યા…આ તે કેવી કસોટી માં,મને માર્ગ બતાવ માડી.. આ સાંભળી પુજારી જાગી ગયાં.શું થયુ ચારણ ? સાંખડાજીએ બધી વાત કરી….પુજારીએ આસ્વાસન આપતા કહ્યુ..ચિંતા કરશો મા ચારણ..જગદંબા હિંગલાજ તમારી વહારે આવશે…તમ તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો…
માતાજીના નામનું રટણ કરતા કરતા સાંખડોજી હાલવા માંડ્યા..દિવસે ના કપાય એટલો માર્ગ રાતે ને રાતે ના કપાય એટલો માર્ગ દિવસે કપાવા લાગ્યો…માતાજીએ સહાય કરીને બરોબર સાતમા દહાડે(દિવસે) ગામને પાદર પહોંચી ગયા…નેહડે પહોચતા જ બધાને પુછયુ કે મારી દિકરીને તમે ક્યાં દાટી છે. જટ મને તે જગ્યા બતાવો..લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દિકરીને જનમતાજ ભોંયમા દાટી દીધી છે…
લોકોએ કહ્યુ કે દીકરીનું જનમતા જ વરવુ રુપ હતુ અને આગલા બે દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ સમજી સગાંએ ગામને પાદર વડ નીચે છ દિવસથી ભોયમાં દાટી છે..અને હવે તો તે જીવીત પણ નહીં હોય..સાંખડોજી દોડીને વડલા નીચે પહોચ્યાને ખોદવા લાગ્યા….
અને આ શું ? દીકરી જીવીત હતી. લોકો આ જોઈ વિચારમા પડી ગયા કે છ દિવસથી હવા,પાણી,ને માના ધાવણ વગર આ જીવીત છે…નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે.
બાપે આવીને જીવતાં ખોદી કાઢેલાં, કદરૂપાં ખરાં ને, એટલે નામ વરવડી (વરૂડી) પાડ્યું.
અને બધાએ ભેગા થઇ આઈ શ્રી વરૂડી માંની જય બોલાવી…
સમય જતા વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો.પાણી અને ઘાંસચારો સુકાવા માડ્યાં..ઢોરઢાંખર ઘાસચારા વગર મરવા લાગ્યા…સાંખડા ચારણે બધાને ભેગા કરી કહ્યુ કે આ કારમા દુકાળમાં આપણા ઢોરઢાંખર ને આપણે જીવવા હારુ હવે આ ધરતી ને છોડવી પડશે..સૌએ આઈ વરૂડીમાને પુછ્યુ.
એટલે માતાજી એ ધ્યાન ધરી સૌને કહ્યુ કે દખ્ખણ દિશાની ધરતી હરિયાળી છે. ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે અને આઈ વરૂડીમાની જય બોલાવી સૌવ ચાલી નીકળ્યાં..ને જે ધરતી પર આવ્યા તે ફુલઝર નદી ને કાંઠે આજનું ધુળશીયા ગામ છે.
આજે પણ માઁ વરૂડી ના પરચા અપરંપાર છે.
જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસીયા ગામ આવેલું છે. જ્યાં આઈ શ્રી વરૂડી માં નું દિવ્યમંદિર આવેલું છે. જે કાલાવડ થી 12 કિલોમીટર અને જામનગર થી 36 કિલોમીટર દૂર થાય
આગામે આઈ વરૂડી માઁ નુ મંદિર અને વડલો તથા નવઘણ સેનાના ઘોડાને માટે ધાન્ય નો ઢગલો એટલે કે ધુડીયા ઢગ, જે આ ઇતિહાસ ની સાક્ષી પુરે છે….અહીંયા માતાજી નું પાવનકારી સ્થાનક છે જ્યાં માં વરૂડી બેન જટૂકલી અને ચરૂડીની સાથે બિરાજમાન છે. આ મંદિર માં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે.
વરૂડી માનું હજી એક જાગતું સ્થાન રાપર તાલુકા કચ્છ વાગડ માં બેલા માં પણ છે.
વધુ ઇતિહાસ ના પાનાં ફેરવતા
હળવદ તાલુકાનુ કચ્છના નાના રણકાંઠે આવેલુ નાનુ એવું ખોડ ગામ ઇતિહાસના પાને બહુ મોટુ નામ ધરાવે છે..એક સમયનુ બંદર કે જયાં દરિયો ઘુઘવતો હતો અને વહાણો લાંગરતા હતા એવુ સમૃધ્ધ ખોડ ગામના જ એક ચારણનો ઘોડો મહારાણા પ્રતાપને અર્પણ કરવામા આવ્યો હતો જે તેમનો માનીતો બની સાથે રહ્યો હતો તે ચેતક ઘોડો..
અને બીજી વાત કે પોતાની માનેલી બહેન જાહલને સીંધનો હમીર સુમરો જ્યારે ઉઠાવી ગયો ત્યારે બહેનના શીરળની રક્ષા કાજે ભાઈ જુનાગઢનો રાજધણી રા’નવઘણ સીંધમા જવા નિકળ્યો ત્યારે ખોડ ગામની સીમમા આઇ માતા વરુડી ( વરુવડી -એટલે કે દેખાવે જે રુડી નથી ) નવઘણની નવલખી સેનાને રોકી એક નાની કુલડીમા રાંધી કટક જમાડેલ અને ત્યાંથી દરીયા વાટે જવાનો રસ્તો કરી આપ્યો હતો..નવઘણના ભાલે માતા વરુડી દેવચકલી સ્વરુપે બેસી દરીયામા રસ્તો કરી આપ્યો હતો અને ત્યાં પહોંચી રા’ ઍ હમીર સુમરાને મારી પોતાની માનેલી બહેન જાહલની લાજ રાખી હતી…
આજે ખોડ ગામમા દરિયો તો નથી પણ માતા વરુડીનુ મંદિર તથા ગામનો સોનેરી ઇતિહાસ અડીખમ છે.

आई वरुडु प्रागट्य कथा

આઈ શ્રીવરૂડી માંની પ્રાગટય કથા

કચ્છ- વાગડ માં પંખી ના માળા જેટલું ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતા એ જવાની નેમ હતી. એટલે તે સિંધમાં એટલે આજના પાકિસ્તાન મા તેમની કુળદેવી આઈ હિંગળાજ ના દશૅને ગયા હતા. તે વખતે એવુ કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતા એ જતા ત્રણ મહિના થતા.
સાંખડોજી હિંગળાજ માતા એ પહોચ્યાં, માતાજી ના દશૅન કર્યા, અને પુજારીને શ્રીફળ આપતા કહ્યું લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો, પણ આ શું જેવું પુજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળનાં બે કટકા થઇ ગયા,એટલે સાંખડાજીએ બિજુ આપ્યું તેના પણ બે કટકા થે ગયા. આમ કરતાં પુજારીના હાથમા સાત સાત શ્રીફળના બે કટકા થઇ ગયાં. સાંખડોજી સમજી ગયા કે નેહડે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે નહિતો આવુ થાય નહિ. માતાજીને મનોમન પ્રાથૅના કરવા લાગ્યા..કે હે..માવડી…માં જગદંબા…રખોપા રાખજે માં…
ચારણ ઊંઘમાંથી જાગી ગયાં,ને વિચારવા લાગ્યા કે ત્રણ મહિને ઘરે પહોચાય. સાત દિવસમાં કેવી રીતે પહોચાશે..આંખે આંસુંડાની ધાર વહેવા લાગી…માંને કગરવા લાગ્યા…આ તે કેવી કસોટી માં,મને માર્ગ બતાવ માડી.. આ સાંભળી પુજારી જાગી ગયાં.શું થયુ ચારણ ? સાંખડાજીએ બધી વાત કરી….પુજારીએ આસ્વાસન આપતા કહ્યુ..ચિંતા કરશો મા ચારણ..જગદંબા હિંગલાજ તમારી વહારે આવશે…તમ તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો…
માતાજીના નામનું રટણ કરતા કરતા સાંખડોજી હાલવા માંડ્યા..દિવસે ના કપાય એટલો માર્ગ રાતે ને રાતે ના કપાય એટલો માર્ગ દિવસે કપાવા લાગ્યો…માતાજીએ સહાય કરીને બરોબર સાતમા દહાડે(દિવસે) ગામને પાદર પહોંચી ગયા…નેહડે પહોચતા જ બધાને પુછયુ કે મારી દિકરીને તમે ક્યાં દાટી છે. જટ મને તે જગ્યા બતાવો..લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દિકરીને જનમતાજ ભોંયમા દાટી દીધી છે…
લોકોએ કહ્યુ કે દીકરીનું જનમતા જ વરવુ રુપ હતુ અને આગલા બે દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ સમજી સગાંએ ગામને પાદર વડ નીચે છ દિવસથી ભોયમાં દાટી છે..અને હવે તો તે જીવીત પણ નહીં હોય..સાંખડોજી દોડીને વડલા નીચે પહોચ્યાને ખોદવા લાગ્યા….
અને આ શું ? દીકરી જીવીત હતી. લોકો આ જોઈ વિચારમા પડી ગયા કે છ દિવસથી હવા,પાણી,ને માના ધાવણ વગર આ જીવીત છે…નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે.
બાપે આવીને જીવતાં ખોદી કાઢેલાં, કદરૂપાં ખરાં ને, એટલે નામ વરવડી (વરૂડી) પાડ્યું.
અને બધાએ ભેગા થઇ આઈ શ્રી વરૂડી માંની જય બોલાવી…
સમય જતા વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો.પાણી અને ઘાંસચારો સુકાવા માડ્યાં..ઢોરઢાંખર ઘાસચારા વગર મરવા લાગ્યા…સાંખડા ચારણે બધાને ભેગા કરી કહ્યુ કે આ કારમા દુકાળમાં આપણા ઢોરઢાંખર ને આપણે જીવવા હારુ હવે આ ધરતી ને છોડવી પડશે..સૌએ આઈ વરૂડીમાને પુછ્યુ.
એટલે માતાજી એ ધ્યાન ધરી સૌને કહ્યુ કે દખ્ખણ દિશાની ધરતી હરિયાળી છે. ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે અને આઈ વરૂડીમાની જય બોલાવી સૌવ ચાલી નીકળ્યાં..ને જે ધરતી પર આવ્યા તે ફુલઝર નદી ને કાંઠે આજનું ધુળશીયા ગામ છે.
આજે પણ માઁ વરૂડી ના પરચા અપરંપાર છે.
જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસીયા ગામ આવેલું છે. જ્યાં આઈ શ્રી વરૂડી માં નું દિવ્યમંદિર આવેલું છે. જે કાલાવડ થી 12 કિલોમીટર અને જામનગર થી 36 કિલોમીટર દૂર થાય
આગામે આઈ વરૂડી માઁ નુ મંદિર અને વડલો તથા નવઘણ સેનાના ઘોડાને માટે ધાન્ય નો ઢગલો એટલે કે ધુડીયા ઢગ, જે આ ઇતિહાસ ની સાક્ષી પુરે છે….અહીંયા માતાજી નું પાવનકારી સ્થાનક છે જ્યાં માં વરૂડી બેન જટૂકલી અને ચરૂડીની સાથે બિરાજમાન છે. આ મંદિર માં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે.
વરૂડી માનું હજી એક જાગતું સ્થાન રાપર તાલુકા કચ્છ વાગડ માં બેલા માં પણ છે.
વધુ ઇતિહાસ ના પાનાં ફેરવતા
હળવદ તાલુકાનુ કચ્છના નાના રણકાંઠે આવેલુ નાનુ એવું ખોડ ગામ ઇતિહાસના પાને બહુ મોટુ નામ ધરાવે છે..એક સમયનુ બંદર કે જયાં દરિયો ઘુઘવતો હતો અને વહાણો લાંગરતા હતા એવુ સમૃધ્ધ ખોડ ગામના જ એક ચારણનો ઘોડો મહારાણા પ્રતાપને અર્પણ કરવામા આવ્યો હતો જે તેમનો માનીતો બની સાથે રહ્યો હતો તે ચેતક ઘોડો..
અને બીજી વાત કે પોતાની માનેલી બહેન જાહલને સીંધનો હમીર સુમરો જ્યારે ઉઠાવી ગયો ત્યારે બહેનના શીરળની રક્ષા કાજે ભાઈ જુનાગઢનો રાજધણી રા’નવઘણ સીંધમા જવા નિકળ્યો ત્યારે ખોડ ગામની સીમમા આઇ માતા વરુડી ( વરુવડી -એટલે કે દેખાવે જે રુડી નથી ) નવઘણની નવલખી સેનાને રોકી એક નાની કુલડીમા રાંધી કટક જમાડેલ અને ત્યાંથી દરીયા વાટે જવાનો રસ્તો કરી આપ્યો હતો..નવઘણના ભાલે માતા વરુડી દેવચકલી સ્વરુપે બેસી દરીયામા રસ્તો કરી આપ્યો હતો અને ત્યાં પહોંચી રા’ ઍ હમીર સુમરાને મારી પોતાની માનેલી બહેન જાહલની લાજ રાખી હતી…
આજે ખોડ ગામમા દરિયો તો નથી પણ માતા વરુડીનુ મંદિર તથા ગામનો સોનેરી ઇતિહાસ અડીખમ છે.

हेजी एेवी सोनल उपासो : रचना :- भावनगर राजकवि श्री बळदेवभाई हरदानभाई नरेला

आई श्री सोनल मा ना जन्म दिवस पोष सूद बीज ना आप सर्व ने आई श्री पुरामा स्मृति प्रकाशन तेमज कवि प्रवीण मधुडा परिवार वती सौ ने खूब खूब सुभेच्छा

हेजी ऐवी सोनल उपासो देवी चारणी,
(ढाळ:जागो ने जागो ने जदुराय जी )
           ।। प्रभाति ।।

हेजी ऐवी सोनल उपासो देवी चारणी, भव दुःख हरणी भवानी,(२)
अन हद तप बळ ओपतु, निरमळ मुख निरमानी .
                                         हेजी ऐवी सोनल उपासो,....१

हेजी ऐवा अगणित भकत ने उधारिया, जगते वातु ई जाणी,(२)
कठिन समय आ कलिकाल मा,सक्ति रुपे के`वाणी,
                                           हेजी ऐवी सोनल उपासो.....२

हेजी ऐवी कलपतरुनी माँ तू छाँयडी,वरहे अमरत वाणी(२)
पय घृत मिठा मा तू पिरहे ने,आठे पो`र उजाणी,
                                     हेजी ऐवी सोनल उपासो.....३

हेजी ऐवा जोग रे मथ्याता कई जोने जाणवा,जगते वातु ई जाणी(२)
लोक रे उधारण धारी लोबड़ी, समरधि चरणे समाणी,
                                          हेजी ऐवी सोनल उपासो.....४

हेजी ऐवी भजिये जगदम्बा तूने अमे भावथी,करजो साची रे कमाणी(२)
त्रुषणा थकी " बलदेव "तारशे, जननी सेवक जाणी,
                                  हेजी ऐवी सोनल उपासो.....५

रचयिता: चारण कवि श्री बलदेवभाई हरदानभाई नरेला
-राज्य कवि भावनगर

।। बलदेव काव्य ।।

सम्पादक:हर्षददान बलदेवभाई नरेला (कवि पुत्र )
चारण कवि प्रवीणभा हरूभा मधुडा

नोंध,अमे बलदेवभाई नरेला रचित काव्य ने "बलदेव काव्य"ना नामथी
पुस्तक सम्पादन करि रह्या छिये कोई पासे बलदेवभाई नरेला ना
काव्यो होय तो अमारा वॉट्सऐप 95109 95109पर मोकली आपवा
विनन्ति मोकलनार ना नाम जोग प्रकाशित करिशु
भावनगर थी डमरु नामथी एक नानंकडी पुस्तिका प्रकाशित
थाती तेमा पण छपाता तेमना काव्यो

टाइप संकलन

चारण प्रवीण भा मधुडा
95109 95109
97239 38056

प्रभाति : रचना :- कवि श्री बळदेवभाई नरेला (भावनगर राज कवि)

હેજી તમે સોનલ ઉપાસો દેવી ચારણી,
(ઢાળ:જાગો ને જાગો ને જદુરાય જી)

        ||   પ્રભાતિ ||

હેજી તમે સોનલ ઉપાસો દેવી ચારણી,ભવ દુઃખ હરણી ભવાની(૨)
અનહદ તપ બળ ઓપતુ ને,નિરમળ મુખ નિરમાની,
               હેજી તમે સોનલ ઉપાસો દેવી....૧

હેજી એવા અગણિત ભક્ત ને ઉધારીયા,જગતે વાતું ઇ જાણી(૨)
કઠીન સમય કલિકાળ માઁ, સકતી રૂપે કે`વાણી,
                     હેજી તમે સોનલ ઉપાસો દેવી....૨

હેજી એવી કલપતરૂ ની મા તું છાંયડી, વરહે અમરત વાણી,(૨)
પય ર્ઘત મીઠા માં તું પિરહે ને,આઠે  પો`ર ઉજાણી,
                       હેજી તમે સોનલ ઉપાસો દેવી....૩

હેજી એવા જોગ રે મથ્યાતા કઈ જોને જાણવા, જગતે વાતું ઇ જાણી(૨)
લોક રે ઉધારણ ધારી લોબડી, સમરધી ચરણે સમાણી,
                 હેજી તમે સોનલ ઉપાસો દેવી.....૪

હેજી એવી ભજીએ જગદમ્બા તુને અમે ભાવથી,કરજો સાચી રે કમાણી(૨)
તૃષ્ણા થકી રે "બલદેવ"તારશે, જનની સેવક જાણી,
                    હેજી તમે સોનલ ઉપાસો દેવી....૫

રચિયતા :ચારણ કવિ શ્રી બલદેવભાઈ હરદાનભાઈ નરેલા -રાજ્ય કવિ ભાવનગર

" બલદેવ કાવ્ય"
સંપાદક શ્રી હર્ષદદાન બલદેવભાઈ નરેલા
ચારણ કવિ પ્રવીણભા હરુભા મધુડા

નોંધઃ અમે બલદેવભાઈ નરેલા રચિત કાવ્યો નો અમે "બલદેવ કાવ્ય " ના નામથી સંપાદન કરી રહ્યા છીયે કોઈ પાસે બલદેવભાઈ નરેલા ના કાવ્યો હોય તો અમને( વોટ્સએપ પર ૯૫૧૦૯ ૯૫૧૦૯) મોકલવા વીન્નતી

ટાઈપ સઁકલન

ચારણ પ્રવીણભા મધુડા
૨૦૫ વી વી કોમ્પલેક્ષ
બીજા માળે ભુતખાના ચોક રાજકોટ ૩૬૦૦૦૨
મોબાઈલ ૯૭૨૩૯ ૩૮૦૫૬
મોબાઈલ વોટ્સએપ ૯૫૧૦૯ ૯૫૧૦૯