ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 6 નવેમ્બર, 2018

ચારણ - ગઢવી સમાજ સ્નેહમિલન


આવનારા દિવસોમાં ચારણ ગઢવી સમાજના કેટલાક સ્નેહ મિલન યોજાનાર છે તે વિશે થોડી માહિતી આપ સૌ સમક્ષ મુકવાનો પ્રયાસ કરેલ છે.*


*(1) રાજકોટ :-*


આઈશ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું છે.


સ્નેહ મિલન સમારોહમાં આશીર્વાદ આપવા માટે રાજસ્થાનથી પૂ.કંકુ કેશરમાં તેમજ કાળીપાટથી ચારણ સંતશ્રી પાલુભગત પધારશે .


ચારણ - ગઢવી સમાજના સ્નેહમિલન સમારોહમાં સમાજના ગૌરવ વધારનાર અને યુવાનોને વિશેષ પ્રેરણા પુરી પાડનાર રાજકોટના પ્રાંગરતી પ્રતિભાવો કે જેમણે વર્ગ - 1 અને વર્ગ - 2 માં 2018 માં ડાયરેક્ટ સિલેક્ટ થયા છે તેવા લોકોનું ટ્રસ્ટ દ્વારા ખાસ સન્માન કરવામાં આવશે.


આ પ્રસંગે સર્વે ઞ્નાતિજનોને પધારવા આઈશ્રી સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રમેશભાઈ જાળંગ , અને મેનેજીંગ ટ્રસ્ટ રામભાઈ જામંગ દ્વારા ખાસ અનુરોધ કર્યો છે.


સમય :- સવારે 9:30 કલાકેથી 

તારીખ :- 11/09/2018 રવિવાર

સ્થળ :- ચારણ - ગઢવી સમાજ વાડી, રાજકોટ.


*(2) ગાંધીધામ :-*


શ્રી ગઢવી (ચારણ) યુવક મંડળ દ્વારા આઈશ્રી સોનલધામ મધ્યે નવા વર્ષના સ્નેહમિલનનું આયોજન  કરવામાં આવેલ છે જેમા સર્વે ઞ્નાતિજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.


આશીર્વાદ આપવા પધારતા માતાજીઓ અને સંતો :-


આઈશ્રી જાલુમાં :- ખોડાસર

શ્રી સામતભા મોગલ છોરુ :- મોગલધામ , કબરાઉ

શ્રી યોગી દેવનાથબાપુ :- એકલધામ, ભરુડીયા.


સ્થળ :-  આઈશ્રી સોનલ ધામ ડી.સી, રામબાગ રોડ ગાંધીધામ કચ્છ 

સમય :- સાંજના 05:00 કલાકેથી.

સંપર્ક :- 9687700708, 9409041125


*(3) જામ ખંભાળીયા:-*


સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજીત ખંભાળીયા ખાતે સ્નેહમિલનનું આયોજન રાખેલ હોય તો તે પ્રસંગે સમગ્ર સમાજને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.


તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ પણ રાખેલ છે.


તારીખ :- 11/11/2018 રવિવાર , 

સમય :- બપોરના 03:00 થી 06:00 


નામ નોંધણીની છેલ્લી તારીખ :- 10/11/2018


સંપર્ક :- 

9924682872,9725833404

9925223306,9624466244

9426143385,9909276707

9714172642,9327526324


*(4) જામનગર*


ચારણ - ગઢવી સમાજ જામનગર દ્વારા આયોજીત જામનગર ખાતે સ્નેહમિલનું આયોજન રાખેલ છે તે પ્રસંગે હાજર રહેવા સૌને આમંત્રણ પાઠવવામાં આવે છે.


તારીખ :- 08/11/2018 ગુરુવાર (નુતન વર્ષ)

સમય :- સવારે 10:00 થી 12:00 સુધી.

સ્થળ :- 49, દિ. પ્લોટ , આઈશ્રી સોનલધામ , જામનગર 


*નોંધ આ આ સીવાય પણ આપણા સમાજના સ્નેહમિલન યોજાનાર હોયતો તેમનિ માહિતી આ નંબર 9687573577 પર મોકલવા વિનંતી*



Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...