ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 12 ડિસેમ્બર, 2019

જેતપુર મા BSNL ના કર્મચારી અને Lions Club જેતપુર નાં માનનીય સદસ્ય એવા નિલેશભાઈ ગઢવી ની ઈમાનદારીની ચર્ચા,,,

જેતપુર મા BSNL ના કર્મચારી અને  Lions Club જેતપુર  નાં માનનીય સદસ્ય એવા નિલેશભાઈ ગઢવી ની ઈમાનદારી
ની ચર્ચા,,, 
ગઈ કાલે જેતપુર BSNL મા નોકરી કરતા નિલેશભાઈ ગઢવી ને એક કિંમતી સોનાની વીંટી મળેલ તેમની બજારમાં કિંમત રૂપિયા 125000 હતી, 
કોઈ પણ માણસ હોય તો આવી કિંમતી વસ્તુ મળે તો તરત ઘર ભેગી કરી દે પરંતુ પોતાની કુળદેવી મા સોનલ અને મહાદેવ મા આસ્થા રાખનાર નિલેશભાઈ ગઢવીએ પોતાને મળેલી સોનાની વીંટી મુળ માલિક ને સોંપવા નો નિર્ણય કર્યો ,,
આજે મોટી ઉંમરના એક દાદા તેમની ખોવાયેલી વીંટી ને શોધતા શોધતા BSNL ઓફિસમાં પહોચ્યા હતા ત્યારે નિલેશભાઈ ગઢવીએ તેમને મળેલી સોનાની વીંટી ના માલિક તે દાદા જ છે તે ખાતરી કરીને તરત વીંટી મૂળ માલિકને સૌની હાજરી મા સોંપી દીધી હતી,,, 
BSNL ના આ યુવા કર્મચારી ની ઈમાનદારી જોઈને વીંટી શોધવા આવેલા દાદા ની આંખો ભીની થઈ ગઈ હતી અને તેમને નિલેશભાઈ ગઢવીને ખૂબ આશિર્વાદ આપ્યાં હતાં,,, 

વાહ નિલેશભાઈ ગઢવી વાહ
ઘન્ય છે તમને અને તમોને સંસ્કાર આપનાર માતા પિતા અને ગુરુ જનો ને,,
હર હર મહાદેવ 🙏🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો