ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 5 મે, 2021

માં અમૃતમ અને આયુષ્માન કાર્ડ કઢાવવા બાબત


માં અમૃતમ અને આયુષ્માન કાર્ડ કઢાવવા બાબત 

માઁ અમૃતમ અને આયુષ્યમાન કાર્ડ હજુ ગુજરાતમાં ચારણોના ઘરે ઘરે નથી.
.બિમાર થાય અથવા અકસ્માત થાય ત્યારે સહાયતા માટે સોસિયલ મિડીયાનો ઉપયોગ કરતા હોય છે..
એટલે ગુજરાતમાં એક અભિયાન ચલાવી ઘરે ઘરે દરેકને માઁ અમૃતમ કાર્ડ જરૂરીયાત વાળા પરિવારને થઈ જાય એવું પોત પોતાના વિસ્તારમાં તાલુકામાં ચલાવો..મિત્રો..ખુબ મોટુ અને સારૂ આ કામ કરવા જેવું છે..ઘણા પેસંટ એવા આવે છે સરકારી યોજનાઓના કાર્ડ હોતા નથી અને પછી ખર્ચમાં પહોંચી વળતા નથી..અને તાત્કાલિક કાર્ડ બનતાં વાર લાગે છે..તો સોસિયલ મિડીયાનો સપોર્ટ લઈ આખા ગુજરાતમાં યુવાનો અને ભલેણા થોડુક ફોર્મ વગેરે ભરતા ફાવતુ હોય એ તમામ થોડી મહેનત કરે તો સમાજમાં મેડિકલી નાની મોટી તકલીફોમાં આપણે આર્થિક તકલીફ ના પડે..તો આપ સૌ દરેક જીલ્લાના મિત્રો ગૃપમાં છો..પોત પોતાના વિસ્તારમાં ઓળખીતા યુવાનો ને જાગૃત કરી આ કાર્ય કરવા જેવું છે.ઘણા પરિવારો બિચારા અભણ હશે એમને આ ના ફાવે સ્વાભાવિક છે આપણે સોસિયલ મિડીયા દ્વારા આ કાર્ય કરવા જેવું છે..દર વર્ષે પાંચ લાખની દવા મફત થાય..અને હા સૌ યુવાનો અને આપણે સૌ ઘરે છીએ..એમના સમયનો સદઉપયોગ થાય એમ છે..

પોસ્ટ :- દિલીપભાઈ સિલ્ગા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો