ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 23 ઑગસ્ટ, 2020

'ઘર નો મોભ'

'ઘર નો મોભ'
જય માતાજી મિત્રો, આજ જે લેખ લખવા જય રહી છુ એ ખરેખર હદય ને સ્પર્શી જાય એવો છે. કારણ કે આપ સૌ કોય જાણો છો કે હુ હંમેશા સત્ય ઘટના અથવા મે પોતે અનુભવેલ જ લખુ છુ. આજ તારીખ ૧૩/૭/૨૦૨૦ સમય રાતના ૯ વાગ્યા છે. વરસાદ ધોધમાર ચાલુ છે. મિત્રો આ વરસ ૨૦૨૦ આપણા સૌ માટે રોજ કાયક ને કાયક મુસીબતો લયને આવેછે. કયારેક કોરોના જેવા વાયરસ ની બિક, તો કયારેક ધરતીકંપ ના આચકા, તો વળી કયારેક મોટા પથ્થરો ભટકાસે ને આમ ને તેમ ને. ટુકમા એક પછી એક મુસિબતો ચાલુજ છે. કોરોના ની મહામારી મા લોકડાઉન થયુ. કોય ધંધા વગર ના થયા તો કોય બિચારા રસ્તા પર આવી ગયા, અમુક લોકો એ બીજા ને સહકાર આપવા તન, મન અને ધન થી સેવા કરી તો અમુક લોકો એ કાળાબજાર કરી ને મહામારી મા પણ સાબિત કર્યુ કે હજીય કેવી હલકી કક્ષા ના લોકો છે આ દેશ પર. હવે મુદા પર આવુ તો મિત્રો શરુઆત મા જયારે લોકડાઉન થયુ તો આપણે સૌ કોરોના વાયરસ થી ખુબ બિતા, જરુર સિવાય ઘર બહાર નિકળવુ નય. છતાય અમુક ધંધાઓ ચાલુજ હતા. જેમ કે કરિયાણા ની દુકાનો, સરકારી કર્મચારીઓ ની નોકરીઓ, ભાર વાહનો, ખેડુતો ની ખેતી, માલધારીઓ બધે દુધ પોચાડતા અને બીજુ ઘણુ બધુ. લખવા બેસુ તો ખુટેજ નય.  એમા તમે નોંધ કરી?  સૌથી વધારે પોતાનો જીવ જોખમ મા કોણે નાખ્યો?  ઘર ના મોભ એવા પુરુષ એ. પછી એ કોયનો ભાઇ હોય તો પણ ભલે, કોયના પિતા હોય તો પણ ભલે અને પતિ હોય તો પણ ભલે.  દરેક સમાજ ના પુરુષો પોત પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવવા ને પોતાનો પરિવાર કોય મહામારી નો શિકાર ના થાય માટે રોજ પોતાનો જીવ જોખમમા નાખતો એવા મારી નજરે જોયેલા કિસ્સા છે અને ઘટનાઓ પણ. એમાથી ૨ ઘટનાઓ મે પોતે જોયેલ જે તમારી પાસે મુકુ છુ. અમારા એક સંબંધી જાતે ગઢવી ગામથી ૨, ૩ કિમી દુર વાડીયે રેય વાડી પણ સાવ જંગલ વિસ્તાર મા. લોકડાઉન થયુ એટલે બધુ બંદ અને ટાણે એમની ગાડી ખોટવાય ગય એટલે જ્યા સુધી લોકડાઉન ના ખુલે ત્યા સુધી ગાડી રિપેર ના થાય.  એટલે તે ૨, ૩ કિલોમિટર થી ચાલી ને અનાજ કરિયાણુ લેવા ગામ મા આવે હવે વાડીયે રેય એટલે જીણા મોટા ગામ ના બધા કામ પતાવે તો ઘણો સમય વિતી જાય સવાર ના ઘરેથી નિકળા હોય એટલે ભુખ્યા તરસ્યા હોય છતાય ઘરના બીજા ૫ લોકો સામાન ની વાટે હોય ને મહામારી મા રોજ ગામ મા આવવુ પણ યોગ્ય નય એટલે પછી છેવટે અમારા ઘરે પાણી પિવા આવે. અમારા સાવ અંગત સંબંધી એટલે બા ધરાર ચા પિવરાવે. એક દિવસ કેય શુ કરવુ ફયબા મુસિબત છે ટાણે ગાડી બંદ છે. આઇ મા ને આપા ની હવે ઉમર થય અને એને કયા આવી બિમારી મા બાર કાઢવા?  એટલે હુ ૨, ૪ દિવસે ગામ મા આવુ ને જરુરિયાત ની બધી ચીજ વસ્તુઓ લય જાવ છુ. આપડા માવતર નો જીવ થોડો જોખમ મા નખાય?  ત્યારે મને એમ થ્યુ કે ખરેખર તમારી જનેતા ને ધન્ય છે કે એક જુવાન દિકરો પોતાના માવતર ને કાય ના થાય માટે પોતે મહામારી હોવા છતા ઘરે સરસામાન પોચાડે છે. મારા મોટાભા પોતાના વાહન કરિયાણા ની ચીજ વસ્તુઓ લેવા લાવવા માજ ચલાવે. હુ જોતી હોય આવીને સિધા ન્હાવા જાય, કોય ને અડે નય. જુદા જમવા બેસે, શુકામ?  કારણ કે પરિવાર ના બીજા ૫ લોકો આરામ થી ખાય શકે ને કોયને કાય તકલિફ ના પડે. મિત્રો એમ તમેય અનુભવ કર્યાજ હસે કોયના  બાપુજી તો કોયના ભાઇ તો કોયના પતિ તમે ખુશ રહી શકો, તમને ઘરમા કાય ના ઘટે માટે પોતાનો જીવ જોખમમા નાખતા હોય છે. . સમાજ મા લખવા વારા માં વિશે ખુબ લખી ગયા. માં ને તો વંદન છેજ પણ આ લેખ દરેક સમાજ ના એવા દિકરાઓ, પિતા, ભાઇ અને પતિ ને સમર્પણ કે જેમણે કોરોના જેવી મહામારી મા પોતાના જીવ ની પર્વા કર્યા વગર પોતાના પરિવાર ને ખુશ રાખવાની કોશિશ કરી છે. . દરેક સમાજ ના આવા ઘર ના મોભ ને મારા હદય થી વંદન. . . . 

લિ. અનિતાબા સરવૈયા(ઘાંટવડ) કોડીનાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો