ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

ચારણ સમાજનું ગૌરવ નિવૃત જજ વી.વી. ગઢવી સાહેબ


સૌરાષ્ટ્ર - કચ્છના એક હજારથી વધુ કેસની થશે નિયમીત સુનાવણી 

સૌરાષ્ટ્ર - કચ્છના જમીન વળતરના કેસ નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં ખાસ પ્રમુખ અધિકારીની કરવામાં આવેલી નિમણુંકનો ચાર્જ આજે નિવૃત જજ વી.ડી.ચારણે સંભાળી લીધો છે અને આવતીકાલથી જ જમીન સંપાદનના વળતરના એવોર્ડ સામે થયેલ કેસોની અપીલની સુનાવણી શરૂ કરવામાં આવશે . રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં જમીન સંપાદનના વળતર મામલે અલગથી ટ્રીબ્યુનલ શરૂ કરવાની જાહેરાત બાદ પ્રમુખ અધિકારી તરીકે સરકારે નિવૃત પ્રિન્સીપલ જજ વી.ડી.ચારણની નિમણુંક કરવામાં આવી છે . તેઓ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે હાજર થઈ ચાર્જ સંભાળી લીધો છે . હાલ તુરંત , પ્રમુખ અધિકારી મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાં બિરાજમાન થશે . આવતીકાલથી જીલ્લા કલેકટર દ્વારા પ્રથમ માળે ચલાવવામાં આવતાં અપીલ કેસના બોર્ડના રૂમમાં જમીન સંપાદનના કેસોની સુનાવણી શરૂ કરશે . બુધવાર સિવાય પ્રમુખ અધિકારી દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છનાં 12 જીલ્લાના 1000 થી વધુ કેસનો નિકાલ કરવા સુનાવણી હાથ ધરવામાં આવશે . જમીન સંપાદનના વળતર સામે થયેલા કેસના નિકાલ માટે પ્રમુખ અધિકારી સહિત અલગથી મહેકમ રાજ્ય સરકારે મંજૂર કર્યું છે . તેમાં મામલતદાર , બે નાયબ મામલતદાર , એક કારકૂન અને એક ડ્રાઈવર સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...