ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 20 માર્ચ, 2018

चरज नेटवर्क

જન્મથી લઈને છેક મૃત્યુ સુધીના જે કોઈ સ્ત્રીઓ પરના બંધનો છે તે સમજી વિચારીને અગ્રણીઓએ સહકાર આપીને તેને નેસ્તનાબૂદ કરવા જોઈએ. સોનલ બીજના દિવસે સામાજિક દૂષણો દૂર કરવાના સંકલ્પો લેવાય તો ખરેખર સમાજના ગરીબ પરિવારોને બહુ મોટી રાહત થશે. પૈસાદાર પરિવારોને કોઈ રુઢિથી તકલીફ નથી થતી. ખરું શોષણ તો ગરીબ અને નબળા પરિવારોનું થાય છે.

 

આવા સમયે ચોક્કસ મારા પિતા સ્વ.બી.કે.ગઢવી અને મારા ભાઈ સ્વ.મુકેશભાઈ ગઢવીની યાદ આવે છે કે એ સમયે રાજસ્થાનના અંતરિયાળ ગામડાંમાં લાજ પ્રથાની જડતા હતી તેની સામે તેમણે અવાજ ઊઠાવ્યો હતો. બી.કે.ગઢવી સાહેબે તો ત્યાં સુધી કે સમાજમાં પુનર્વિવાહને પ્રેરણા મળે એ માટે તેઓ વર્ષોથી આતૂર હતા અને જ્યારે ઘરમાં જ પોતાની દિકરી જ્યારે વિધવા થઈ ત્યારે તેમના માટે આ દુઃખ ખૂબ અસહ્ય હતું. પરંતુ બીજી તરફ તેમણે એવું પણ વિચાર્યું કે કદાચ કુદરતે મને આ દુઃખ દ્વારા સામાજિક બદલાવ માટેની એક પ્રેરણા આપી છે. એ સમયે મારી સ્થિતિ આ પુનર્વિવાહ માટેના નિર્ણય માટે જરા પણ તૈયાર ન હતી. પરંતુ તેમણે મને આવા બોલ્ડ નિર્ણય માટે તૈયાર કરી. જે એ સમયની માનસિક્તા અને સંકુચિતતા સામે એક બહુ જ હિંમત આપી દે તેવો નિર્ણય હતો અને આજે સમાજ માટે રાહબર બન્યો છે. સમાજની સ્ત્રીઓનું સશક્તિકરણ થાય તે માટે પોતાની દિકરીથી જ શરુઆત કરી. 


આજે ઘણી જગ્યાએ દિકરીઓ ભણે છે તેની સામે તેને નોકરી નહીં કરવા દેવી અથવા તેની સ્વતંત્રતા પર કોઈને કોઈ રીતે સામાજિક બંધનો લાદવામાં આવે છે  તે ખોટું છું. આ બધા પ્રશ્નોમાં મને લાગે છે કે અત્યારે ભણેલા- ગણેલા દિકરા-દિકરીઓ એ  વિચારીને એક નવતર રચના કરવી જોઈએ.- નયના ગઢવી ,એડવોકેટ (ગુજરાત હાઈકોર્ટ ) -  ચરજ નેટવર્ક મેગેઝીન”શક્તિ વિશેષાંક” જાન્યુઆરી ૨૦૧૮

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો