ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 17 નવેમ્બર, 2021

આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૪૮ મો નિર્વાણ દિવસ છે

*આજે કારતક સુદ ૧૩ એટલે પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે ૪૮ મો નિર્વાણ દિવસ છે.*

આઈમાં જે કાર્ય માટે આવ્યા તા તે કાર્ય પુરુ થયુ હોવાથી વિ.સ.૨૦૩૧ કારતક સુદ ૧૩ ને તારીખ 27-11-74 ને બુધવારના વહેલી સવારે પ્રભાત 5:15 વાગ્યે આ પંચ મહાભુતના દેહનો ત્યાગ કરી પરમત્તવમાં લીન થયા હતા.
પૂ. આઈમાંના પાર્થિવ દેહનો  તેમના નિવાસસ્થાને કણેરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો.
ત્યારે હજારો નહિ બલ્કે  લાખો ભક્તોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.

*આઈશ્રી સોનલમાં નો સંક્ષિપ્ત પરિચય*

નામ :- સોનબાઈ હમીર મોડ
પિતાનું નામ :- હમીર માણસુર મોડ
માતાનુ઼ નામ :- રાણબાઈ માણસુર 
રાણબાઈમાં નુ મુલ નામ :- વાલબાઈ માં
કુળ :- ચારણ કુળ
ગોત્ર :- તુંબેલ ગોત્ર.
કુળ રુઋુષિ :- શિવ.
કુળદેવી :- રવેચી.
મુળ શાખા :- મવર (ગુંગડા) 
પેટા શાખા :- મોડ.
જન્મદિન :- વિ.સં. ૧૯૮૦ , પોષ સુદ -૨
તારીખ :- 8-1-1924, મંગળવાર. 
સમય :- સાંજે 8:30  કલાકે.
જન્મસ્થળ :- મઢડા, તા : કેશોદ , જી: જુનાગઢ
સ્વધામગમન :- વિ.સં. ૨૦૩૧ કારતક સુદ 13 તારીખ 27-11-1974
સમાધી સ્થળ :- કણેરી ,તા : કેશોદ

*સંદર્ભ :- આઈશ્રી સોનલ કથામૃત, લેખક : આશાનંદભાઈ ગઢવી , ઝરપરા , કચ્છ*

આઈશ્રી સોનલ માં ના નિર્વાણ દિવસે કોટિ કોટિ નમન 🙏🏻

     
               *વંદે સોનલ માતરમ

આઈ સોનલ ઈશ્વરી પુસ્તક ડાઊનલોડ કરવા માટે અહીંયા . ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો