ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 22 સપ્ટેમ્બર, 2021

વીર શહીદ માણશી ગઢવી પુણ્યતિથિ




કચ્છની કેસરી વીરભૂમિના કંઠી વિસ્તારના મુંદરા તાલુકાના ઝરપરા ગામનો શણગાર , ચારણ કુળ ગૌરવ , તુંબેલ કુળતિલક , સેડાયત વંશ શૌર્ય મુકુટમણિ , વીર માણશી રાષ્ટ્ર રક્ષા કાજે કાશ્મીરની ધરતી પર કચ્છનો કુંવર વીરગતિને વર્યો . કચ્છના શૂરવીર ચારણો ઝારાના યુધ્ધમાં , ભુચર મોરીના યુધ્ધમાં અને અબડાસાના વીર અબડા સાથે રહી વિદેશી આક્રમણો સામે વીરતાથી ઝઝુમ્યા હતા . જયારે જયારે દેશ પર દુશ્મનોએ મીટ માંડી છે . ત્યારે ત્યારે ચારણ યોધ્ધાઓ ક્ષત્રિયો સાથે રહી યુધ્ધના મેદાનમાં વીરરસના અમૃતપાન પાયા છે અને સાથે રહી માં ભાગ લઈ બલિદાનો આપ્યા છે . આજે ચારણોના ગામડે ગામડે હુતાત્માઓના ળીયા પૂજાય છે . કાશ્મીર સરહદે પંચ મધ્યે શહિદી વહોર વીર માણશીનો જન્મ તા.૧૪-૦૨ ૧૯૭૯ ના રાજદે સુમાર સેડાના ઘેર માતાજી સુમાંબાઈની કુખે થયો હતો , તેઓ પિતૃપક્ષે ઝરપરા ગામના સ્થાપક સેડાયતના વંશજ સેડા શાખાના હતા . જયારે માતૃપક્ષે કચ્છ ધરાના ધર્મરક્ષક શ્રી રાવળપ દાદાના નાગવંશી ગેલવા શાખાનું મોસાળ ધરાવતા હતા . તેમની જન્મભૂમિ ઝરપરા તા.મુંદરા - કચ્છ પરંતુ તેમના પિતા રાજદેભાઈ સમાઘોઘા બાજુ વાડી ખરીદી થયા હતા . તેથી તેમનું પ્રાથમિક શિક્ષણ સમાઘોઘા પ્રાથમિક શાળામાં થયું ત્યારબાદ મુંદરા મધ્યે ધોરણ -૧૧ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ભારતીય સેનામાં જોડાયા હતા . દેખાવે સુંદર , તેજસ્વી ચહેરો ધરાવનાર ચારણ યુવાન સ્વભાવે સરળ , નિખાલસ અને પ્રેમાળ હતા . ભારોભાર સ્વદેશાભિમાન ધરાવતા હતા . માતૃભૂમિ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના હતી . તેથી તેઓ સેનામાં જોડાયા


૧૨ મ્હાર યુનિટના લાયન્સ નાયક હતા . તેઓ જમ્મુ - કાશ્મીરની પંચ સરહદે તા.૨૨-૦૯-૨૦૦૪ના આતંકવાદીઓ સાથે લડતા વીરગતિ પ્રાપ્ત કરી . તા.૨૫-૦૯ ૨૦૦૪ ના ઝરપરાની પાવનભૂમિ મધ્યે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો . સમસ્ત ઝરપરા ગામ સાથે રહી પુરા માન સન્માન સાથે અંજલિ અપાઈ , એક ચારણવીર માતૃભૂમિ કાજે મોક્ષગતિ પ્રાપ્ત કરી . આજે ઝરપરા ગામના પાદરમાં વીર શહિદ માણશીની પ્રતિમા પ્રેરણા આપતી અડીખમ રીતે ઉભી છે . બીજા કચ્છમાં અનેક સ્થળોએ એમની સ્મૃતિમાં સ્મારકોની રચના કરવામાં આવી છે . વંદન પાવા ભારતમાંના વીરપુત્રને .

 લેખકશ્રી : - આશાનંદભાઈ સુરાભાઈ ઝરપરા તા.મુંદરા - કચ્છ
 ૯૮૨૪૦૭૫૯૯૫
 સંદર્ભ : - કચ્છના ચારણ રત્નો તકમાંથી લેખકશ્રી આશાનંદભાઈ સુરાભાઈ ઝરપરા તા.મુંદરા - કચ્છ 

2 ટિપ્પણીઓ: